દયાભાવનો વિસ્તાર થાય એવું ઇચ્છતા હોવ તો આ પ્રકારના કાર્યોની વારંવાર પ્રશંસા કરતા રહો
N Raghuram
દર વર્ષે “જોય ઓફ ગીવિંગ” વીક એટલે કે ‘આપવાના આનંદ’ નું સપ્તાહ આવે છે અને પછી ભૂલાવી દેવા માટે ઘણી બધી ગતિ વિધી થાય છે. પરંતુ 92 વર્ષીય એન્જેલા ફર્નાન્ડિસને રોજ સ્વાદિષ્ટ અને ગરમ ભોજન મળે છે અને તે પણ માત્ર જોય ઓફ ગીવિંગ વીકમાં નહીં પણ આખું વર્ષ. આ પ્રક્રિયા સતત ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી કોઇપણ જાતના અપવાદ વગર ચાલી રહી છે, બિલકુલ મફત. દાળ, રોટલી, શાક અને ભાતની સાથે આવનારી ડિશીશને “ઓછું મીઠું અને મસાલા નાંખી બનાવવામાં આવે છે જેથી આ ઉંમરે તેમને તે સરળતાથી પચી શકે. માત્ર ભોજનનો ડબ્બો પહોંચાડીને જ આ દયાભાવના વાળું કામ પૂરું થઇ જતું નથી.
ડિશ રોજ આવે છે, માંગ્યા વગરની આ પ્રેમની સરસ સોગાદ છે, કારણ કે એક વ્યક્તિ આવીને તેમને જમવાનું આપશે,તેમની તબિયત વિશે પૂછશે, આજુ-બાજુંના નાના-મોટાં કામ કરી આપશે,તેમને પ્રેમથી ભેટશે અને જતાં પહેલાં ઇશ્વરને તેમના માટે પ્રાર્થના કરશે. જે માણસ ભોજન લઇને આવે છે તે ફક્ત તેમના માટે ભોજન લાવતો નથી. તે બપોરે પોતાની કારમાં ઘરે-ઘરે જઇને ભોજન પહોંચાડે છે. તેજસ્વી ચહેરા સાથે તે દરવાજો ખખડાવે છે અને સંબંધિત વૃદ્ધને તે પોતાના હાથે ડબ્બો સોંપે છે. તેમની તબિયત વિશે જાણ્યાં સિવાય તે તેમનો ઉંબરો છોડતો નથી. આ ઘરોમાં નબળાં, વયોવૃદ્ધ એક-બે વ્યક્તિ નથી, જેમને કાં તો તેમના ભરોસે છોડી દેવાયા છે અથવા તો તેમની પાસે પોતાની સંભાળ રાખવાની સગવડ નથી. જો ડબ્બો તેમના સુધી ન પહોંચે તો મુંબઇમાં આ 30 વૃદ્ધો વિશે કંઇક ભયાનક સાંભળવા મળે છે.
જેઓ થોડા વર્ષો પહેલાં આ મહાનગરીમાં ગર્વ સાથે કામ કરતા હતાં, આજે તેમને કોઇ કારણોસર મહાનગરે તેમને નિસહાય છોડી દીધાં છે, તેમની સાથે રહેનારા લોકો ચાલ્યાં ગયાં . સમય સાથે સંબંધો અને સ્વાસ્થ્યએ જવાબ અાપી દીધો અને પડોશીઓએ પણ આ ગુજરતી પેઢી સાથે અંતર કરી લીધું. આજે જ્યારે ભોજન તેમના ઘરે પહોંચે છે, તેમના હાલ-ચાલ પૂછાય છે, તો દરવાજો બંધ થતા પહેલાં આભાર વ્યક્ત કરતું હાસ્ય અને ખૂબ બધાં આશિર્વાદ સાથે ડીલિવરી મેનને વિદાય મળે છે.
