વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: સન્કલન

1231-‘એકત્ર’ પરિવારનો ગ્રંથ-ગુલાલ

‘એકત્ર’નો ગ્રંથ-ગુલાલ

આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકો ને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઈ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

www.ekatrafoundation.org

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.

અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –
* પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

* પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમા) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાના ગુલાલથી.

*
તાજેતરમાં વી–આવૃત્તિરૂપે પ્રકાશિત ગ્રંથ ‘અવલોકન-વિશ્વ : ભારતીય અને વિદેશી ભાષાઓનાં સામ્પ્રત પુસ્તકો વિશેના આસ્વાદલેખો, સંપાદક – રમણ સોની’ આ લિન્ક https://ekatra.pressbooks.pub/avlokanvishva/

ઉપરથી આપ વાંચી શકશો.

EKATRAFOUNDATION.ORG

એકતાની નીચેની ફેસબુક લીંક પર ઘણું સાહિત્ય વાંચી શકાશે.

1122 – દાદીમાની દાદાગીરી …….. હેન્રી શાસ્ત્રી

દાદીમાની દાદાગીરી ….કવર સ્ટોરી …. હેન્રી શાસ્ત્રી

હાથ ધ્રૂજતા, બ્રશમાં સ્થિરતા

પેઇન્ટિંગનું બ્રશ પકડેલી સહેજ ધ્રૂજતી હાથની આંગળીઓ કેનવાસ પાસે પહોંચતાની સાથે સ્થિર થઇ જાય છે. ૧૦૨ વર્ષનાં ઇઝરાયેલી દાદીમા તોવા બર્નલિંસ્કી નવા સોલો એક્ઝિબિશન માટે સજ્જ થઇ ગયાં છે. વીસ વર્ષના ગાળા પછી થઇ રહેલા પહેલા પ્રદર્શનની તૈયારી વખતે તેમના ચહેરા પર ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે.

તેમના મુખ્ય ચિત્રોમાં ગ્રે અને બ્લૅક ફૂલો છે જેનું સૌંદર્ય પ્રકાશના કિરણો દ્વારા વ્યક્ત કરવામાં તેમણે સફળતા મેળવી છે. તેમના પેઇન્ટિંગ્સમાં ઇઝરાયલના વિસ્તારો અવાવરુ અને વેરાન દેખાય છે. ખાલી ખુરશીઓ જીવનનો ખાલીપો વ્યક્ત કરે છે. તેમના પોર્ટે્રટ્સમાં પરિવારનાં સભ્યો ઝાંખા દેખાય છે અને એનું કારણ આપતા દાદીમા કહે છે કે ‘હવે એમાંનું કોઇ નથી રહ્યું. બસ, હું ને મારી સ્મૃતિઓ જીવીએ છીએ.’

૧૯૧૫માં પોલૅન્ડમાં જન્મેલાં આ દાદીમાએ જીવનમાં ઘણી યાતનાઓનો સામનો કર્યો છે. મિસ તોવા લગ્ન પછી તરત પોલૅન્ડ છોડીને ૧૯૩૮માં એ સમયે પેલેસ્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પતિ સાથે જઇને વસ્યાં.જોકે,બીજે જ વર્ષે નાઝીના અત્યાચાર અને સંહારની યાતના ભોગવવાનો વખત આવ્યો. એટલે તેમના મોટા ભાગના પેઇન્ટિંગ્સમાં જીવનમાં અનુભવાતા ખોટ અને દરદ દેખાય છે. યુવાન વયે આઇસક્રીમની લિજ્જત માણી હતી એ ક્ષણોના ચિત્રોમાં ચમક અને મોહક રંગો ધ્યાન ખેંચે છે. એપ્રિલમાં તેમની ૧૦૨મી વરસગાંઠ નિમિત્તે દોરેલા ચિત્રમાં ભૂરું આકાશ, લીલાછમ ઘાસની હરિયાળી અને રણપ્રદેશમાં રેલાતા સૂર્યકિરણોનો સુંદર સમન્વય જોવા મળે છે. એ સમયે તેમણે કહ્યું હતું કે ‘અચાનક જ રંગ મારી આંખોમાં પાછા ફર્યા.’ અત્યારે ચાલી રહેલા તેમના પ્રદર્શન માટે તેમને સાથ અને સહકાર મળ્યા છે. આ ઉંમરે તેમની સ્થિરતા માટે તેમને સલામ મારવી પડે.

