
આ પ્રજાસત્તાક દિને જેમને પદ્મશ્રીના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા છે એ ડો.ગુણવંતભાઈ શાહએ એમના ઉપર ચિત્રમાંના અવતરણમાં દીકરીના નામનો મહિમા કાવ્યમય શૈલીમાં કેવો સુંદર કહી દીધો છે ! દીકરી ભલે નજર સામે ના હોય પણ મા-બાપના હૈયામાં તો એનો સદાનો વાસ હોય છે. એમનું હૈયું દીકરી જીંદગીભર માટે હર્યું ભર્યું રાખે છે.
એક મિત્રના ફેસ બુક પેજ પરથી પ્રાપ્ત કોઈ પુરુષે કહેલાં સ્ત્રીના વિવિધ રૂપો વિશેનાં આ ઉત્તમ વાક્યો વાંચવા જેવાં છે :
૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી.
૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી…તે મારી બહેન હતી.
૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક સ્ત્રી હતી…મારી શિક્ષીકા.
૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો અને પ્રેમની જરુર હતી,ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી.
૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…તે મારી પુત્રી હતી.
૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…તે મારી માતૃભૂમિ હશે.
નરેન્દ્ર મોદી સરકારે આ વખતની ૨૬ મી જાન્યુઆરી પરેડનો થીમ ‘નારી શક્તિ’ રાખ્યો હતો એટલે પરેડમાં લશ્કર, નૌકા દળ અને હવાઈ દળએ તેમના તમામ-મહિલા સૈનિકોના સંઘ ઉતાર્યા હતા.આ કેટલું ભવ્ય દ્રશ્ય હતું ! અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા પણ એ જોઇને ખુશ ખુશ થઈ ગયા હતા .
શ્રી મોદીનું નવું અભિયાન -‘બેટી બચાઓ-બેટી પઢાઓ’
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાજકારણના દાવપેચ ખેલનાર એક વિચક્ષણ રાજકારણી તો છે જ પણ એક અદના સમાજકારણી પણ છે.મહાત્મા ગાંધીની જેમ તેઓ સમજે છે કે રાજ્ય માટે સમાજ નથી પણ સમાજ માટે રાજ્ય છે.પ્રજાએ મોટી આશાઓ અને અરમાનો સાથે સોંપેલી સતાનો ઉપયોગ અંગત હિતો સિદ્ધ કરવા માટે નથી પણ લોક સમસ્તની સેવા માટે છે એમ તેઓ માને છે.
શ્રી મોદી ગુજરાતના વડનગર ગામમાં આર્થિક રીતે પછાત મોદી કુટુંબમાંથી આવ્યા છે.વડનગર સ્ટેશન ઉપર ચા વેચનાર એક કિશોરમાંથી,પોતાની સૂઝબુઝ અને દેશ સેવાની ભાવનાથી સ્વ પુરુષાર્થ વડે વડા પ્રધાન જેવા દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે. આને કારણે સામાન્ય જનતાના પ્રશ્નો વિષે મૂળભૂત જ્ઞાન અને અનુભવ ધરાવે છે. એમના મૂળને તેઓ ભૂલ્યા નથી.
દેશના વડા પ્રધાનનું પદ સંભાળ્યાને હજુ તો આઠ જ મહિના પસાર થયા છે પરંતુ આ ટૂંકા ગાળામાં દેશની સામાન્ય જનતાને સ્પર્શતી નીચેની યોજનાઓ શ્રી મોદીએ દેશની સામે મૂકી દીધી છે.
વડાપ્રધાને ૧પમી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી ‘જનધન યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.આ ૨૧મી સદીમાં દેશની ૪૦ ટકા જેટલી વસ્તી પાસે પોતાનુ બેન્ક એકાઉન્ટ નથી.યોજનાના પહેલા જ દિવસે સમગ્ર દેશમાં દોઢ કરોડ નવાં ખાતાં ખોલવામાં આવ્યાં હતાં .૨૬ મી જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં ૮ થી ૧૦ કરોડ ખાતાં ખોલાઈ જશે એમ મનાય છે.આજે એક જ સપ્તાહમાં સૌથી વધુ ખાતેદારોની સંખ્યા માટે ગ્રીનીચ બુક ઓફ રેકોર્ડમાં એની નોધ લેવાઈ ચુકી છે.આ યોજના હેઠળ તમામ ખાતેદારોને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને ૩૦ હજાર રૂપિયાનુ વધારાનું વીમા કવચ પણ અપાશે.
૨ જી ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ ગાંધી જયંતીના દિવસથી દેશભરમાં સ્વચ્છ ભારતનું અભિયાન શરુ થયું છે.
૩.મેક-ઇન-ઇન્ડિયા અભીયાન –Make in India
૪.‘બેટીબચાઓ-બેટી પઢાઓ’ મિશન/સુકન્યા સમૃદ્ધિ યોજના
૨૨મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ હરિયાણાથી વડા પ્રધાન મોદીના હસ્તે આ ચોથી યોજનાના શ્રી ગણેશ થયા છે.
