વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: સ્વ.કુસુમબેનને સ્મરણાંજલિ

1298 – સ્વ. ધર્મપત્ની કુસુમબેનની ૨૭મી પુણ્ય તિથીએ હાર્દિક ભાવાંજલિ

આજે ૧૪ મી એપ્રિલ,૨૦૧૯ એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમબેન  વી. પટેલ ની ૨૭ મી

પુણ્યતિથીનો દિવસ છે .

સમય કેવો ઝડપથી વહી ગયો છે,છતાં ગત આત્માનાં

મધુરાં સ્મરણો બધાં ક્યાં ભૂલાય છે!

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,

ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ,પાનખર બની ખરી ગયાં !

આ દિવસે અગાઉની કાવ્ય રચના થોડી મઠારી સદગત  આત્માને ભાવાંજલિ અર્પું છું.  

સ્વ. કુસુમ વિ.પટેલને કાવ્યાંજલિ

એ ગોઝારા દિવસે અમોને ખબર ક્યાં હતી કે,

પ્રભુ તમારા નામનો સાદ પાડી બોલાવી લેશે.

એ દિવસે પ્રભુએ જ્યારે તમોને બોલાવી લીધાં,

કેટલાં બધાં સ્મરણો પાછળ મૂકીને તમે ગયાં!

ગુમાવી તમોને હૃદયભંગ થયાં સૌ પરિવાર જનો,

તમારા જતાં જાણે એક શૂન્યાવકાશ રચાઈ ગયો.

પરીવાર સાંકળ નંદવાઈ તમારી દુખદ વિદાયથી,

પણ લાગ્યા કરે,તમે છો અહીં જ કંઇક આસપાસમાં.

આજે ભલે નથી નજર સામે,તમે ઓ દિવ્યાત્મા,

છતાં સ્મૃતિ-મૂર્તિ તમારી બિરાજતી હૃદય મંદિરમાં

શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો એ બધા આપના,

૨૭મી પુણ્યતિથીએ,અર્પું કાવ્યાંજલિ તમોને ભાવથી 

વિનોદ પટેલ,

૪-૧૪-૨૦૧૯ 

 “The song is ended, but the melody lingers “

– Irving Berlin

 

 

કુસુમાંજલિ … ઈ-બુક  

 

સ્વ. કુસુમબેન ને ગમતા ભજનો .. ભજનાવલી

 

જાણીતા કવિ સ્વ.સુરેશ દલાલ ની એક પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના 

તારા વિના …

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં 
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા. 
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

– સુરેશ દલાલ

1176- સ્વ.કુસુમબેન વિ.પટેલની પુણ્યતિથીએ હાર્દિક શ્રધાંજલિ

સ્વ.કુસુમબેન વિનોદભાઈ પટેલ 

(જન્મ-ફેબ્રુઆરી ૧,૧૯૩૮ …….સ્વર્ગવાસ-એપ્રિલ ૧૪,૧૯૯૨)

આજે ૧૪ મી એપ્રિલ,૨૦૧૮ એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમ વી. પટેલ ની ૨૬ મી પુણ્યતિથીનો દિવસ છે.એમની વિદાયને ૨૬ વર્ષ પસાર થઇ ગયાં એ મનાતું નથી.

આજના આ દિવસે નીચેની રચનાથી સ્વ. કુસુમને શ્રધાંજલિ આપું છું. 

કાવ્યાંજલિ 

જિંદગીની આ તો કેવી કરુણતા છે કે,

હર દિન નજર સમક્ષ રહેતું પ્રિય જન,

એક દિન છબીમાં મઢાઈ જાય છે !

વિદાય થાય પણ યાદો મૂકી જાય છે!

સમય કેવો ઝડપથી વહી ગયો છે,

છતાં સ્મરણો બધાં ક્યાં ભૂલાય છે!

ભલે સદેહે તમે આજ સમીપ હાજર નથી,

તમારા શબ્દો હવામાં હજી જાણે ગુંજતા.

***     ***      ***

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના,

તસ્વીરો જોઈ તમારી,તાજાં થતાં અમને સૌ સંસ્મરણો.

શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો એ બધા આપના,

છવીસમી પુણ્યતિથીએ,અર્પું શ્રધાંજલિ,આ ચંદ શબ્દો થકી.

વિનોદ પટેલ, તારીખ ૪-૧૪-૨૦૧૮ 

The song is ended, but the melody lingers “
– Irving Berlin

 

યાદ આવી ગઈ અમદાવાદી શાયર સ્વ.આદિલ સાહેબની આ ભાવસભર રચના 

દિલમાં  કોઇની યાદનાં પગલાં રહી ગયાં ,

ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.

કહેવાનું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,

‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
ઠંડા હ્રદયમાં ગુંજતા કોઇ પડઘા રહી ગયા,

વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.