———————————–

રામ રાખે એને કોણ ચાખે!

૭૪ વર્ષનાં દાદીમા શ્રીમતી માર્શ જે અકસ્માતમાંથી ઊગરી ગયાં એની તસવીર જોઇને તમે પણ બોલી ઊઠશો કે રામ રાખે એને કોણ ચાખે! આ વર્ષે મે મહિનામાં એક ગોઝારા અકસ્માતમાંથી ઉગરી ગયેલાં દાદીમા પ્રમાણિકપણે સ્વીકારે છે કે ‘એ તો નિર્વિવાદપણે ચમત્કાર જ હતો. કોઇ મારી રખેવાળીની ચિંતા કરી રહ્યું હતું અને એટલે જ આવા ભીષણ અકસ્માતમાંથી બચીને હું પાછી હરતીફરતી થઇ ગઇ.’ ટ્રાફિકમાં અટવાયેલી મિસિસ માર્શની કાર સાથે ૮૦ કિલોમીટરની ઝડપે આવી રહેલી સિમેન્ટ ભરેલી એક ટ્રક પાછળથી અથડાઇ અને કારનો કચ્ચરઘાણ વળી ગયો. દૃશ્ય જોનારા લોકોએ તો માની જ લીધું કે દાદીમા અવસાન પામ્યા હશે, પણ તેઓ ભાન ગુમાવી બેઠા હતા. તેમનો શ્ર્વાસ ચાલી રહ્યો હતો. એ ક્ષણ યાદ કરીને મિસિસ માર્શ કહે છે કે ‘કારના પાછલા દરવાજે કોઇએ ઠક ઠક કર્યું એટલું જ મને યાદ છે. મને ભાન આવ્યું ત્યારે હું ઍમ્બ્યુલન્સમાં હતી. ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે મને કહ્યું કે તમારો અકસ્માત થયો છે.’

તેમની હાલત કેવી હતી? આઠ પાંસળી ભાંગી ગઇ હતી. કરોડરજ્જુ પણ તૂટી ગઇ હતી. છાતીનું હાડકું વાંકું વળી ગયું હતું તેમ જ ઠેર ઠેર ઉઝરડા પડ્યા હતા અને ઘણી જગ્યાએ સોજા આવી ગયા હતા. જોકે, નવાઇની વાત એ છે કે તેમને એક ટાંકો નહોતો લેવો પડ્યો. એક મહિનો હૉસ્પિટલમાં સારવાર લીધા પછી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. પોતાની જાતને બડભાગી ગણાવનાર શ્રીમતી માર્શ ઘરે બે દિવસ આરામ કરીને મિત્રો સાથે ફિલ્મ જોવા ઉપડી ગયાં હતાં. જાણવા જેવી વાત એ છે કે તેમના પિતા કાર મિકેનિક હોવાથી તેમનો ઉછેર કાર વચ્ચે જ થયો હતો અને તેમનો ભાઇ માત્ર ૨૭ વર્ષનો હતો ત્યારે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.

