મિત્રો,
જાણીતાં લેખિકા/કવયત્રી હ્યુસ્ટન નિવાસી શ્રીમતી દેવિકાબેન ધ્રુવએ વોલ્ટર ડિ લા મરે(Walter de la Mare) નું એક બહુ જાણીતુ કાવ્ય “શેડો” નું કાવ્યમય સુંદર ભાષાંતર કરીને સૌ મિત્રોને ઈ-મેલમાં વાંચવા મોકલ્યું હતું.
અમદાવાદ નિવાસી મિત્ર શ્રી શરદ શાહે એમના ઈ-મેલ જવાબમાં આ કાવ્યનો સરસ ગુઢાર્થ સમજાવ્યો હતો.મને દેવીકાબેનનો કાવ્યાનુવાદ અને શરદભાઈએ કરાવેલ કાવ્યનો રસાસ્વાદ ગમી ગયાં.
વિનોદ વિહારના સાહિત્ય પ્રિય વાચકો માટે આ મિત્રોના આભાર સાથે આ રચનાઓને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું. આશા છે આપ સૌને પણ એ ગમશે.

Smt.Devika Dhruv
શ્રીમતી દેવિકાબેન ધ્રુવ અને એમની બીજી સુંદર રચનાઓનો પરિચય એમના બ્લોગ“શબ્દોને પાલવડે”ની આ લીંક પર જઈને વાંચી શકાશે.
વિનોદ પટેલ
સૂરજના છેલ્લાં કિરણો ઢળે….. દેવિકાબેન ધ્રુવ
સૂરજના છેલ્લાં કિરણો ઢળે,
ને જગત આખું યે
રાતના દરિયામાં ડૂબે;
ત્યારે ઉપર ઊંચે એક મોટો,
ગોળ ચંદ્ર તરે છે.
એના ઉછીના લીધેલા તેજથી,
પથરા,ઘાસ, તરણું,
ઝીણામાં ઝીણું તણખલું
નજરમાં આવે તે સઘળું,
ચમકાવી ધૂએ છે.
ધીરા પગલે હું,
શ્વેત,ચોક્ખી દિવાલ પાસે જાઉં છું.
જ્યાં મારો એક અંગત સંગ
રાહ જોતો ઉભો હોય છે.
એક અનુચર….
શાંત, અક્કડ અને ઉત્તેજક.
હું જે કાંઈ કરું,
બધું જ તે કરે છે!
બિલ્લીથી વધુ ચૂપકીદીથી
મને અનુસરે છે.
મારી ચાલ, અંગભંગ,
આકાર, દેખાવ…
હું વળું કે ફરું,
ભાખોડિયા ભરું કે શિકારીની જેમ ઘૂમું.
બધું જ એ ચાલાકીથી કરે.
ચંદ્રના અજવાળે અને ઘુવડના સંગીત સાથે!
શીશ્શ…હું ધીરો ઈશારો કરું.
આવ, આવ..કોઈ જવાબ ન મળે..
એ અંધ અને મૂંગો છે.
હા, અંધ અને મૂંગો… પડછાયો…
ને જ્યારે હું જઈશ ત્યારે,
આ દિવાલ ખાલી,શૂન્ય,
સફેદ બરફ જેવી રહી જશે!!!!
દેવિકા ધ્રુવ
*******
મૂળ ઈંગ્લીશ કવિતા-Walter de la Mare
મૂળ ઈંગ્લીશમાં કવિતા-Walter de la Mare
When the last of gloaming’s gone,
When the world is drowned in Night,
Then swims up the great round Moon,
Washing with her borrowed light
Twig, stone, grass-blade — pin-point bright —
Every tinest thing in sight.
Then, on tiptoe,
Off go I
To a white-washed
Wall near by,
Where, for secret
Company
My small shadow
Waits for me.
Still and stark,
Or stirring — so ,
All I’m doing
He’ll do too.
Quieter than
A cat he mocks
My walks, my gestures,
Clothes and looks.
I twist and turn,
I creep, I prowl,
Likewise does he,
The crafty soul,
The Moon for lamp,
And for music, owl.
