આજથી ૫૯ વર્ષ પહેલાં ૧ લી મે,૧૯૬૦ના રોજ , મહાત્મા ગાંધીની પુણ્ય ભૂમિ સાબરમતિ આશ્રમમાં,ગાંધી અનુયાયી પુ.રવિશંકર મહારાજના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ? “જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું. ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.”
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”
રાધા રાજીવ મહેતાનું ગુજરાત વિશેનું સુંદર વક્તવ્ય
રાધા મહેતાના વક્તવ્યના વિવિધ વિષય ઉપરના ઘણા વિડિયો યૂ ટ્યૂબ પર અપલોડ થયેલા જોઈ શકાય છે.”મારું ગુજરાત My Gujarat_ગુજરાતની અસ્મિતા” ઉપર રાધા મહેતાની આ માહિતીસભર સ્પીચ ખરેખર સાંભળવા જેવી છે.
ગુજરાતના અનેક ગાયકો-કલાકારોના મુખે ગવાએલું આ જાણીતા ગીત ”જય જય ગરવી ગુજરાત” નો સુંદર વિડીયો.
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત.
ગુજરાતના આ જન્મ દિવસે દેશ-વિદેશમાં વસતા અનેક ગુજરાત અને ગુજરાતી પ્રેમી ભાઈ-બહેનોને અભિનંદન
જય જય ગરવી ગુજરાત.. સરસ માહિતીસભર સંકલન
આપની જહેમતભરી પોષ્ટ એક ખજાના સમ છે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike