૧૯ર૮ની સાલમાં ભારતના મુંબઇમાં સ્થપાયેલી ‘‘સાહિત્ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્યા સંસદ યુએસએ.’’ એની પ્રથમ સભા ફિલાડેલ્ફીયા ખાતે ૧૭ ડીસે.ના રોજ
ફિલાડેલ્ફીયા : અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપાસનાના શુભાશય સાથે ‘‘સાહિત્ય સંસદ યુએસએ’’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે કાર્યરત સાહિત્ય સંસદ સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચકે ગઈ ૨૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈથી આ જાહેરાત કરતા જણાવ્યું કે “સાહિત્ય સંસદ” ગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાનાં લક્ષ્યને વરેલી છે અને મુંબઈની આવા ઉદ્દેશ્ય સાથે કામ કરતી આ એક માત્ર સંસ્થા છે. સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો,ભાષાકર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાનામોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે પરંતુ એનું કાર્યસ્વરૂપ અલગ પ્રકારનું હોય છે.
જો કે ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં અનેક પ્રસ્થાપિત અને નવોદિત સર્જકો છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં ગુજરાતી ભાષાનાં સર્જનશીલો સાહિત્યકર્મ ક્ષેત્રે પ્રવૃત્ત છે. અમેરિકાની અમારી તાજેતરની અને અગાઉની મુલાકાત વેળા એ જોવા અને અનુભવવા મળ્યું અને તેનાથી પ્રેરાઈને જ સાહિત્ય સંસદનો કાર્યવિસ્તાર અમેરિકા સુધી પ્રસારવાનું બળ મળ્યું.
અમેરિકાના ન્યૂજર્સી નિવાસી જાણીતા લેખક, કવિ, જર્નાલિસ્ટ અને ખૂબ જાણીતા ટેલિવિઝન એંકર અને રેડિયો હોસ્ટ શ્રી વિજય ઠક્કરના પ્રમુખપદે સાહિત્ય સંસદ યુએસએનો શુભારંભ કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર અકિલા,રાજકોટ અખબારની આ લીંક પરથી વાંચો.
સાહિત્ય સંસદ યુએસએનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી વિજય ઠક્કરે જણાવ્યું કે સાહિત્ય સંસદની પ્રથમ બેઠક આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ ફિલાડેલ્ફીઆ ખાતે યોજાશે જેમાં ગુજરાતી ડાયસ્પોરાનાં ખ્યાતિપ્રાપ્ત વાર્તાકાર શ્રી રાહુલ શુક્લ એમનાં સર્જનો રજૂ કરશે.
આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૭ ના રોજ ૨૦૧૪માં ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાએલા શ્રી નરેન્દ્ર મોદીનો 67મો જન્મ દિવસ છે.
આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ પાઠવે છે.
PM Modi’s 67th birthday: A timeline of his life events
મુખ્ય મંત્રી તરીકે અનેક વર્ષોથી એમની કર્મ ભૂમિ બનેલી અને વતન ગુજરાતમાં આવીને આખા દિવસના ભરચક્ક કાર્યક્રમોમાં હાજરી આપીને એમની અનોખી રીતે એમણે એમનો જન્મ દિવસ ઉજવ્યો હતો.
જન્મ દિવસની શરૂઆત સવારે ૯૩ વર્ષીય માતા હીરાબાને મળી એમના આશીર્વાદ લઈને કરી હતી.
PM Modi meets his mother Heeraben on 67th birthday; Ground report from Gandhinagar
અંદાજે વીસેક મિનિટ માતા સાથે વિતાવી માતા હીરાબાના આશીર્વાદ લઈને તેઓ કેવડીયા કોલોની સરદાર સરોવર બંધ જવા રવાના થયા હતા.
૫૬ વર્ષને અંતે સરદાર સરોવર બંધ-નર્મદા યોજનાનું મોદીને હસ્તે એમના જન્મ દિવસે ઉદઘાટન.
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોના ભાગ્ય ઉઘાડનારી સરદાર સરોવર બંધ-નર્મદા યોજાનાનું આજે એમના જન્મ દિવસે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યુ છે. મા નર્મદાને ચૂંદડી ચડાવવાની વિધિ કરી મંત્રોચ્ચાર સાથે નર્મદા ડેમનું તેઓએ લોકાર્પણ કયુ હતું.