————————-

વિઝા નકાર્યો, ઉત્સાહ વધાર્યો

ઉત્સાહ અને ઉમંગને ઉંમર સાથે સંબંધ નથી હોતો. ચંદીગઢના ચમત્કારી દાદીમાનું બિરુદ મેળવનારા ૧૦૧ વર્ષનાં મન કૌર ગયા મહિને ચીનમાં શરૂ થયેલી સ્પર્ધામાં આ વર્ષના પ્રારંભમાં ન્યુ ઝીલૅન્ડમાં મેળવેલી સિદ્ધિનું પુનરાવર્તન કરવા ઉત્સુક હતાં , પણ નસીબ બે ડગલાં આગળ ચાલ્યું. આયોજકો તરફથી અંગત આમંત્રણ ન મળ્યું હોવાનું કારણ આપીને ચીને તેમનો વિઝા નકાર્યો છે. આ વર્ષે ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરમાં યોજાયેલી ૧૦૦ મીટર રેસમાં વિજેતાપદ મેળવનારા આ દાદીમા તેમના ૭૯ વર્ષના પુત્ર ગુરદેવ સિંઘ સાથે ચીનના રુગાઓ શહેરમાં યોજાયેલી ૨૦મી એશિયા માસ્ટર્સ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લઇ ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસ તેમ જ ગોળા ફેંક અને ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેવા માગતા હતા. જોકે, માજી નથી નિરાશ થયાં કે નથી નસીબને દોષ આપી નિ:સાસા નાખી રહ્યાં. બલકે આગામી રેસની તૈયારીમાં લાગી ગયાં છે. અત્યારે પતિયાલામાં ટ્રેઇનિંગ લઇ રહેલા આ દાદીમા કહે છે, ‘થોડી નિરાશા એટલા માટે થઇ કે દેશનું નામ રોશન કરવાની અને મેડલની સંખ્યા વધારવાની એક તક હાથમાંથી સરી ગઇ. ચીન જવા ન મળ્યું તો કંઇ નહીં. મને તો સ્પર્ધા માટે પ્રૅક્ટિસ કરવામાં કે એમાં ભાગ લેવામાં આનંદ આવે છે. હવે પછીની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કેમ કરી શકાય એ જ મારું લક્ષ્ય છે.’ મજાની વાત એ છે કે તાલીમ ઉપરાંત ડાયેટની કાળજી રાખીને ફિટનેસ જાળવવાને તેઓ પ્રાધાન્ય આપે છે.

૯૩ વર્ષની ઉંમરે ઍથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કરનારાં શ્રીમતી કૌરે આ વર્ષે ૨૪ એપ્રિલે ઑકલૅન્ડની સ્પર્ધા એક મિનિટ અને ૧૪ સેકંડમાં જીતી હતી. આ ઉપરાંત અમેરિકામાં યોજાયેલી માસ્ટર્સ સ્પર્ધામાં પણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને અનેકો માટે તેઓ પ્રેરણારૂપ સાબિત થયાં હતાં.

— હેન્રી શાસ્ત્રી 

સૌજન્ય ..મુંબઈ સમાચાર.કોમ 

 

ઉપરની જવાંમર્દ દાદીમાઓની સત્ય કથાઓ  વાંચ્યા બાદ ૯૦ વર્ષનાં ફિગર સ્કેટીંગનાં ખેલાડી દાદીમા Yvonne Dowlen  ની એક બીજી પ્રેરક કથા નેશનલ જ્યોગ્રાફીની આ ટૂંકી ફિલ્મમાં એમના જ મુખે સાંભળો .

વૃધ્ધાવસ્થામાં નડેલ એક ગંભીર રોડ અકસ્માત અને સ્ટ્રોકની બીમારીમાંથી પ્રબળ મનોબળથી ઉભાં થઇ જઈને ફરીથી સ્કેટિંગ રમવાનું શરુ કરનાર આ દાદીમાને સલામ.

90-Year-Old Figure Skater Will Warm Your Heart with Her Amazing Talent | Short Film Showcase-National Geographic

1084- સ્ત્રી શક્તિની એક ઝલક …. Women of Influence

આ જગતમાં લગભગ અડધી વસ્તી સ્ત્રીઓની બનેલી છે.દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ એમની શક્તિઓ બતાવીને સિધ્ધિઓ અને ખ્યાતી પ્રાપ્ત કરી લીધી છે. 

આવી કેટલીક કિર્તિવાન સ્ત્રીઓની માહિતી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.  

