એ એક જાણીતી હકીકત છે કે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે.ગુજરાતીઓની મુખ્ય બે ચિંતાઓ હોય છે. એક તો વજન વધી ગયું છે એને કેવી રીતે ઉતારવું અને બીજી ચિંતા હોય છે કે આજે ખાવામાં શું નવું છે !ખાવાની વાનગીઓની નવીનતામાં ગુજરાતી માનતો હોય છે.પરદેશી વાનગી પીઝા જેવી ખાવાની વાનગીઓમાં અલગ સ્વાદ ઉમેરીને ખાવાની કમાલ તો ગુજરાતીઓમાં જ જોવા મળે !
આજે કોઈ પણ પ્રખ્યાત ગુજરાતી રેસ્ટોરંટની ગુજરાતી થાળીની વાનગીઓની વિવિધતામાં ગુજરાતીઓનો ખાવાનો શોખ જોઈ શકાય છે.જુઓ આ વિડીયો.
ગુજરાતીઓ રૂપિયા કમાવાના માહિર તો હોય જ છે એની સાથે એમનો ખાવાનો શોખ ખૂબ જાણીતો છે.રજાઓમાં ફરવા જાય ત્યારે પણ સાથે આખા કુટુંબ માટે ખૂબ બધા નાસ્તા લઈને જતા હોય છે.ડબ્બાઓ ભરીને સેવ મમરા, ઢેબરાં,ગાંઠિયાં,સુખડી,પૂરીઓ, અથાણાં વિ.સાથે લઈને નીકળે છે.ટ્રેન ઉપડવાના અડધા કલાકમાં જ આખું કુટુંબ લહેજતથી નાસ્તાઓ ઝાપટવા માંડે છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
ગુજરાતીઓના એક બીજા ફરવાના શોખના કારણે તેઓ પરદેશની ટૂરમાં જાય તો ત્યાં પણ એમને ગુજરાતી થાળી અને અન્ય વાનગીઓ ખાવા માટે ઉપલબ્ધ બને છે.
અમેરિકામાં જ્યાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધુ હોય એવા ન્યુ જર્સી ,ન્યુયોર્ક,શિકાગો,લોસ એન્જેલસ,સાન ફ્રાંસીસ્કો જેવા શહેરોમાં ગુજરાતીઓની રેસ્ટોરન્ટો ધૂમ કમાણી કરતી હોય છે.આની પાછળ ગુજરાતીઓનો ખાવાનો શોખ કારણભૂત હોય છે.
ગુજરાતીઓ પરદેશના પ્રવાસે જાય ત્યારે પણ વિમાનમાં ડબ્બા ખોલીને ઘેરથી લાવેલો નાસ્તો કરતા જોવા મળે છે.એ વખતે વિમાનમાં એમની ઢેબરાં અથાણાં જેવી વાનગીઓની સુગંધ (કે ગંધ !)પ્રસરી જતી હોય છે અને અન્ય પ્રવાસીઓનું પણ ધ્યાન ખેંચે છે.!છતાં ખાવાના શોખ પાછળ ગુજરાતીઓ લાચાર હોઈ એને તેઓ નજર અંદાજ કરે છે.
લગ્નના જમણવારમાં ગુજરાતીઓનો ખાવાનો શોખ નજરે પડે છે.આજકાલ થતાં ગુજરાતીઓના લગ્ન પ્રસંગોએ એટલી બધી વિવિધતા ગુજરાતી વાનગીઓમાં હોય છે એટલી કદાચ બીજે જોવા નહિ મળે.
મારા એક વોટ્સેપી મિત્રે મને હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસના હાસ્ય પ્રોગ્રામનો એક કોમેડી વિડીયો મોકલ્યો છે એમાં ડો. અવનીએ ગુજરાતીઓના ખાવાના શીખને એમની આગવી રીતે સરસ રજુ કર્યો છે.
આ કોમેડી વિડીયો ડો. અવની વ્યાસ અને રામ ઓડિયોના આભાર સાથે
નીચે પ્રસ્તુત છે. આપને એ જરૂર ગમશે.