નોંધનીય છે કે હાલમાં જ ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી અપાઈ હતી. વધેલી ઉંચાઈ સાથે ડેમની કુલ ઉંચાઈ 138.68 મીટર કરી દેવાઈ હતી. જેથી 4.73 મિલિયન એકર ફૂટ પાણીનું તેમાં સંગ્રહ કરી શકાય છે. આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ યોજનાને કારણ લગભગ 10 લાખ ખેડૂતોને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. આ સિવાય 4 કરોડ જેટલી વસ્તીને પાણી પુરું પાડી શકાશે.
નોંધનીય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ દ્વારા 5 એપ્રિલ, 1961ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આ યોજનાની શરુઆત કરાઈ હતી.આજે 56 વર્ષ બાદ વિરોધીઓ ના અનેક અવરોધો પછી હવે પૂર્ણ કરાઈ છે.(સમાચાર સૌજન્ય- ગુજરાત સમાચાર )
PM Modi Speech At Inauguration Of Sardar Sarovar Dam In Gujarat
Narendra Modi’s latest speech on his Birth Day at Sahakar Sammelan in Amreli, Gujarat.He inaugurated Hare Krishna Sarovar and Building of Dairy Science College.
શ્રી નરેન્દ્ર મોદીનું જૂનું ઘર અને તેમની ચા ની દુકાન || જુવો તેમની નાનપણથી લઇ પીએમ સુધીની ટૂંકી જીવન ઝલક .
gujjurocks.in બ્લોગના સૌજન્યથી એની નીચેની લીંક પર શ્રી મોદીની સમયે સમયે લેવાએલ ઘણી તસ્વીરો સહિત એમની માહિતી સભર જીવન ઝરમર વાંચો .
બુલેટ ટ્રેઈનના ભૂમિ પૂજન અને અન્ય કામો માટે તારીખ ૧૩-૧૪ સપ્ટેમ્બરે બે દિવસ માટે અમદાવાદ પધારેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની પાક્કા ગુજરાતી યા અમદાવાદી જ થઈ ગયા હતા.
તેઓએ સૂટ-બૂટ છોડીને ખાદીના કપડાં અને મોદી જેકેટ પહેરી લીધા.એરપોર્ટથી ગાંધી આશ્રમના રોડ શોમાંખુલ્લી જીપમાં ઉભા રહી હાથ હલાવી હલાવીને અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે એમની સ્ટાઈલ પણ મોદીના જેવી જ દેખાતી હતી.કદાચ આવતાં પહેલાં બે-ત્રણ દિવસ સુધી મોદી સ્ટાઈલની પ્રેક્ટિસ કરી પણ હોય !આ બુલેટ ટ્રેઈન શરુ થાય ત્યારે જ્યારે બીજી વખત તેઓ આવશે ત્યારે તેઓ મોદી જેવી દાઢી વધારીને આવે તો નવાઈ ના પામશો.જો એમ કરે તો તેઓ અદ્દલ મોદી જેવા જ લાગશે !
જાપાની વડા પ્રધાનનાં પત્ની પણ સલવાર-સૂટમાં ઓળખી જ શકાતાં ન હતાં કે આ જાપાની વડાપ્રધાનનાં પત્ની છે. રોડ શોમાં મોદી સાહેબ અને આબેજીની પાછળ ઊભાં હતાં ત્યારે એમ જ લાગતું હતું કે, આ કોઈ ગુજરાતી બેન છે. ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકેશ પટેલે જણાવ્યું કે, અમે એમને પૂછ્યું કે તમારા માટે કયું જાપાની ફૂડ બનાવીએ? તેમનો જવાબ હતો કે,” હું તો શુદ્ધ અને શાકાહારી ગુજરાતી વ્યંજન જ ચાખવા માગું છું .”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની સીદી સૈયદની જાળી સામે આવેલા એમજી હાઉસની અગાશીએ હોટેલમાં ગુજરાતી ભોજનની જયાફત ઉડાવીને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ માટે અમદાવાદથી રવાના થયા હતા.