છેલ્લાં 1095 દિવસ એટલે કે પૂરાં ત્રણ વર્ષથી તે ન તો ક્યારેય ગાયબ રહ્યો કે ન ક્યારેય પોતાનો સમય ચૂક્યો. અને દર વર્ષે ઓક્ટોબરમાં તે પોતાની સેવાઓ માટે મીડિયામાં છવાયેલો રહે છે. દર વર્ષે મીડિયાનો કોઇનો કોઇ ભાગ તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે પ્રશંસા કરતો રહે છે.
મળો 57 વર્ષના માર્ક ડિસુઝાને, તેઓ મુંબઈના બોરીવલીમાંથી આવેલી પોતાની ઓફીસમાંથી તમામ કામ સંભાળે છે.
તેમણે માતા પિતાના અવસાન બાદ અને પોતે વૃદ્ધાવસ્થા તરફ આગળ ધપી રહ્યા છે ત્યારે આ નિર્ણય લીધો છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે તેમના મનમાં આ વિચાર આવ્યો ત્યારે તેમના પત્ની વિવોને પોતાના કપબોર્ડમાંથી બચતના પાંચ હજાર રૂપિયા કાઢીને તેમના હાથમાં આપી દીધા હતા અને કહ્યું હતું કે, ‘કાલથી જ કામ શરૂ કરી દો.’ તેમની ભાવના એ હતી કે સારા કામમાં મોડું થવું જોઈએ નહીં. અને તેમણે મોડું કર્યું પણ નહીં. પત્નીએ ટેકો આપતાં તેેમના ઉત્સાહમાં વધારો થયો. એ જ દિવસે સાંજે તેઓ ટિફિન કેરિયર ખરીદી લાવ્યા અને બીજા જ દિવસેથી ભોજન બનાવવાનું શરૂ કરી દીધું. શરૂઆત બે વૃદ્ધોથી થઈ. આજે તેઓ 300 વૃદ્ધોને સેવા આપી રહ્યા છે. આ ચેરિટી અત્યંત દક્ષતા અને વ્યાવસાયિક કુશળતા સાથે કરવામાં આવે છે. જે રીતે પૈસા કમાવવા માટે કરવામાં આવે છે એ જ ગંભીરતાથી આ કામ કરાય છે.
એવી દુનિયામાં જ્યાં અંગત બચત લોકોની પ્રાથમિકતા હોય છે ડિસુઝા ડબ્બા ડિલિવરીના કામમાં વર્ષમાં ક્યારેય રજા પાડતા નથી. મધ્યમવર્ગીય પરિવારના રસોડામાં બનાવવામાં આવતા ડબા જરૂરિયાતમંદની જરૂરત પ્રમાણે રાંધવામાં આવે છે અને તે પણ વિના મૂલ્યે. તેની માત્ર પ્રશંસા જ થવી જોઈએ નહીં પણ વખાણ વારંવાર થતા રહેવા જોઈએ જેથી આ કરુણામય કામનો સંદેશ વધુને વધુ વ્યાપક બને અને આ પ્રકારના કામો અન્યત્ર પણ થતા રહે. દિવ્યભાસ્કર જવાબદાર સંગઠન તરીકે ‘અન્નદાન’નો વિનમ્ર પ્રયાસ શરૂ કરે છે.જેથી વંચિત લોકોને સુધી તેને પહોંચાડી શકાય.
અમે ડિસુઝા જેવા લોકોને સલામ કરીએ છીએ જે આ પ્રકારના કામમાં અથાકપણે લાગેલા છે.
ફંડા એ છે કે માનવતા યથાવત રહેવી જોઈએ.
સારા કર્મોથી માનવતા ઉજળી બને છે. આ કર્મ અમર બની જાય છે.
માનવતા બતાવવા અને સેવા કરવા માટે હમ્મેશાં તમારી પાસે ધનનો સંચય હોય એ જરૂરી નથી . દિલમાં સેવા ભાવના જો હોય તો એક ભિખારી પણ માનવતાનાં કાર્યો કરી બતાવે છે જે પૈસા વાળા પણ બતાવી નથી શકતા .દાન માટે દિલ જોઈએ છે ,પૈસા તો મળી રહે છે.
