જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,360,472 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 377 other subscribers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 377 other subscribers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 377 other subscribers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 377 other subscribers
વિનોદ ભાઈ પટેલના મારા પરિચયની શરૂઆત સાવ આકસ્મિક રીતે થયેલી. મેં એમને મારા બીજા જાણીતા વિનોદ પટેલ ધારી લીધેલા. એમના બ્લોગની શરૂઆતની ડિઝાઈન કરવાના સબબે એમને સાથે હું સંચાલક હતો અને હજુ છું.
એમને મળવાની આરજૂ વાંઝણી જ રહી ગઈ.
કેટલું બધું કામ સાથે કરેલું ? – વિનોદ વિહાર, ગુજરાતી સારસ્વત પરિચય, હાસ્ય દરબાર , ઈ-વિદ્યાલય અને એમની ઈ-બુકો….
પણ બધું ——– વાદળોમાં .
હવે વિનોદ ભાઈ એ વાદળોની પણ પેલે પારથી જો જોઈ શકતા હોય તો આ લાગણી વાંચી જરૂર ખુશ થશે .
LikeLiked by 1 person
તમો સુંદર કામ કરી રહ્યા છો. તમને પૂર્ણ સફળતા મળે એવી અવિનાશને પ્રાથના.
LikeLike
ઘણી ઘણી યાદો..નવીનભાઈના સાચા મિત્ર… તેમની સાથે જઈ બેસી ગયા. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે..
ૐ શાંતિ.. શાંતિ.. શાંતિ..
LikeLiked by 2 people
વડીલ ને માર્ગદર્શક, ગત માસે ગોવિંદભાઈ પટેલ(સ્વપ્ન) ને મેં Xoom મીટીંગમાં મળવા આમંત્રણ પાઠવેલ. તેમણે હવે થોડીક તકલીફ વધી છે ની વાત કરેલ, પણ અચાનક જ અમારા સૌ માટે ખાલીપો સર્જી છોડી ગયા. સેન્ડીઆગોથી , સેરીટોસ દીકરી જાગૃતિબેનન્ ઘેર આવે, એટલે ગોવિંદભાઈ ને હું પહોંચી જ જતા. વિનોદ વિહાર’ એટલે જાણે બીજું ઘર, શ્રી સુરેશભાઈ જાની ને વિનોદભાઈ સાથે , ઈ વિદ્યાલય માટે અમે શૈક્ષણિક આનંદ યાત્રા માણેલી. તેમના જન્મદિને અમે મળવા ગયેલ, એ યાદો હવે યાદ જ રહેવાની. અમારા કાવ્ય સંગ્રહમાં તેમની લખેલી પ્રસ્તાવના સદાય અમારી સાથે રહેશે. પરમાત્મા તેમને અક્ષર સુખિયા રાખે ને કુટુમ્બીજનોને આ વિરહ વેદના સહન કરવા શક્તિ આપે..ૐ શાન્તિ.
રમેશ પટેલ(આકાશદીપ)
….
હવે કેમ કરી ઉત્તરાયણ આવે ને વાત કરીશું? ગાશું
તેમને ૭૯ મા વર્ષે મળવા ગયેલ ને આ રચના આપેલ…
જાન્યુઆરી પંદર તિથિ; સાલ મુબારક……..આદરણીય
શ્રી વિનોદભાઈ પટેલ.
જાન્યુઆરી પંદર તિથિ; સાલ મુબારક
સ્નેહ સભર આશિષ વતન ડાંગરવા નાયક
હામ ભરી કૌવત સીંચી; જોમ ચખાડ્યું
નામ વિનોદ જ પાડી; રંગુન દેખાડ્યું
માત-પિતાની છાયા; કુસુમ જીવન સાથી
એમ. કોમ. કેળવણી દે ગૌરવ ઝાંખી
હૂંફ ભરી આત્મ-વિશ્વાસે હંકારી નૈયા
જગ પડકારો ઝીલતાં આગળ વધ્યા ભૈયા
ઘર દીવડા સમ વિહારી અજવાળું
સાક્ષર સંસ્કારી હૈયુ બંધુ તમારું
બે હજાર પંદર સાલે ઉર છલકાવું
દોસ્ત …કુટુમ્બી પ્રેમે જન્મદિન હું માણું
કવિ-રમેશ પટેલ(આકાશદીપ)
કરોના, કેલિફોર્નીઆ
LikeLiked by 2 people
એમના આત્માની પરમ ગતિ માટે પ્રાર્થના ! 🙏
LikeLike
ક્યારેય મળ્યા નહોતા છતાંય જાણે આશીર્વાદ આપતો એક હાથ જાણે ઓછો થઇ ગયો એવો ખાલીપો આ દુઃખદ સમાચારથી અનુભવાય છે .