ખાવા માટે તો જીવી છીએ
Gujarati Comedy Video 2019 – Ram Audio
Artist:Dr.Avani Vyas .Script:Jitendra Vyas…
ડો.અવની વ્યાસના આવા બીજા કોમેડી વિડીયો જોવા માટે એમની
” મળ્યા જે જખ્મો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા.”
પ્રેરક જીવનમંત્ર “ Do you want to be a humorist?
Where are your tears?”
માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકનાં જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.
એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે કે સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી.આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો પછી વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી.
શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરાં વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’
મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’
બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું-‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’
બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા.
જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી.
શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.’
કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં.
હેનરી ફોર્ડને સફળ લગ્નજીવન અને સફળ દાંપત્યનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને સફળતાને બે જ શબ્દોમાં સમાવી: ‘એક જ મોડેલ.’
અસહકારના આંદોલનમાં વિદેશી ભારતીયોનો સહકાર મેળવવા સરોજિની નાયડુને પૂર્વ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવ્યાં હતાં. જુદા જુદા ભારતીય સમાજો તરફથી તેમનું સન્માન કરવામાં આવતું અને પ્રવચનો યોજાતાં એમાં એક ભારતીય સમાજ તરફથી વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રમુખ વક્તા એક શ્રીમંત ગૃહસ્થ હતા. તેમની સંપત્તિ જેટલી હતી તેના પ્રમાણમાં જ્ઞાન ઓછું હતું અને અંગ્રેજીનું જ્ઞાન સાવ સીમિત. એક શિક્ષકે તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું હતું, જેમાં સરોજિની નાયડુની પ્રશંસા, સન્માન અને અભિનંદન આવરી લેવામાં આવ્યાં હતાં.
શિક્ષકે તૈયાર કરેલા પ્રવચનમાં એક જગ્યાએ સરોજિની નાયડુનું લોકપ્રિય બીજું નામ ‘સુપ્રસિદ્ધ ભારતીય મહિલા’, ‘ભારતીય કોકિલા’, ‘ફેમસ નાઈટિંગેલ ઓફ ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય વક્તા પ્રવચન વાંચતાં વાંચતાં અહીં સુધી પહોંચ્યા અને મુશ્કેલી સર્જાઈ. ‘નાઈટિંગેલ’ શબ્દ તેમને સમજાયો નહીં, પરંતુ પોતાની બુદ્ધિથી એમણે અર્થ બેસાડ્યો, ‘ફેમસ નોટી ગર્લ ઓફ ઈન્ડિયા’, ‘ભારતની સુપ્રસિદ્ધ શરારતી છોકરી’. વક્તા આ બોલ્યા અને સભાજનો ખડખડાટ હસી પડ્યા. સરોજિની નાયડુ પણ ખૂબ હસ્યાં. ઘણી વાર તેઓ પોતે આ પ્રસંગ વર્ણવી ખુશ થઈ જતાં અને અન્યને પણ તેનો આનંદ આવતો.
આવા જ એક સમારંભમાં શાળાના હેડમાસ્તરસાહેબે તમામ મહેમાનોને આવકાર આપતાં સૌની આગળ ‘મરહૂમ’ શબ્દ વાપર્યો. મરહૂમ પ્રમુખસાહેબ, મરહૂમ મંત્રીશ્રી આ રીતે સૌને નવાજવા લાગ્યા. હેડમાસ્તરને પૂછવામાં આવ્યું ત્યારે ભોળા ભાવે તેમણે જણાવ્યું. ‘સાહેબ, અમે તો રાણી વિક્ટોરિયાને મરહૂમ કહીએ છીએ, એટલે મને થયું આપના માટે આ જ સંબોધન યોગ્ય લેખાશે.’
અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’
માર્ક ટ્વેઈન તપાસ કરવાનું માંડી વાળ્યું.
અબજોપતિ જૉન ડી. રૉકફેલર એક સંસ્થાની મુલાકાતે ગયા. ફરતાં ફરતાં એક વર્ગ પાસે આવી પહોંચ્યા. વર્ગમાં દાખલ થયા. શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને વ્યવસાય અને વ્યાપાર વિશે સમજાવી રહ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘કોઈ બતાવી શકશો, પ્રોમિસરી નોટ કઈ રીતે લખાય?’