” Sst! ” I whisper,
” Shadow, come!”
No answer:
He is blind and dumb.
Blind and dumb,
And when I go,
The wall will stand empty,
White as snow.
Walter de la Mare
(Walter_de_la_Mare- Bio Data )
કાવ્યનો રસાસ્વાદ … શ્રી શરદ શાહ

શરદ શાહ
(મારી સમજ મુજબ આ કાવ્યને મુલવું છું. મિત્રોનો પ્રતિભાવ વાચકોને વધુ ગહેરા ઉતરવા આમંત્રણ આપી શકશે.–શરદ શાહ )
પડછાયો તો સુર્યના પ્રકાશમાં ય પડે અને ટ્યુબલાઈટ કે ટોર્ચના પ્રકાશમાં ય પડે અને ચંદ્રના પ્રકાશમાં ય પડે છે. પરંતુ આ ત્રણેમાં જે ભેદ છે તે પ્રકાશના મૂળ સ્રોતનો છે.
સુર્ય સ્વયં પ્રકાશિત છે. ટ્યુબલાઈટ કે ટોર્ચ, બેટરી કે વિજળી આધારિત છે. જ્યારે ચંદ્ર, સુર્યનો ઊધાર પ્રકાશ લઈ પરાવર્તિત્ત કરે છે. અહીં કવિએ ખાસ પ્રયોજનથી ચંદ્ર પ્રકાશના પડછાયાની વાત કરી છે. કારણકે આપણું જ્ઞાન પણ આવું ઉધાર છે જેમ ચંદ્રનો પ્રકાશ છે.
જ્યાં સુધી ભિતરનો સુર્ય(જ્ઞાન) પ્રગટતો નથી, ત્યાં સુધી પારકા પ્રકાશ (જ્ઞાન) પર જીવન આધારિત છે. જેમ ચંદ્રનુ અજવાળું. આપણુ સ્વયં સ્ફુરિત જ્ઞાન ન હોય તો ક્યાંકથી ને ક્યાંકથી ઉધારિત જ્ઞાન આપણે લઈએ, પછી તે કૃષ્ણની ગીતાનુ હોય કે મહંમદની કુરાનનુ કે જીસસની બાઈબલનુ કે અન્ય શાસ્ત્રોનુ. પણ આ બધું જ્ઞાન પ્રકાશ છે જેમાં સ્વયંયનો પડછાયો તો જોઈ શકાય છે પણ સ્વયંનો અનુભવ નથી થઈ શકતો. આ સ્વનો પડછાયો તે બીજું કાંઈ નહી આપણો અહમ છે. જેમ પડછાયો બહેરો, મુંગો અને આંધળો છે તેમ આપણો અહમ પણ.
દિવાલ પર પડતો પડછાયો જેમ દેહની જુદી જુદી મુદ્રાઓની નકલ કરે છે તેમ આત્મ તત્વનો પડછાયો (અહમ) પણ આ જગતની પૃષ્ઠ ભુમિ પર નકલચીજ બની શકે છે. તે બુધ્ધપુરુષોના વચનો તો દોહરાવી શકે પણ બધું નકલ અને તોતા રટણ. તેમાં કોઇ સ્વ ત્વ કે સત્વ ન હોય.
આપણે (આપણો દેહ) ચાલ્યા જઈએ કે દિવાલ પર પડતો પડછાયો અદૃષ્ય થઈ જાય છે અને પાછળ કેવળ દિવાલ મૌન બનીને ઉભી હોય છે. તેમજ આપણો જીવન કાળ પુરો થઈ જાય, પ્રાણ પંખેરું ઊડી જાય અને દુનિયા કોરી દિવાલની માફક આપણા અહમ માટે પણ કોરી બની જાય છે અને થોડા સમય માટે અસ્તિત્વ ભુંસાઈ જાય છે. વળી નવો જન્મ લઈ વળી દુનિયાની પૃષ્ઠ ભુમિ પર નવો ખેલ, નવો પડછાયો.
-શરદ શાહ
વાચકોના પ્રતિભાવ