જાપાનની મદદથી શરુ થઇ રહી છે ભારતની પ્રથમ બુલેટ ટ્રેઈન
”ગઈકાલે હું અને મારાં પત્ની અમદાવાદ આવી પહોંચ્યા ત્યારબાદ રોડ શૉમાં જે રીતે ૫૦,૦૦૦ લોકોએ અમારા ભાવપૂર્ણ સ્વાગત કર્યું તેનાથી હું અને મારા પત્ની ખાસ્સા પ્રભાવિત થયા છીએ. તેથી જ હું પણ જીવનભર ભારતનો મિત્ર બનીને જ રહીશ. તેમણે કહ્યું હતું કે ભારત અને જાપાન જૂની મૈત્રીને જાળવી રાખીને આર્થિક સમૃદ્ધિની દિશામાં આગળ વધવા વચનબદ્ધ છે.”….જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે
ભારતની સૌ પ્રથમ અમદાવાદ-મુંબાઈ બુલેટ ટ્રેઈનના ભૂમિ પૂજન અને અન્ય કામો માટે બે દિવસ માટે અમદાવાદ પધારેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્નીનું ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અને અમદાવાદની જનતાએ અદભુત સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગનો સંપૂર્ણ અહેવાલ અને બુલેટ ટ્રેઈનની વિગતવાર માહિતી ગુજરાત સમાચારની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
ખૂબસૂરત’ અંદાજ મોદીનો : પાર્ટી અભી તો શરૂ હુઇ હૈ ! લાઈવ વાયરઃ વિનોદ પંડયા
મોદી વિરોધી એવા ટીકાકારો કહે છે કે ડિમોનિટાઇઝેશનથી કાળું નાણું અટકવાનું નથી. કબૂલ છે.પણ શરૂઆત તો ક્યાંકથી કરવી પડે ને! ડિમોનિટાઇઝેશનથી બાબુઓ ફ્ફ્ડી ઊઠયા છે. મોદી કહે છે કે લાંબી લડાઇની હજી તો આ શરૂઆત છે
હજારો યાતનાઓ સહન કરીને પણ દેશ સામૂહિકપણે નરેન્દ્ર મોદીની પડખે ઊભો રહી ગયો છે તે દર્શાવે છે કે લોકો ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની કૃત્રિમ સમાજ વ્યવસ્થાથી કેટલા તંગ આવી ગયા છે. ભ્રષ્ટાચાર કાળા નાણાંનો પિતા છે. ધારો કે તમામ જવાબદાર લોકો આવકવેરો ભરી દે અને સરકારી બાબુઓ અને પ્રધાનો એ આવક ચાંઉ કરી જાય તો ટેક્સ ભરવાનું કોઇ ઔચિત્ય રહેતું નથી.દેશના અનેક પ્રમાણિક કરદાતાઓ હમણાં સુધી આ અવઢવથી પીડાતા હતા. કર ભરીને પણ ફાયદો શો છે ? એવો સવાલ લોકો પૂછી રહ્યા હતા. ભ્રષ્ટાચારનો ભોરિંગ ત્યાં જ અટકતો નથી. બાબુઓ અને પ્રધાનો મૂળ કામ કરવાને બદલે પ્રજાને રંજાડીને, ડરાવીને પૈસા કમાવાના નવા રસ્તાઓ શોધવામાં રચ્યા પચ્યા રહે છે.
તાંજેતરમાં વિશ્વનાં જાણીતાં બે મેગેઝિન, ટાઈમ-TIME અને ‘ફોર્બ્સ’-FORBES એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને દરેક ભારતીયને ગૌરવ અપાવે એવા સમાચાર આપ્યા છે.
‘ટાઈમ’ મેગેઝિન દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં રીડર્સ કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૬ ની ‘પર્સન ઓફ ધ યર’ માટેની હરીફાઈમાં, અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પૂતિનને પાછળ રાખીને ઓનલાઈન વોટિંગમાં સર્વાધિક ૧૮ ટકા મતો મેળવ્યા હતા.
જોકે, ‘ટાઈમ’ મેગેઝિનએ પર્સન ઓફ ધ યરની ૭મી ડિસેમ્બરે જે જાહેરાત કરી એમાં ઓછા મત હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પને આ માન આપ્યું છે.
હું TIME મેગેઝીન લવાજમથી મંગાવું છું. એના ડીસેમ્બર ૧૯, ના અંક ના કવર પેજ પર ડોનાલ્ડ ટ્રમ્પ નો આ ફોટો છાપ્યો છે.