જલ્દી માન્યામાં ના આવે એવી આવા એક અપંગ ભિખારી ખીમજીભાઈની એક સત્ય કથા જ્યારે ગુજરાત સમાચારમાં મેં વાંચી ત્યારે મને એ સ્પર્શી ગઈ. વિનોદ વિહારના માધ્યમથી સૌ વાચકો સાથે એને શેર કરતાં આનંદ થાય છે.
મહેસાણામાં રહેતા સેવાભાવી અપંગ
ખીમજીભાઇ ભીખમાં મળેલા પૈસા ગરીબ દીકરીઓના
શિક્ષણ પાછળ ખર્ચે છે.
૨૫૦૦ કરતાં વધુ બાળકીઓને શિક્ષણ સહાય કરી છે
૧૦ જેટલી ગરીબ બાળકીઓનેે સોનાની કડીઓ આપશે
સામાન્ય રીતે કોઇ પણ ભિખારી બે ટંકનું ભોજન મેળવવા માટે ભીખ માગતો હોય છે પરંતુ મહેસાણાના વિવિધ મંદિરો આગળ ભીખ માગતા ગોદળીયા બાબા એટલે કે ખીમજીભાઇ પ્રજાપતિ પોતાને ભીખમાં મળેલી રકમ ગરીબ બાળકીઓના અભ્યાસ પાછળ ખર્ચે છે.
હવે તેઓ ૧૦ જેટલી ગરીબ દીકરીઓને સોનાની કડીઓ (કાનના આભૂષણ) આપવાના છે. છેલ્લા સાત વર્ષથી તેઓ મહેસાણાની વિવિધ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ૨૫૦૦ કરતાં વધુ બાળકીઓને શિક્ષણ સહાય કરી છે. તેઓ બાળકીઓને શિક્ષણને લગતી સામગ્રી જેવી કે, નોટબુક, પુસ્તક, બેગ, કપડા વગેરે વસ્તુઓ જરૃરિયાતમંદ વિદ્યાર્થીનીઓને આપે છે.
ખીમજીભાઇ વર્ષમાં ચાર જેટલી સ્કૂલમાં જઇને ભીખની રકમ શિક્ષણ સહાય પેટે દાન કરે છે.તેઓ અપંગ હોવાથી ટ્રાઇસિકલ પર બેસીને મહેસાણામાં આવેલા સાંઇબાબા મંદિર, હનુમાન મંદિર વગેરે ધાર્મિક સ્થળો આગળ બેસીને ભીખ માગે છે.
આ પ્રવૃતિ અંગે ખીમજીભાઇ કહે છે ,આપણો સમાજ દીકરીઓને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખે છે. દીકરો હોય તો માતા-પિતા પ્રાઇવેટ સ્કૂલમાં ઊંચી ફી ભરીને એડમિશન કરાવે છે, જ્યારે દીકરીઓને સરકારી સ્કૂલમાં ભણાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. દિકરાને તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે, જ્યારે દીકરીને શિક્ષણ માટે જરૃરિયાત સામગ્રી મળતી નથી.
સેવાભાવી અપંગ ખીમજીભાઇએ એમ પણ જણાવ્યું કે દીકરી એ સમાજનું દર્પણ છે,દીકરીઓ શિક્ષિત બનશે તો જ સમાજ શિક્ષિત કહેવાશે.
અત્યાર સુધીમાં કેટલી રકમ દાન કરી એ હું જાણતો નથી. મંદિરના પગથીયે કોઇને કોઇ દાનવીર ટંકનું ભોજન કરાવી દે છે અને જયારે ભીખમાં રકમ આવે છે તેને સાચવી રાખું છું. બે કે ત્રણ મહિનાની રકમ ભેગી થાય એટલે શાળામાં જઇને ગરીબ બાળકોને શિક્ષણ સહાય કરુ છું. કેટલીક વાર ગરીબ દીકરીઓના કન્યાદાન પેટે સહાય કરુ છું. મને ભીખ આપનાર દાનવીરોના પૈસા પણ દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચાય છે.
વાચકોના પ્રતિભાવ