આજે ભારતમાં સ્ત્રી-પુરુષના જાતિ પ્રમાણના આંકડાઓમાં ઘણી અસમાનતા નજરે પડે છે. કન્યા ભ્રુણ હત્યાને લીધે નવ જાત છોકરીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. હરિયાણામાં એ પ્રમાણ ૧૦૦૦ છોકરાઓએ ૭૫૦- ૮૦૦ છોકરીઓ જન્મ લેતી હોય છે.
સ્ત્રી-પુરુષના જાતિ પ્રમાણના આંકડાઓમાં ઘણી અસમાનતાને ધ્યાનમાં રાખીને તથા બાળકીઓને સમાન હકો મળી રહે એ માટે ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ મિશન અને સુકન્યા સમૃદ્ધિ યોજનાઓને લોંચ કરવાનો કાર્યક્રમ તારીખ ૨૨મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે હરિયાણામાં યોજવામાં આવ્યો હતો.
‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ મિશન હાલ ૧૦૦ જેટલા જિલ્લામાં લાગુ પાડવામાં આવશે. આ બે મિશનનો હેતુ બાળકીઓને સુરક્ષા તથા શિક્ષણ પૂરું પાડવાનો છે.
આ લોન્ચ થયેલા ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ના મિશનની બ્રાન્ડ એમ્બેસેડર બોલિવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત બની હતી.દેશમાં બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માધુરી આગળ આવી હતી. માધુરી દીક્ષિત અને નરેન્દ્ર મોદી એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા.
માધુરી દીક્ષિતે ટ્વીટર પર આ સમાચાર આપતાં ખુશી વ્યક્ત કરી હતી. લોન્ચિંગ સમયે માધુરીએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છે, પરંતુ હજી પણ દીકરીઓને બોજારૂપ ગણવામાં આવે છે એ દુખની વાત છે.આજે દીકરીઓ ઘણાં ક્ષેત્રોમાં આગળ આવી રહી છે.
વધુમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જો દેશમાં એક હજાર બાળકો પેદા થાય તો એક હજાર બાળકી પણ પેદા થવી જ જોઈએ. માતા-પિતા બાળકીઓને શિક્ષણ આપવા માટે ૫૦ વખત શા માટે વિચારતાં હશે ?એવો એમણે પ્રશ્ન કર્યો હતો.ઘડપણમાં દીકરાઓ જ સેવા કરશે એ માન્યતા ભૂલ ભરેલી છે. ઘણી વખત દીકરાઓ કરતાં દીકરીઓ ઘડપણમાં મા-બાપની વધુ મદદે આવતી હોય છે એમ એમને કહ્યું હતું.
જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો વહુ ક્યાંથી લાવશો?-શ્રી મોદી
બીજી બાજુ નરેન્દ્ર મોદીએ એમના પ્રવચનમાં જનતાને પૂછ્યું હતું કે જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો તમારા છોકરાઓ માટે વહુ ક્યાંથી લાવશો?
શ્રી મોદીએ બેટી બચાઓ ,બેટી પઢાઓ” અભિયાન લોન્ચ કરતી વેળાએ કરેલ પ્રવચનમાં દીકરી જન્મે એ પહેલાં જ ગર્ભમાં કરાતી એની હત્યા રોકવા માટે સૌને દર્દ ભરી અપીલ કરી હતી. આવી થતી હત્યાઓ માટે સમાજમાં લોકોની દીકરીઓ પ્રત્યેની દુષિત માનસિકતાને જવાબદાર ગણાવી હતી. પૈસાને લોભે આવું નીચ કામ કરવા તૈયાર થનાર ડોક્ટરોની પણ એમણે ઝાટકણી કાઢી હતી.એમના આ પ્રવચનનો એક અંશ નીચેના વિડીયોમાં છે.
PM Modi makes emotional appeal for girls, denounces foeticide
સુકન્યા સમૃદ્ધિ યોજના
શ્રી મોદીએ લોન્ચ કરેલ આ યોજના અન્વયે ૧૦ વર્ષની ઉમર નીચેની બાલિકાઓ માટે બેન્કમાં એમના ખાતાં ખોલવામાં આવશે. નીચેના વિડીયોમાં શ્રી મોદી સાથે માધુરી દીક્ષિત,મેનકા ગાંધી અને સ્મૃતિ ઈરાની પણ છે.
PM Modi launches ‘Sukanya Smridhi Yojana’
આ પ્રસંગનો અહેવાલ અને શ્રી મોદીનું આખું પ્રવચન નીચેના યુ-ટ્યુબ વિડીયોની નીચેની લીંક ઉપર ક્લિક કરીને સાંભળો /જુઓ.
PM MODI’S SPEECH-BETI BACHAO -BETI PADHAO
ફેસ બુક પેજમાંથી પ્રાપ્ત એક પ્રસાદી …

વાચકોના પ્રતિભાવ