Khushwant Singh, 98 +
જાણીતા પત્રકાર , લેખક , નવલકથાકાર અને કવિતા પ્રેમી શ્રી ખુશવંતસિંહ અને
એમના વિવિધ વિષયો ઉપરના પુસ્તકોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે .
એમનો વિશદ પરિચય વિકિપીડીયાની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .
આજે શ્રી ખુશવંતસિંહ એમના પ્રવૃતિશીલ જીવનનાં ૯૮ વર્ષ પુરાં કરી ચૂક્યા હોવા છતાં
માનસિક રીતે એવા જ સજ્જ છે .
આજસુધીમાં એમણે નાનાં -મોટાં એમની ઉંમર કરતાં વધુ પુસ્તકો લખીને પ્રકાશિત
કર્યાં છે .
એમના ૯૮મા જન્મ દિવસે “Khushwantnama: The Lessons of My Life” નામનું
એમના વિવિધ ક્ષેત્રના અનુભવો આધારિત એક પુસ્તક બહાર પાડ્યું છે જેની પ્રથમ
નકલ એમણે વડા પ્રધાનના પત્ની શ્રીમતી ગુરશરણ કૌરને અર્પણ કરી હતી એના
વિશેનો લેખ અહીં વાંચો .
૯૮ વર્ષના આ શ્રી ખુશવંતસિંહે જાણીતા અખબાર Deccan Herald માં Secret of
my longevity નામનો એક લેખ લખ્યો છે જેમાં એમના દીર્ઘાયુ માટેનું રહસ્ય એમણે
છતું કર્યું છે .
મારા સહયોગી મિત્ર અને વાચકો જેમને બરાબર પહેચાને છે એ શ્રી પી.કે. દાવડાએ
ખુશવંતસિંહના Secret of my longevity નામના અંગ્રેજીમાં છપાયેલ લેખની નકલ
મને વાંચવા માટે ઈ-મેલમાં મોકલી હતી .અંગ્રેજી ન જાણતા વાચકો પણ આ લેખને
વિનોદ વિહારના માધ્યમથી વાંચવાનો લાભ લઇ શકે એ માટે મેં એમને એનો
ગુજરાતીમાં અનુવાદ કરી મોકલવાની વિનંતી કરી .એમણે એને સહર્ષ સ્વીકારીને જે
અનુવાદ કરીને મોકલ્યો એને સહેજ સાજ સંપાદિત કરીને એમના આભાર સાથે
આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .
વિનોદ પટેલ
——————————————————–
૯૮ વર્ષના શ્રી ખુશવંતસિંહ કહે છે એમના દીર્ઘાયુષ્યનું રહસ્ય —– અનુવાદક – શ્રી પી.કે.દાવડા
૯૮ વર્ષની ઉંમરે પણ પ્રવૃતિશીલ રહેતા શ્રી ખુશવંતસિંહ જાણીતા અખબાર Deccan Herald માં પ્રગટ એમના એક લેખ Secret of my longevity માં કહે છે કે —
મને ૯૮ વર્ષ પુરાં થયાં છે છતાં (પુસ્તકોની રોયલ્ટી અને રોકાણોની આવકમાંથી) હું યુવાનીમાં જે કમાતો હતો એથી થોડું વધુ કમાઈ લઉં છું.
લોકો મને મારી લાંબી ઉમ્મર સુધી જીવવાની કળા માટેનો નિષ્ણાત માને છે. અગાઉ મેં લખેલું કે લાંબી ઉમ્મર સુધી જીવવાનો રાઝ મા-બાપના લાંબા આયુષ્યકાળમાં છૂપાયેલો છે, લાંબુ આયુષ્ય ભોગવ્યું હોય એવાં મા-બાપના સંતાનો સાધારણ રીતે લાંબુ જીવતાં હોય છે .પણ હવે આ કારણ અનેકોમાંનું એક કારણ મનાય છે.
ખુશવંતસિંહ વધુમાં કહે છે કે લાંબી ઉમ્મરના કારણોનું પૃથ્થકરણ કરવા કરતાં વૃધ્ધાવસ્થાને સ્વીકારી લઈને એને વશ રહીને કેમ જીવવું એ વધારે અગત્યનું છે.
તેઓ કહે છે કે જેમ જેમ આપણી ઉમ્મર વધે છે તેમ તેમ આપણા શરીરના અંગો નબળા થતા જાય છે .એની શક્તિ ધીમી પડે છે. ઉંમરને લીધે આપણે અવયવોને યોગ્ય કસરત આપી શકતા નથી.એટલા માટે એ જરૂરી છે કે આપણે આ અવયવોને સક્રીય રાખવાના રસ્તા શોધી કાઢવા જોઈએ .
હું ૮૦ વર્ષનો થયો ત્યારે પણ રોજ સવારના ટેનિસ રમતો અને લોધીબાગમા શિયાળામાં રોજ ગોળ ચક્કર લગાવતો .