Women of Influence

( 548 ) છેલ્લે તો આપણે બે જ હોઈશું… ઘડપણનું કાવ્ય … કવી મૃગાંક શાહ

ઘડપણ વિશેના ૧૩ લેખોને આવરી લેતી પોસ્ટ નમ્બર 547 ના અનુસંધાન રૂપે શ્રી ઉત્તમભાઈ

ગજ્જર એ એમના ઈ-મેલમાં મોકલેલ કવી મૃગાંક શાહ રચિત કાવ્ય રચના

” છેલ્લે તો આપણે બે જ હોઈશું” ,એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે  .

બે વર્ષ પહેલાં કવી મૃગાંક શાહે રચેલી નીચેની રચના ભારે લોકપ્રીય બની હતી.

એમના પ્રથમ કાવ્યસંગ્રહ(‘વજુદ’)ના ચોથા ટાઈટલ પેજ પર તે હતી.

છેલ્લે તો આપણે બે જ હોઈશું

old-couple

ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ,

એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બે જહોઈશું.

 

જે કહેવું હોય એ કહી લે,

જે કરવું હોય એ કરી લે,

એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર) શોધવા છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

હું રીસાઈશ તો તું મનાવજે,

તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

આંખો જયારે ઝાંખી થશે,

યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

ઘુંટણ જ્યારે દુઃખશે, 

કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે,

આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

સાથ જ્યારે છુટી જશે,

વીદાયની ઘડી  આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

[ઉપરના મૂળ કાવ્યમાં કવી દ્વારા તાજી નવી ઉમેરાયેલી પંક્તીઓ]

 

હાથની પકડ છુટશે,

કાચનો ગ્લાસ પડીને ફુટશે,

ત્યારે કાળજી લઈને કાચ વીણવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

કાન સાંભળતાં અટકી જશે, 

મોઢામાંથી શબ્દો છટકી જશે,

ત્યારે વાતને ધીરજથી સમજાવવા, છેલ્લે તો આપણે બે જહોઈશું

 

શરીર પડખા ઘસશે, 

આંખોમાં ઉજાગરા વસશે,

ત્યારે એકબીજાના માથે હાથ ફેરવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

ડાયાબીટીઝ, બીપી આવી પડશે,

સત્તરસો ગોળીઓ ખાવી પડશે,

ત્યારે એક્બીજાને એ યાદ દેવડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

હું કહીશ કે હું પહેલો જઈશ,

તું કહીશ કે તું પહેલી જઈશ,

ત્યારે એક બીજાનાં ભવીષ્ય ભાખવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

 

મનમાં ગમગીની થશે,

આંખો જ્યારે ભીની થશે,

ત્યારે એક બીજાનાં આંસુડાં લુછવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.

  

–મૃગાંક શાહ

babham@hotmail.com

..વડોદરા..

28/09/2014

સાભાર- કવી શ્રી મૃગાંક શાહ , શ્રી ઉત્તમભાઈ ગજ્જર 

============================================

વી.વીની તારીખ 2012/08/17 ની પોસ્ટ નમ્બર 80 માં પ્રસ્તુત, અને ઉત્તમભાઈ એ જ અગાઉની ઈ-મેલમાં મોકલેલ ,સ્વ. કવી ડો. સુરેશ દલાલ રચિત ત્રણ મજાનાં ડોસા-ડોસી કાવ્યો પણ આ પોસ્ટની પૂર્તિ કરે છે .

સ્વ. ડો. સુરેશ દલાલ અને એમનાં ત્રણ ડોસા-ડોસી કાવ્યો.- શ્રધાંજલિ ભાગ-૨

Old Age -1

 

 

 

 

 

(547) શ્રી હરનીશ જાનીનો હાસ્ય લેખ “સીનીયર નામા” અને ઘડપણ વિશેના અન્ય લેખોનો ખજાનો .