એક તેજસ્વી વિદ્યાર્થી ઊભો થયો અને તેણે બ્લેકબોર્ડ પર લખ્યું, ‘હું આ સંસ્થાને દસ હજાર ડોલર આપવાનું વચન આપું છું.-જૉન ડી. રોકફેલર’.
લખાણ વાંચી રોકફેલર ખુશ થયા અને સંસ્થાને દસ હજાર ડોલરનો એક ચેક એ જ વખતે લખી આપ્યો.
પ્રોફેસર તીર્થરામ સંન્યાસી થયા પછી સ્વામી રામતીર્થ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે વર્ગમાં એક સીધી રેખા દોરી. વિદ્યાર્થીઓને કહ્યું, ‘આ રેખાને નાની કરી આપો.’ ભૂંસવાનો પ્રયાસ કરનારને બેસાડી દીધા. એક તેજસ્વી વિદ્યાર્થીએ બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સમજાવ્યું, જીવનમાં કદીય બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરશો નહીં.
સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક અન્યની રેખા ભૂંસ્યા વગર પોતાની રેખા મોટી દોરનાર. બીજાની રેખા પાસે મોટી રેખા દોરનારની રેખા આપોઆપ મોટી થતી જાય છે, જ્યારે બીજા પ્રકારના જીવનભર કોઈની રેખાઓ ભૂંસવામાં જ રહી જાય છે.
પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’
અબ્રાહમ લિંકનનાં પિતા મોચીકામ કરતા. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છે ને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.’
વાત એમ બની છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાયબરેલીની એક ચૂંટણી સભામાં ગુજરાત ટુરિઝમની એક જાહેરાત” ખુશ્બુ હૈ ગુજરાત કી”માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતના ખાસ પ્રકારના ગધેડાઓની વિશેષતાઓ જણાવતા દર્શાવવામાં આવ્યા છે, એના પર કટાક્ષ કર્યો હતો.
અખિલેશ યાદવે અમિતાભ બચ્ચનને વિનંતી કરતાં કહ્યું હતું કે તમે ગુજરાતના ગધેડાઓની જાહેરાત કરવાનું બંધ કરો.ગધેડાઓની પણ શું જાહેરાત હોઈ શકે?અખિલેશે સભામાં આ આખી જાહેરાત વાંચી સંભળાવી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં તો ગધેડાઓનો પણ પ્રચાર થઈ રહ્યો છે અને વડાપ્રધાન મારા પર આરોપ લગાવે છે. અખિલેશ યાદવ આવું નિવેદન આપીને ટ્વિટર પર અળખામણા બની ગયા છે.અખિલેશના આ નિવેદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવી રહ્યું છે જેના કારણે મોટો હોબાળો મચ્યો છે.
મોદીનો અખિલેશને જવાબ
ગુજરાતના ગધેડાવાળા નિવેદન સામે અખિલેશને જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે “અખિલેશને સૈકડો કિલોમીટર દૂર રહેતા ગધેડાઓથી ભય લાગે છે.હું મારી તમામ ટીકાઓ હસીને સ્વીકારી લઉં છું.પરંતુ અખિલેશને જણાવવા માગું છું કે ગધેડાઓ પાસેથી પણ પ્રેરણા લઇ શકાય છે. ગધેડુ મહેનતથી કામ કરે છે,બીમાર હોય તેમ છતાં પણ મહેનતથી કામ કરે છે, હું પણ ગર્વથી ગધેડાઓ પાસેથી પ્રેરણા લઉ છુ અને થાક્યા વગર, પૂરી મહેનત સાથે કોઇ પણ રજા વગર સતત કામ કરતો રહું છું.દેશની સવા સૌ કરોડની જનતા મારી માલિક છે અને તેઓ જે આદેશ આપે છે તે પ્રમાણે હું થાક્યા વગર, અટક્યા વગર મારું કામ પુરું કરું છું.”