કવર પેજ પર DONALD TRUMP ના નામ નીચે આ મેગેઝીને એમની ઓળખ PRESIDENT OF THE DIVIDED STATES OF AMERICA એ રીતે આપી છે એ ઘણી સૂચક છે !
અગાઉ આ સિદ્ધિ હાંસલ કરી ચૂકેલી વ્યક્તિઓના નામ છેઃ ફેસબુક સહ-સ્થાપક માર્ક ઝુકરબર્ગ (2010), ઈબોલા ફાઈટર્સ (2014) અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (2015).
એક ગુજરાતી અને ભારતીય તરીકે ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના ફલક ઉપર મેળવેલ આવી સિધ્ધિઓ ગૌરવશાળી છે.આ પ્રાપ્ત કરવા બદલ એમને સલામ સાથે અભિનંદન .
કઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’ થયો જમીનદોસ્ત-ફોટો સૌજન્ય-ચિત્રલેખા
હિમાલયની ગોદમાં શાંતિથી સમય બસર કરી રહેલ વિશ્વના એક માત્ર હિંદુ રાષ્ટ્ર નેપાળમાં શનિવાર, ૨૫ એપ્રિલે આવેલા હચમચાવી મુકનાર ૭.૮ની તીવ્રતા સાથેના ભયાનક ભૂકંપે કાઠમંડુ અને અન્ય જગાઓએ વિનાશ સર્જ્યો છે. નેપાળ અને ભારતમાં ભૂકંપથી જાન માલનું ભારે નુકસાન થયું છે. મિનિટોના ગાળામાં જ હજારો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ હતી .
આ ભૂકંપે કાઠમંડુમાં ભારે વિનાશ વેર્યો છે.નેપાળની ઓળખસમાન કઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’અને અનેક ઐતિહાસિક ઈમારતોને જમીનદોસ્ત કરી છે કે નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં પણ આ ભૂકંપથી ઘણું નુકસાન થયું છે.
આ લખાય છે ત્યારે છેલ્લા સમાચાર પ્રમાણે જાનહાનીનો આંકડો ૪૦૦૦ની સંખ્યા વટાવી ગયો છે .જેમ દિવસ જાય છે એમ મોતનો આંકડો વધી રહ્યો છે. હજુ મોતનો આંકડો ૧૦૦૦૦ સુધી વધે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ નજીક ઓછામાં ઓછા ૨૨ પર્વતારોહીના મોત થઇ ગયાં છે.
વિશ્વમાં આફતો બે પ્રકારની હોય છે .એક કુદરતી અને બીજી માનવ સર્જિત .ભારે વરસાદ,અતિ વૃષ્ટિ, અના વૃષ્ટિ , પુર ,વાવાઝોડા . દુકાળ અને ધરતીકંપ જેવી આફતો એ કુદરતી આફતો છે જ્યારે યુદ્ધ, આતકવાદ વિગેરેથી થતી જાનહાની એ મનુષ્ય સર્જિત આફતો છે. હાલ યમન અને અખાતી દેશોમાં જે મનુષ્ય હાની થાય છે એ મનુષ્ય સર્જિત છે.
આધુનિક સગવડો ને ટી.વી.માધ્યમોથી આ ભયાનકતાનો ચીતાર સૌને હવે ઘેર બેઠાં મળી જાય છે .ABC NEWS નો આ વિડીઓનાં દ્રશ્યો હૃદયદ્રાવી છે.
Nepal Earthquake Leaves Thousands Dead
અહીં અમેરિકામાં સુંદર મકાનમાં આરામદાયક સોફામાં બેસી ટી.વી.ઉપર આ કુદરતી આફતનાં દ્રશ્યો જોઈ રહ્યો છું ત્યારે મૃત આત્માઓ અને ઘવાએલ લોકોની આ આપત્તિમાં લાચાર અને અસહાય સ્થિતિ જોઈ મનમાં જે સંવેદનાઓ જાગે છે એને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે એમ છે.
મારી સંવેદનાઓ મારી આ રચનામાં વ્યક્ત થાય છે .
માનવ અને કુદરત
ધરતીકંપ જેવી કુદરતી આફતો ત્રાટકે છે જ્યારે,
મનુષ્યની લાચારી અસહાયતા વર્તાય છે ત્યારે!
યુદ્ધ,આતંકવાદ જેવી માનવ સર્જિત આફતોમાં,
આખાએ વિશ્વની શાંતિ જોખમાઈ રહી છે આજે!
ધ્રુજી ધરા રુદ્રના તાંડવ નૃત્યથી જાણે નેપાળમાં,
જમીનદોસ્ત થયું બધું, પત્તાંનો મહેલ હોય જાણે !
જાન માલ હાનીનાં દ્રશ્યો હૃદય કંપાવી જાય છે,
શબ્દો ઓછા છે ,સંવેદના અભિવ્યક્ત કરવા માટે .
ભૂકંપમાં મૃત આત્માઓને પ્રભુ ચીર શાંતિ આપજો,
આપત્તિમાં પડેલ દુખીઓના દુઃખને સહ્ય બનાવજો.
વિનોદ પટેલ
આવા કુદરતી સંકટ ના સમયે ચોમેર માનવતાનાં જે દર્શન થઇ રહ્યાં છે એ સરાહનીય છે.દેશ અને દુનિયામાંથી રાહત ટુકડીઓ નેપાળને માનસિક અને ભૌતિક રીતે બેઠું કરવાના સેવા કાર્યમાં લાગી ગઈ છે એ જોઇને થાય છે કે હજુ માનવતા મરી પરવારી નથી.
દેશભરમાંથી ઉત્સાહી યુવકો,સ્વયંસેવકો,ડોકટરો ,આપણા સશસ્ત્ર દળોના જવાનો ઘટના સ્થળે પહોંચી જઈને જરૂરી મદદ અને રાહત કામે લાગી ગયા છે.
લોકો રોકડ નાણાં, સાધનસામગ્રી તથા દવાઓના રૂપમાં રાહત કાર્યો માટેનું યોગદાન આપી રહ્યા છે.રાજકીય પક્ષો પણ મતભેદો ભૂલી બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે એ શુભ ચિન્હ છે .પાર્લામેન્ટના સભ્યો એમના એક મહિનાનો પગાર રાહત કામો માટે આપવાનું જાહેર કર્યું છે.
સેવાના આ યજ્ઞમાં સૌ શક્ય એટલો ફાળો આપે એવી આશા .
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણીના “મન કી બાત “ મારફતે દેશ જોગ જે પ્રસંગોચિત સંદેશ આપ્યો છે એ નીચેના વિડીયોમાં પ્રસ્તુત છે.
એક યુવાને ઓબામાને ચેતવ્યા, ‘મારી ગર્લ ફ્રેન્ડથી તમે દૂર રહેજો ’
ઓક્ટોબર ૨૦૧૪ માં થયેલ અમેરિકાની કોંગ્રેસની ચુંટણીમાં પોલીંગ બુથ ઉપર શિકાગોમાં મત આપવા ગયેલા વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખને એક સમાન્ય યુવાને તેની ગર્લ્ફેન્ડથી દૂર રહેવા જણાવી દીધું હતું.
જોકે આ આખીય ઘટના એક મજાક હતી.
શિકાગોમાં મતદાન કેન્દ્રમાં આઇયા કૂપર નામની યુવતી મત આપવા તેના બોયફ્રેન્ડ માઈક સાથે આવી હતી.બરાક ઓબામા પણ આ મત મથકે મત આપવા આવ્યા હતા.
મત આપી રહેલા ઓબામાની બાજુમાં આઇયા કૂપર પણ મત આપી રહી હતી.
મત આપી રહેલા ઓબામા આ વાત પર હસવા લાગ્યા અને બાજુમાં મત આપી રહેલી આઈયાને એમણે કહ્યું, ”આ ભાઈના વર્તને કોઈ જ કારણ વિના મને શરમમાં મૂકી દીધો છે.”
આ દરમિયાન ખડખડાટ હંસી રહેલી કૂપરે ઓબામાની માફી માંગી.
ઓબામાએ પણ આ ટીખળનો જવાબ આપતાં કહ્યું:
“ હું માની શકતો નથી કે તારો ફ્રેન્ડ માઇક ખૂબ મુર્ખ છે. હું થોડી વાર માટે તો ડઘાઇ ગયો હતો. પરંતુ સારી વાત એ છે કે આ પ્રમુખને માટે આ સારી વાત છે.”