ઇવિદ્યાલય શરુ કર્યું ત્યારે સુ.દાદા , વિનોદ કાકા અને રમેશકાકાએ માત્ર ૧૦ દિવસમાં દિવસ-રાત કામ કરીને બધા વિડીયો ની ગોઠવણ બ્લોગ પાર કરેલી,
એ પછી અવાર – નવાર ઇવિદ્યાલય માટે – બાળકો માટે જેવું કંઈક મજાનું મળે તો મને મોકલાવે જ.
બહુ લાગણીથી , આત્મીયતાથી , ઉમળકાથી પત્ર વ્યવહાર કરે.
સાંજે જ એમની એક પોસ્ટ જોઈને વિચારતી હતી ઘણાં સમયથી વાત નથી થઇ, ખબર -અંતર પૂછું. તયાં તો આ સમાચાર મળ્યા.
એમની આગળની યાત્રા સુખદ બની રહે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
LikeLiked by 2 people
Dear Sureshbhai,Grim news.The blogger world will miss a meticulous blogger. Very fond of literature and philosophy.I met him several times at his birthdays and other places.A very successful man in his own right.- Anand Rao
LikeLiked by 2 people
Let us pray HIS JOURNEY BE BETTER.
LikeLike
પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને કુટુંબીઓને આ આઘાત સહનકરવાની શક્તિ આપે એવી હ્રદયપુર્વકની પ્રાર્થના..ઓમ શાંતિ ઓમ 🙏👏💐🌹
LikeLiked by 1 person
વિનોદવિહારીનો ચિર-વિહાર !
એક ઉત્તમ સાથીદારનો ખાલીપો આપણ સૌ જુના જોગીઓને સતાવતો રહેશે…..એમનું વ્યક્તિત્વ કુટુંબના વડીલ જેવું હતું. એમના વ્યક્તિત્વમાં કોઈ એક જ રંગનો પ્રભાવ નહોતો. શ્વેત રંગમા બધા રંગો સમાવિષ્ટ હોય તેમ તેઓનો શાંત વ્યક્તિત્વરસ શ્વેતરંગની સાથે અદભુત રીતે ભળી જનારો હતો.
એમના બ્લૉગ પરના માતાપિતાના અને ધર્મપત્નીના ફોટાઓમાં મને હંમેશાં વિનોદભાઈના વ્યક્તિત્વનું રહસ્ય સમજાયું છે. આપણને જે વિનોદભાઈ મળ્યા તેમાં એ લોકોનાં દર્શન મને થયાં છે.
બધા જ જાય છે એમ તેઓ પણ વિદાય લઈ ગયા પરંતુ બ્લૉગજગતમાંના એમની સુવાસને ક્યારેય વિદાય નહીં હોય…….સસ્નેહ વંદના સાથે,
— જુ.
LikeLiked by 3 people
જુગલકિશોરભાઈ,
તમારો પ્રતિસાદ ગમ્યો એ માટે આભાર; વિનોદભાઈના મસઈ ભાઈ ‘ચમન’ તરફથી.
તમો આ વાયરસના વાતાવરણમાં કુશળ હશો.
આભર સાથે,
‘ચમન’
LikeLike
પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે એજ અભ્યર્થના.
LikeLike
Lost an Elder brother and friend since 1956. God bless his soul and give peace. His contribution to Gujarati Sahitya is enormous. Ohm Shanti and Jay Shree Krishna
LikeLike
Good response.