એમના  ખુબ વંચાતા બ્લોગ ‘સન્ડે ઈમહેફીલ નાં માધ્યમથી ગુજરાતી ભાષાની અનન્ય સેવા બજાવી રહેલ જાણીતા સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે  ‘SeM’ની  306 : October 05, 2014 ની પોસ્ટમાં પ્રખ્યાત હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીનો ઘડપણ વિષય ઉપરનો ખુબ જ રમુજી લેખ “સીનીયરનામા” પ્રગટ કર્યો છે  .આ લેખ ઈ-મેલથી એમણે મને વાંચવા મોકલ્યો  જે વાંચતા જ મને ખુબ ગમી ગયો.

 

આ લેખમાં એવોર્ડ વિજેતા આ હાસ્ય લેખકે ઘડપણની કઠીનાઈઓની વાતો એમની આગવી રમુજી શૈલીમાં રજુ કરી હાસ્યની છોળો ઉડાડી છે  જે તમને પણ વાચવી ગમશે  .

 

હરનીશભાઈને થોડા દિવસો પહેલાં જ ૨૦૧૪ નો ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ( ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા) પ્રાપ્ત થયો છે .એ પહેલાં ૨૦૦૯ માં એમના હાસ્ય લેખોના પુસ્તક ‘સુશીલા’ને ગુજરાત સરકારની સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક ; ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘જ્યોતીન્દ્ર દવે’ પુરસ્કાર અને ૨૦૦૭ માં એમના “સુધન” પુસ્તકને સાહિત્ય અકાદમીનો હાસ્યસર્જનો માટેનો દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે .

શ્રી હરનીશ જાની અને શ્રીમતી હંસા જાની

શ્રી હરનીશ જાની અને શ્રીમતી હંસા જાની

 વિગતે પરિચય અહીં ક્લિક કરીને વાંચો 

 

હરનીશભાઈના “સીનીયર નામા ” લેખને નીચેની પી.ડી.એફ. ફાઈલની લીંક પર ક્લિક કરીને માણો .

 

 

આ લેખ ઉપરાંત શ્રી ઉત્તમભાઈએ  ઘડપણના વીષય પર  સન્ડે ઈમહેફીલ માં બીજા જાણીતા લેખકોના જે લેખો પ્રગટ થયા છે  એ બધાની પણ પી.ડી.એફ. ફાઈલો મને મોકલી છે  .આ બધા લેખો પણ વાચકોને અને ખાસ કરીને સીનીયર મિત્રોને વાંચવા ગમે એવા છે  . 

 

આ બધા લેખોને નીચેની લિંક  ઉપર ક્લિક કરીને વાચો અને માણો   .

 

 

શ્રી ઉત્તમભાઈ ગજ્જર  અને સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકોનો પરીચય

uttam-madhu-gajjar

શ્રી ઉત્તમ ગજ્જર   અને  શ્રીમતી મધુ ગજ્જર 
 
આ અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ નમ્બર 467 માં શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને  એમના બ્લોગ ગ ‘સન્ડે ઈમહેફીલ માં પ્રગટ ચૂંટેલા પસંદગીના લેખોની સાહિત્યના ખજાના જેવી ૧૩ ઈ-બુકોનો પરિચય  કરાવવામાં આવ્યો હતો એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો  .
 

( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો – એક પરીચય

 

Uttam & Madhukanta Gajjar,
53-Guraunagar, Varachha Road,
SURAT-395 006 -INDIA
Phone : (0261)255 3591
 
==============================================

 

ઘડપણ વિષય ઉપરના પ્રસિદ્ધ લેખકોના આ બધાં પ્રેરક લેખોને એક જગાએ રજુ કરતી આજની પોસ્ટ એક ઈ-બુકની ગરજ સારશે. ખાસ કરીને જીવનની સંધ્યાના અવનવા રંગોમાંથી પસાર થઇ રહેલ મારા જેવા સીનીયરો-વૃદ્ધ જનો માટે ઉપયોગી બનશે અને સારું વાચન પૂરું પાડશે એમાં મને કોઈ શંકા નથી.