ઓબામાએ પછી આ છોકરીને કહ્યું “ચાલ તારા બોયફ્રેન્ડ માઈકને જલાવવા માટે તને કિસ કરું .” એમ કહી ઓબામાએ આ યુવતીના ગાલ ઉપર કિસ કરી લીધી .
બરાક ઓબામા ઘણા ફ્રેન્ડલી પ્રેસિડેન્ટ માનવામાં આવે છે. અન્ય અમેરિકન પ્રમુખોની સરખામણીએ સામાન્ય લોકો સાથેનો તેમનો રેપો ઘણો સારો હોય છે. તેઓ જાહેરમાં કોઈ પણ નાગરિકને ખૂબ સહજતાથી મળે છે.
શિકાગોમાં બનેલી આ ઘટનાએ અમેરિકન મીડિયાને એક મોટો મસાલો આપી દીધો હતો .
અમેરિકન મીડિયાએ કેવી રીતે આ ઘટનાની નોઁધ લીધી હતી એ CNN ટી.વી. ચેનલ ના આ વિડીયોમાં જુઓ.આ વિડીયોમાં પ્રેસીડન્ટની મજાક કરવાની હિંમત કરનાર માઈક અને એની ગર્લ ફ્રેન્ડ નો ઈન્ટરવ્યું પણ જોવા/સાંભળવા મળશે.
Hilarious Moment: Chicago Voter Teases Obama: ‘Don’t Touch My Girlfriend’
સેન્સ ઓફ હ્યુમર અને રાજકીય નેતાઓ
ચાયનીઝ ફિલોસોફર લીન યુટાંગે તેના પુસ્તક ‘ઈમ્પોર્ટન્સ ઓફ લીવીંગ’માં એણે સેન્સ ઓફ હ્યુમર વિશે લંબાણથી લખ્યું છે.
લીન યુટાંગે લખ્યું છે કે, ‘માનવીની જીંદગીમાં સેન્સ ઓફ હ્યુમર હોવી જોઈએ. તેણે બધું જ રમૂજમાં હળવાશથી લેવું જોઈએ. સતત રમૂજમાં રહેવું તે ઈશ્વરી ગુણ છે.હ્યુમર માણસના શરીરમાં રાસાયણીક ફેરફાર કરે છે. પોલીટીકસ અને ફિલોસોફીમાં પણ હ્યુમર-રમૂજનું તત્વ હોવું જોઈએ.”
લીન યુટાંગ વધુમાં લખે છે કે, અમેરિકન પ્રમુખ ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટને તમામ અમેરિકનો ચાહતા. કારણ કે રૂઝવેલ્ટમાં બહુ જ સેન્સ ઓફ હ્યુમર હતી, પણ કમભાગ્યે મોટા ભાગના જર્મન ડિરેક્ટરો- સરમુખત્યારો હસી શકતા નહીં, તેથી જર્મન સામ્રાજ્ય નષ્ટ થયું. હીટલર ખાનગીમાં રમૂજ કરતા, પણ એ પર્યાપ્ત નહોતું. “
(શ્રી કાંતિ ભટ્ટ ના એક લેખમાંથી સાભાર)
શ્રી નરેન્દ્ર મોદીએ ઓબામા પાસેથી રમુજ વૃતિ શીખવી જોઈએ એમ તમને નથી લાગતું !
અમેરિકન અને ભારતીય નેતાઓ !
આ ચિત્રમાં દુનિયાના સુપર પાવર અમેરિકાના પ્રેસીડન્ટ મત આપતી વખતે એમનું આઈ.ડી.બતાવી રહ્યા છે.એ વખતે ત્યાં ફરજ બજાવતી મહિલાઓમાંથી ઓબામાને જોઈને કોઈ ઉભું પણ થતું નથી.
હવે આ ચિત્ર જુઓ ભારતીય રાજકીય નેતા જય લલીતાને જોઇને પગે પડતા ખુશામતિયા લોકોની વ્યક્તિ પૂજાનો એક નમુનો .
અમેરિકન અને ભારતીય લોકશાહીનો આ છે એક જમીન આસમાન જેટલો ફરક !!!
વાચકોના પ્રતિભાવ