LikeLike
ઓહ, આ વર્ષે ઘણા નજીકના, જાણીતા, સમસંવેદનશીલ માનવીઓને એક પછી એક છીનવી લીધા…. કારણો જુદા જુદા પણ ખોટ સરખી. વિનોદભાઈનો મને આમ આકાશી પરિચય. કોઈ અંગત નાટો નહીં. પણ એટલે જે મેં સમસંવેદનશીલ લખ્યું. એમના બ્લોગ દ્વારા મને એ સહયાત્રી લાગ્યા છે. એમની પસંદ માટે મને માન હતું. આમ જ ઈમેઈલ અને મેસેજ દ્વારા અમારો સંવાદ થતો. હવે એ બંધ !! દુખ થાય છે પણ નિયતિને સ્વીકારવી જ રહી….. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
લતા હિરાણી
LikeLiked by 2 people
મા વિનોદભાઈના નિધનથી અમે આત્મીય પથદર્શક અને પ્રેરણામુર્તિ ગુમાવ્યા છે.વિનોદ વિહારના હકારાત્મક લખાણ અને નીરવરવે પરના કોમેંટ સદા પ્રેરણાદાયી રહ્યા હતા.
અમે અમારા બ્લોગ ના અંતનો વિચાર કરતા ત્યારે અમારા સહત્ંત્રી શ્રી સુરેશભાઈ જાની સૌ પ્રથમ તેમનો દાખલો આપતા .આજે તેમની વાત-‘જો કોઈ મિત્રને ઉમળકો હોય કે, વિનોદ વિહાર ચાલુ રહે તો , તેમને હું સંચાલક તરીકે ઉમેરી શકીશ ‘ વાત ગમી.,જેવી રીતે તમે “આતાવાણી” .જીજ્ઞેશભાઇએ રીડ ગુજરાતી અને બ્લોગ મિત્રોએ દાવડાનુ આંગણુ (હવે આપણું) વહેતુ રાખ્યું છે તેવી રીતે વિનોદ વિહાર જરુર ચાલુ રહે તે ઇચ્છનીય છે.
અમારા જુ’ભાઇની વાત-‘ એક ઉત્તમ સાથીદારનો ખાલીપો આપણ સૌ જુના જોગીઓને સતાવતો રહેશે…..એમનું વ્યક્તિત્વ કુટુંબના વડીલ જેવું હતું.’ અનુભવાય છે.મા ચમનભાઇની વાત ‘અમે મસઈ (મોસાળ પક્ષે) ભાઈ થઈએ.અમારા બંનેનો જન્મ બર્મામાં થયેલ.’ તેમની પાસે જ જાણેલી.
ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે.
LikeLiked by 2 people
સર્વ વિયોગીજનોને પ્રભુ સાંત્વના અને સહન કરવાનું સામર્થ્ય બક્ષે એવી શુભેચ્છા અને પ્રાર્થના.
LikeLike
વિનોદવિહાર દ્વારા સતત આપણી વચ્ચે રહેતા શ્રી વિનોદભાઈ આપણી સાથે નથી એ જાણીને અત્યંત દુઃખ થયું .
સરળ અને સ્મિતભર્યો ચહેરો હંમેશા સ્મૃતિમાં રહેશે .
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે .🙏🏼🙏🏼
રાજુલ કૌશિક
LikeLiked by 1 person
વિનોદભાઈની ખોટ સાલશે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. ૐ શાણ્તિઃ શાંતિઃ શાંતિઃ
LikeLiked by 1 person
વિનોદભાઈને હાર્દિક ભાવાંજલિ 🙏
LikeLike
આમ તો ઘણાં વખતથી બ્લોગ-જગત સાથે મારે છેટું પડી ગયું છે. પરંતુ વિનોદભાઈના અગમ્ય લોકમાં વિહાર કરવા જવાની વાત સાંભળીને જુના સંસ્મરણો માનસ પટ માં સપાટી પર ઉભરી આવ્યાં. શ્રી વિનોદભાઈ આપનો નવા અગમ્ય લોકનો વિહાર આનંદપ્રદ રહેશે જ તેવી ખાત્ર્રી સાથે શ્રદ્ધા સુમન.
LikeLike