 
આજની આ પોસ્ટને શક્ય બનાવવા માટે આદરણીય શ્રી ઉત્તમભાઈ અને પોસ્ટમાં રજુ થયેલ લેખોના સૌ લેખકોનો હું આભારી છું.
 
વિનોદ પટેલ 

 

( 540 ) કારણ કે હું છોકરી છું… લેખક શ્રી વીનેશ અંતાણી

  
આજની આ ઢીંગલી એ ભવિષ્યની ગૃહિણી છે...... બેટી બચાઓ

આજની આ ઢીંગલી એ ભવિષ્યની ગૃહિણી છે……
બેટી બચાઓ

આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ  હજુ આજે પણ સમાજનો મોટોભાગ દીકરી વિશે નકારાત્મક વિચારે છે.
 
વીનેશ અંતાણી
કારણ કે હું છોકરી છું…
Daughter
 
 
થોડા સમય પહેલાં ફેસબુક પર પ્રતિભાબહેને મારી નવલકથા ‘પ્રિયજન’માંથી એક સંવાદ એમની પોસ્ટ પર મૂક્યો હતો. હળવા મૂડની ક્ષણોમાં નવલકથાની નાયિકા ચારુનો પતિ દીવાકર પત્નીને કહે છે:
‘બુઢાપામાં જ્યારે તું મારામાંથી બધો રસ ગુમાવી બેઠી હશે ત્યારે એ છોકરી જ મને પ્રેમ કરશે… એના વહાલથી હું થોડા દિવસો કાઢી નાખીશ. પુત્રો ક્યારેય અવલંબન નથી બનતા… બુઢાપાના લાંબા લાંબા વેરાન રણને પાર કરવા એક દીકરી જોઇએ છે. એ દીકરી પણ તારી જ પ્રતિકૃિત હશેને? તું પણ બુઢ્ઢી થઇને ખખડી ગઇ હશે. ત્યારે તારી આ દીકરી જ તારું આ રૂપ સાચવીને બેઠી હશે.’
એ વાચ્યાં પછી ઘણા મિત્રોએ ફેસબુક પર આપણા જીવનમાં દીકરીના સ્થાન વિશે રસપ્રદ ચર્ચા કરી હતી.
 
ગમ્યું હતું. એટલા માટે નહીં કે મારી નવલકથાના અવતરણના સંદર્ભમાં ચર્ચા ચાલી હતી. પણ એટલા માટે કે આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ એ ચિત્ર કેટલું વ્યાપક છે? આપણે જે સદીમાં રહીએ છીએ એમાં અનેક પુરાણા ખ્યાલોમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવા છતાં સમાજનો ઘણો મોટોભાગ હજી દીકરી વિશે નકારાત્મક વિચારો ધરાવતો હોય એવા કેટલાય કિસ્સા નજરે ચઢે છે. યોગાનુયોગ હમણાં હું હિન્દીના સુપ્રસિદ્ધ નાટ્યકાર-વાર્તાકાર સ્વ. મોહન રાકેશની પત્ની અનીતા રાકેશની સ્મૃતિકથા ‘સતરેં ઔર સતરેં’ વાંચતો હતો. એમાં એમણે વિચ્છિન્ન દાંપત્યજીવનની સજા ભોગવતી માતા વિશે લખ્યું છે. અનીતા રાકેશની માને હિન્દીના સર્જકો સાથે ઊઠવાબેસવાનો સંબંધ હતો.
 