ગધેડાઓના બચાવમાં એ કહેવાનું છે કે રાજકારણમાં ગધેડાઓને સંડોવીને બિચારા ગધેડાઓને ખુબ અન્યાય થઇ રહ્યો છે.લેવા દેવા વગર તેઓ ખોટી રીતે વગોવાઈ રહ્યા છે.તેઓમાં ઘણીવાર માણસો કરતાં વધુ બુદ્ધિ હોય છે અને એટલે તો અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે ચુંટણીનું નિશાન ગધેડાનું રાખ્યું છે.
વડા પ્રધાન મોદી સાથે હું સંમત છું કે ગધેડા પાસેથી મહેનત કરવાની પ્રેરણા મળે છે.ગધેડા માલિકને વફાદાર હોય છે અને એના માટે સતત સમય જોયા વિના કામ આપે છે. એની આવી મજુરી પરથી તો “ગધ્ધા મજુરી ” શબ્દ પર્યાય આવ્યો છે.અમારું તો માનવું છે કે ભલે ગધેડા માણસ બનતા નહિ હોય પણ માણસને ગધેડા બની જતાં વાર લાગતી નથી.
રાજકારણમાં ચાલતા ગધેડા પુરાણએ કવિઓને પણ કવિતાઓ બનાવવાની પ્રેરણા આપી છે.એક સહૃદયી મિત્રે ઈ-મેલમાં એક વિડીયોની લીંક મોકલી છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.હાસ્ય કવિ સંમેલનનો આ વિડીયો જોઇને હાસ્ય સાથે તમને પણ ગધેડાઓ પર હમદર્દી થાય તો નવાઈ નહિ.
गधो पर कवी सम्मेलन .. हस्ते हस्ते लोट पोट | Donkey Kavi Sammelan
કોઈ માણસમાં ઓછી બુદ્ધિ હોય તો ઘણીવાર લોકો એને “ તું તો સાવ ગધેડા જેવો છે “એમ કહેતા હોય છે.પરંતુ ગધેડાઓ પણ બુદ્ધિશાળી હોય છે એ વાતની પ્રતીતિ કરાવતી એક બોધ કથા”ધનજી કુંભારનો ગધેડો” એ નામે ૫મી ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ વિનોદ વિહારમાં પોસ્ટ કરી હતી. આ બોધકથા વાંચ્યા પછી “ તું તો સાવ ગધેડા જેવો છે “ એમ કહીને કોઈએ પણ સમગ્ર ગધેડા જાતિનું નું અપમાન કરવું ના જોઈએ !
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રમૂજવૃત્તિ તીક્ષ્ણ અને માર્મિક હતી. ગાંધીજી ઇંગ્લૅન્ડ ગયા ત્યારે બકિંગહૅમ પૅલેસમાં કિંગ જ્યોર્જ પાંચમાને પોતડી પહેરીને મળવા ગયા એની ટીકા થઇ ત્યારે મંદ મંદ સ્મિત વેરીને ગાંધીજીએ કહ્યું હતું કે ‘રાજાએ અમે બેઉ પહેરી શકીએ એટલા કપડાં પહેર્યા હતા.’
વડા પ્રધાન બન્યા પછી સતત થયેલા મોદીના વિદેશ પ્રવાસો પણ જોકનું કેન્દ્ર બની ગયા હતા. એક જોકે એવી હતી કે ‘બ્રેકીંગ ન્યુઝ. સેશલ્સ, ઑસ્ટ્રેલિયા અને મોરિશ્યસની મુલાકાત લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ટૂંકી મુલાકાતે આવ્યા છે અને દિલ્હી પહોંચ્યા છે.’
ચક્રવર્તી રાજગોપાલાચારી પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા ત્યારે એ સમયના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ સરોજિની નાયડુ એમને મળવા કલકત્તાના રાજભવનમાં આવ્યા. રાજાજીની જરૂરિયાતો ઓછી અને સામાન્ય હતી. બંગાળનું રાજભવન આલીશાન છે. બેઉ નેતા આંટો મારતા મારતા ગવર્નરના બેડરૂમમાં આવ્યા જેમાં એક વિશાળ ડબલ બેડ હતો. રાજાજીએ કહ્યું, ‘સરોજિની, મારા જેવા માણસને આ લોકોએ કેવો મોટો ડબલ બેડ આપ્યો છે.’ મંદ મંદ સ્મિત કરીને સરોજિનીએ જવાબ આપ્યો, ‘રાજાજી, મેં જીવનમાં તમને ઘણી વાર તકલીફમાં મદદ કરી છે, પણ આમાં મદદરૂપ થવાય એમ નથી,’ અને બેઉ જણ ખડખડાટ હસી પડ્યા.