સ્વ.આદિલ મનસુરી 

“કુસુમાંજલિ”-ઈ-બુક 

૧૪ મી એપ્રિલ,૨૦૧૫ ના રોજ, કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીના દિવસે એમના પુણ્ય સ્મરણાર્થે પ્રતિલિપિના સહકારથી “કુસુમાંજલિ” એ નામે એક ઈ-બુક” ને ગુજરાતી સાહિત્ય રસિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ ઈ-પુસ્તકમાં સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર જેમાં અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના પ્રસંગો,મારા ચૂંટેલા ચિંતન લેખો, વાર્તાઓ, કાવ્યો વિગેરે વિવિધ સાહિત્યથી સદગત આત્માને શ્રધાંજલિ આપવામાં આવી હતી.

નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી આ ઈ-પુસ્તક વાંચી શકશો.

kusumaanjali- big-2

‘કુસુમાંજલિ” માં ભજનાવલિ

આ ઈ-બુકને અંતે સ્વ.કુસુમબેનને પસંદ હતાં એવાં લગભગ ૪૦ ચૂંટેલાં ભજનો,આરતીઓ તથા અન્ય આધ્યાત્મિક પ્રસાદીને સમાવીને એક મીની ઈ-બુક જેવી ભજનાવલિ પણ આ ઈ-બુકમાં સામેલ કરેલી છે એ પણ જરૂર જોશો.

પ્રાર્થના પોથી

ને ગમતા પ્રાર્થના-ભજનોના બે યુ-ટ્યુબ વિડીયો….
Prarthana Pothi : પ્રાર્થના પોથી : Gujarati Prarthana- (Part 1)

Prarthana Pothi : પ્રાર્થના પોથી : Gujarati Prarthana-(Part 2)

જે જીવ આવ્યો છે આપ પાસે,ચરણમાં અપનાવજો,
પરમાત્મા,એ દિવ્ય આત્માને શાંતિ સાચી આપજો.

વિનોદ પટેલ, સાન ડિયાગો,

એપ્રિલ ૧૪,૨૦૧૮

( 1043 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૫મી પુણ્યતિથીએ સ્મરણાંજલિ

આજે ભલે નથી નજર સામે,તમે ઓ દિવ્યાત્મા,
સ્મૃતિ મૂર્તિ તમારી બિરાજે અમ હૃદય મંદિરમાં

આજે ૧૪ મી એપ્રિલ ,૨૦૧૭  એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમ વી. પટેલ ની ૨૫મી પુણ્યતિથીનો દિવસ છે.

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,
ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ ,પાનખર બની ખરી ગયાં !

આજના આ દિવસે મારી આ રચનાથી સ્વ. કુસુમને શ્રધાંજલિ આપું છું.

તૂટેલી પરિવાર સાંકળ

એ ગોઝારા દિને અમોને ક્યાં ખબર હતી કે ,
પ્રભુ તમારા નામનો સાદ પાડી બોલાવી લેશે.

એ દિવસે પ્રભુએ જ્યારે તમોને બોલાવી લીધાં,
કેટલાં બધાં સ્મરણો પાછળ મૂકીને તમે ગયાં!

તમોને ગુમાવીને હૃદય ભંગ થયાં પરિવાર જનો,
તમારા જતાં જાણે એક શૂન્યાવકાશ રચાઈ ગયો.

પરીવાર સાંકળ તૂટી ગઈ છે તમારા વિદાય થતાં,
તો પણ લાગ્યા કરે,તમે છો અહીં જ આસપાસમાં.

પ્રભુ જ્યારે એક દિવસ અમોને પણ બોલાવી લેશે,
તૂટેલી એ પરીવાર સાંકળ પાછી ફરી સંધાઈ જશે.

વિનોદ પટેલ,૪-૧૫-૨૦૧૭

 “કુસુમાંજલિ “ -ઈ બુક

આ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી એમની ૨૩મી પુણ્યતિથીએ મારાં કાવ્યો ,વાર્તાઓ ,ચિંતન લેખો ,ભજનાવલિ,સ્વ.કુસુમબેનની જીવન ઝરમર વિગેરે સાહિત્ય સામગ્રીનો નો સમાવિષ્ટ કરી “કુસુમાંજલિ ” નામની એક ઈ-પુસ્તક પ્રતિલિપિના સહકારથી પ્રકાશિત કરવામાં આવી હતી.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આ ઈ-બુક વાંચી શકાશે.

(પ્રકાશન-તારીખ – ૧૪મી એપ્રિલ ૨૦૧૫)

The song is ended …. but the melody lingers ……

-Irving Berlin

 શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં

ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.

કોની લાગી રહી છે બીક બિન કારણ તને.

કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?

આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.

ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે

જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે

જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે

બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં

ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?

વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.

શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.

શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,

શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો

ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો

જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.

દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું

તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે

જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.

ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું

ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.

જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું

થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.

બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો

સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.

જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને

જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.

ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે.

પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે

માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.

એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ

બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.

મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા

ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા

એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.

આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં

અને “તું” છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.

દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી

દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.

કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી “તું” કોણ છું ?

સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને

અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.

પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે

શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.

જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ

જો પછી કેવી સદાને માટે—-

આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .

અંગ્રેજીમાંથી અનુવાદ  – વિનોદ પટે

( 893 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ હાર્દિક સ્મરણાંજલિ

અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસની લાંબી માંદગી બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું .આ દુખદ પ્રસંગને આજ કાલ કરતાં ૨૪ વર્ષ થઇ ગયાં ! સમય સમયનું કામ કર્યે જાય છે.  

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,

ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ , પાનખર બની ખરી ગયાં !

આજે ૧૪મી એપ્રિલ ૨૦૧૬ ના દિવસે સ્વ.કુસુમબેનની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ એમને હાર્દિક સ્મરણાંજલિ આ પોસ્ટ દ્વારા આપું છું.

 

 

સ્વ.કુસુમબેન વિનોદભાઈ પટેલ
(જન્મ-ફેબ્રુઆરી ૧,૧૯૩૮ …….સ્વર્ગવાસ-એપ્રિલ ૧૪,૧૯૯૨)

હાર્દિક કાવ્યાંજલિ

ગોઝારા એ કરુણ દિને હૃદય અમારાં ભગ્ન થયાં હતાં, 

પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં .

નશ્વરદેહ તમારો ભલે પંચ મહાભૂતમાં ભળી ગયો,

મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા.

વેદનાઓ, કષ્ટો સહ્યાં અત્યંત ધીરજથી, બેશબ્દ રહી,

જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં.

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના,

તસ્વીરો જોઈ તમારી, તાજાં થતાં અમને સૌ સંસ્મરણો.

શબ્દો ઓછા પડે ખરે ગણવા ઉપકારો અમ પર આપના,

ચોવીસમી પુણ્યતિથીએ અર્પું, શ્રધાંજલિ અલ્પ શબ્દો થકી.

૧૪મી અપ્રિલ,૨૦૧૬ —વિનોદ પટેલ

“કુસુમાંજલિ “ -ઈ બુક

ગયા વરસે સ્વ.કુસુમબેનની ૨૩મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી પ્રતિલિપિ ના સહયોગમાં “કુસુમાંજલિ “ નામની એક ઈ-બુક બહાર પાડવામાં આવી હતી.

કભી ખુશી,કભી ગમનો અહેસાસ કરાવતા અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિઓ એમાં તમને આમુખ -પ્રસ્તાવના ,સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર અને મારું જીવન વૃતાંત,ભજન સંગ્રહ વી.આ આ ઈ-પુસ્તકમાંથી વાંચવા મળશે .

ઉપરાંત મારા ગુજરાતી બ્લોગ “વિનોદ વિહાર”માં પ્રકાશિત મારા સ્વ-રચિત ઘણા લેખો, વાર્તાઓ, કાવ્યો ,ચિંતન લેખો વી.માંથી મારી પસંદગીની રચનાઓનો પણ એમાં સમાવેશ કરી કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીએ એમની યાદમાં “કુસુમાંજલિ” ઈ-બુક દ્વારા શ્રધાંજલિ આપવામાં આવી હતી.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આ ઈ-બુકને વાંચી શકાશે.

kusumaanjali- big-2

આજના દિને મને ગમતી પાંડીચેરી અરવિંદ આશ્રમનાં શ્રી માતાજી રચિત એક પ્રાર્થના

પ્રાર્થના
હે પ્રભુ ! હે પરમાત્મન ! હે ગુરુદેવ !
મારા સર્વ વિચારો,મારી સર્વ ઉર્મિઓ,
મારા સર્વ મનોરથો મારા દેહનું અણું એ અણું,
મારા લોહીનું બિંદુએ બિંદુ તારામય હો.
તારા જગતની સેવા માટે હો.

હે પ્રભુ ! તારી ઈચ્છા એ મારી ઈચ્છા હો,
મારા જીવનને તારી ઈચ્છા મુજબ બનાવ,
મારા જીવનમાં જે કંઇ સંજોગો નિર્માણ કરીશ,
ભલે તે સુખ કે દુખના હોય, લાભ કે હાનિના હોય,
હર્ષ કે શોકના હોય, અરે ! જીવન કે મૃત્યુના હોય ,
તો પણ તે બધા સંજોગો મારા કલ્યાણને માટે જ
તેં સર્જ્યા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.

—–શ્રી માતાજી (અરવિંદ આશ્રમ ,પાંડિચેરી)

गीता सार
Gita sar

 જિંદગીની આ તો કેવી છે કરુણતા કે,

નજર સમક્ષ રોજ  રહેતાં  પ્રિય જન,

એક દિન છબીઓમાં મઢાઈ જાય છે ! 

વિદાય થાય પણ યાદો રહી જાય છે!

વિનોદ પટેલ