કલ્પી શકાય કે એમના વિચારો અન્ય મહિલાઓની સરખામણીમાં વધારે પુખ્ત અને સમજદાર હશે. પરંતુ એ જ મા અનીતા અને એના ભાઇ વચ્ચે કેવા ભેદભાવભર્યા વિચાર ધરાવતી હતી એ અનીતાના શબ્દોમાં જ જોઇએ. ‘અમારી મા દીકરી અને દીકરા વચ્ચે પણ બહુ મોટો તફાવત રાખતી હતી. માને મારો ભાઇ દરેક રીતે ચઢિયાતો લાગતો હતો અને બીજું કશું ન હોય તો પણ એનું ‘છોકરો’ હોવું જ એને બહુ મોટી લાયકાત લાગતી હતી. ‘એ કામ કરી શકે છે કારણ કે એ છોકરો છે. એ હસી શકે છે કારણ કે એ છોકરો છે. એ રમી શકે કારણ કે એ છોકરો છે…’ અર્થાત્, એ બધું કરી શકે છે કારણ કે એ છોકરો છે. મને કશું જ કરવાની છૂટ નહોતી કારણ કે હું છોકરી છું… હું મા માટે બહુ મોટું બંધન બની ગઇ હતી. એ પોતે એની મરજી મુજબ ક્યાંય જઇ-આવી શકતી નહોતી, ન તો મને પોતાની સાથે લઇ જઇ શકતી હતી.
 
એ ક્યાંય જતી તો મારા પર ભાઇનો ચોકીપહેરો મૂકી જતી… હું મારી બહેનપણીઓને મળું એ માને પસંદ નહોતું. એમની સાથે હું મોટેથી હસતી તો માને ગમતું નહીં. એ કારણે મારી કોઇ બહેનપણી નહોતી- હું સ્ટૂલ પર બેસીને બારીમાંથી જોયા કરતી અને જો કોઇ બહેનપણી આવે તો મારે બારી નીચે સંતાઇ જવું પડતું. જેથી મારો ભાઇ એને કહી શકે કે હું ઘરમાં નથી… મા માનતી હતી કે છોકરીએ વ્યસ્ત જ રહેવું જોઇએ. નહીંતર એનું મગજ બીજી દિશામાં ભટકવા લાગે છે…’ મોનિકા જૈનની હિન્દી કવિતા છે. જેમાં માના પેટમાં રહેલો છોકરીનો ગર્ભ આર્તનાદ કરે છે: ‘મને જીવવા દો. મને ખીલવા દો, મને સુંદર ચંદ્રની જેમ ચમકવા દો… મને આવવા દો અને આ દુિનયા જોવા દો. મને પક્ષીની જેમ ઊડવા દો… તમારા સ્વાર્થમાં આંધળા થઇને ક્રૂર બનજો નહીં, મને રંગબેરંગી માછલી જેમ તરવા દેજો… મારું રુદન સાંભળજો, મારી ચીસો સાંભળજો. મને મારી ઇચ્છાઓ અને સપનાં સાકાર કરવાની તક આપજો… મને આ સુંદર પૃથ્વી પર અવતરવાની તક આપજો. જન્મ પહેલાં જ મને મૃત્યુને ઘાટ ઉતારજો નહીં…’
 
નમિથા વર્માની અંગ્રેજી કવિતામાં એક છોકરી કહે છે:
‘હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં એક વાર મારા નાનાભાઇએ મારા પર કાચનો ટુકડો ફેંક્યો હતો અને મારા મોઢા પર કાયમી લાલ ચીરો અંકાઇ ગયો હતો… છતાં મેં એના હાથમાં કાચ કેમ આપ્યો એવું કહીને બધા મારા પર તૂટી પડ્યા… હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં ઊકળતા પાણીમાં મારી હથેળી દાઝી ગઇ હતી અને માએ મને ધમકાવી નાખી હતી કે મને ચૂલા પર મૂકેલી વસ્તુઓનું ધ્યાન રાખતાં આવડતું નથી… હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં પિતાએ મને પટ્ટાથી ફટકારી હતી કારણ કે મારો ભાઇ જમી લે એ પહેલાં મેં જમી લેવાનું પાપ કર્યું હતું…’ કોઇએ કહ્યું છે: ‘છોકરીઓ દુનિયાને તેજોમય બનાવે છે, પરંતુ પોતે અજવાળું જોવા માટે તડપતી રહે છે.’
 
આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ  હજુ આજે પણ સમાજનો મોટોભાગ દીકરી વિશે નકારાત્મક વિચારે છે.
 
વીનેશ અંતાણી

સૌજન્ય- દિવ્ય ભાસ્કર