અમેરિકાને આંતરિક કટોકટીમાંથી ઉગારનાર પ્રેસિડન્ટઅબ્રાહમ લિંકન હાજરજવાબી હતા. એક વખત તેમને જૂતા પૉલિશ કરતા જોઇને એક દોઢડાહ્યા રજકારણીએ ટીખળ કરવાના આશયથી પૂછ્યું, ‘મિસ્ટર પ્રેસિડન્ટ, તમારા બૂટને તમે જાતે પૉલિશ કરો છો?’ લિંકને ક્ષણભર પણ અચકાયા વિના કહ્યું, ‘હા, તમે કોના જૂતાને પૉલિશ કરો છો?’ કહેવાની જરૂર ખરી કે પેલો માણસ ખો ભૂલી ગયો.
ઉપરના રાજકારણીઓના રમુજી પ્રસંગો મુંબઈ સમાચારમાં પ્રગટ લેખક શ્રી હેન્રી શાસ્ત્રીના લેખ-કવર સ્ટોરી ” રાજકારણમાં રસની સર: થોડી મૂંજી, ઝાઝી રમૂજી” માંથી સાભાર પ્રસ્તુત કર્યા છે.
જવાહરલાલ નહેરુ , રામમનોહર લોહિયા, ફિરોઝ ગાંધી, પીલુ મોદી, અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી જેવા બીજા રાજકારણીઓના રમુજી પ્રસંગો વાંચવા માટે મુંબઈ.સમાચાર.કોમની નીચેની લીંક પર ક્લિક કરો.(સાભાર :મુંબઈ સમાચાર,કોમ, શ્રી હેન્રી શાસ્ત્રી )
જો યોગ્ય સમયે વિનોદ વૃત્તિની મદદ મળી જાય તો વાતાવરણ તાણમુક્ત બને છે, હળવું બને છે.
ઇશ્વરે હાસ્યવૃત્તિ મૂકીને માનવજાત પર એક મોટો ઉપકાર કર્યો છે. બાકી તેનામાં જો હસી નાખવાની વૃત્તિ ન મૂકી હોત તો તેને માટે જીવવું અકારું થઇ પડત. સોક્રેટિસને ઝેન્થિપી જેવી કર્કશા પત્ની મળેલી, પણ સાથે વિનોદવૃત્તિયે જન્મથી મળી હતી. તેનામાં જો આ વિનોદવૃત્તિ ન હોત તો દાર્શનિક થવા અગાઉ પત્નીના ત્રાસથી તેને ઝેર પીને આત્મહત્યા કરવી પડી હોત. ટૂંકમાં પહેલાં કે પછી તેને ઝેર પીવાનો વારો તો આવ્યો જ હોત. હા, વહુને લીધે તેણે વિષપાન કર્યું હોત તો અહીં તેનો નામોલ્લેખ જરૂરી બન્યો ન હોત, પણ ખુદના કારણે પોતાના વિચારોને લીધે ઝેર પીવાથી મરીને તે અમર થઇ ગયો. આમ વિનોદવૃત્તિ હોવાને લીધે માણસ જીવનનું ઝેર શંકરની પેઠે પચાવી શકે છે. માણસ જો હસી શકતો ન હોત તો તે મશીનગન લઇને રસ્તા પર ફરતો હોત. જે લોકો આજે હસવાનું ભૂલી ગયા છે તે ધર્મના નામે માનવબોંબ થઇને ચારેકોર ઘૂમી રહ્યા છે.
આ આખો મજાનો લેખ વાંચવા નીચેના ચિત્ર પર ક્લિક કરીને દિવ્ય ભાસ્કર .કોમ પહોંચી જાઓ.
હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટનો પરિચય વિડીયોમાં ….
Vinod Bhatt | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન
વાચકોના પ્રતિભાવ