ઉનાળામાં એક કલાક સુધી તરવા જતો, જો કે હવે એમ કરી શકતો નથી. શરીરને તંદુરસ્ત રાખવાનો સારામાં સારો રસ્તો છે દરરોજ શરીરની મસાજ.માથાથી પગ સુધીની તાલીમ પામેલા હાથની મસાજ. રોજ એક વખતની આવી મસાજથી મને ખૂબ ફાયદો થયો છે એમ મારો અનુભવ છે .
બીજી અગત્યની બાબત છે ખાવા પીવામાં ધરખમ ઘટાડો કરવો . સવારના હું પેરૂનો રસ પીઉં છું, સંતરાના રસ કરતાં એ વધારે તંદુરસ્ત છે અને સ્વાદિસ્ટ પણ છે.
સવારના નાસ્તામાં એક ઈંડા સાથે ટોસ્ટ લઉં છું. બપોરે લંચમાં નરમ ખીચડી, દહીં અને શાક લઉં છું. સાંજે ચા પીતો હતો એ છોડી દીધી છે . રાત્રે ખૂબ ઓછું ખાઉં છું અને એમાં શાકનો સમાવેશ કરૂં છું. જમીને પાચક ચુરણ ખાઉં છું. જમતી વખતે કંઈ પણ બોલવું ન જોઈએ. બોલવાથી ખોરાકને ન્યાય કરી શકાતો નથી. ચાવવાને બદલે ગળી જઈએ છીએ.
હવે હું પંજાબી કે મુઘલાઈ વાનગીઓ ખાતો નથી. મને લાગે છે કે દક્ષિણના ઈડલી-સાંભાર અને નાળીએરની ચટણી પચવામાં સહેલા અને તંદુરસ્તી માટે સારા છે.
ક્યારેય પણ કબજીઆત ન થાય એનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
આપણી હોજરી જ શરીરના બધાં રોગોનું જન્મ સ્થાન છે એમ હું માનું છું . ખાવા પીવા માટેની બેકાળજી અને બેઠાડુ જીવનથી કબજીઆત થાય છે.
જેમ બને એમ ગમે તે રીતે પેટ સાફ રાખવું જરૂરી છે, એના માટે જુલાબ કે એનીમા લેવાની પણ જરૂર પડે તો લેવી જોઈએ . ગાંધી બાપુ પેટ સાફ રાખવાનું મહત્વ બરાબર સમજતા હતા .
જીવનની દરેક પ્રવૃતિઓમાં શિસ્ત અને સમયની પાબંધી જરૂરી હોય છે. હું રોજ સવારે ૬-૩૦ વાગે નાસ્તો, બપોરે ૧૨-૦૦ વાગે લંચ ,૭-૦૦ વાગે ડ્રીંક અને ૮-૦૦ વાગે રાતનું વાળું કરી લઉં છું.
લાંબું જીવવા માટે માનસિક શાંતિ ખૂબ જરૂરી છે. એના માટે તમારી પાસે પુરતું બેંક બેલેન્સ હોવુ જોઈએ. પૈસાની તંગી માણસને ચિંતા કરાવે છે . જીવવાનો જુસ્સો ઘટાડી દે છે .
હું નથી કહેતો કે કરોડો રૂપિયા ભેગા કરો, પણ તમારી ભવિષ્યની વ્યાજબી જરૂરીયાતો અને માંદગી વગેરેનું ધ્યાન રાખી શકાય એટલા રૂપિયાતો તમારી પાસે રાખો જ રાખો .
કદીક તમારા વધારાના પૈસા હોય એને બીજાઓ માટે આપતાં શીખો. તમારા બાળકોને આપો, નોકરોને આપો કે કોઈ સારી ધર્માદા સંસ્થાને દાન કરો . આપવાથી તમને સારૂં લાગશે .આપવાનો પણ એક માણવા જેવો આનંદ હોય છે.તમે સાથે કશું લઈને જવાના નથી .
ગુસ્સે થવાનું ટાળો. ગુસ્સો તમારા શરીરને બહુ નુકશાન કરે છે અને તમારા આત્માને ઝંઝોડે છે. ખોટું બોલવાનું ટાળો, આખરે તો સત્યનો જ વિજય થાય છે. તમારા કરતાં વધારે સફળ માણસોની અદેખાઈ કરવાનું ટાળો.
વૃધ્ધ માણસોએ મંદિરમાં જઈ પૂજા પાઠમાં જ સમય વ્યતિત કરવો જોઈએ એમ હું નથી માનતો. એ તો હાર કબૂલ કરવા જેવી વાત છે. એને બદલે બગીચામાં કામ કરો,પાડોશીના છોકરાઓને એમના હોમ વર્કમાં મદદ કરો, તમારી વયના લોકો સાથે ફરવા જાવ.
હું ઘણીવાર મીણબત્તીની જ્યોત સામે નજર માંડીને મારા મનના બધા વિચારને રોકી દઈ, માત્ર ઓમ શાંતિ, ઓમ શાંતિ એમ બોલું છું. આવી રીતે હું પુરા વિશ્વ સાથે શાંતિથી રહેવાની કોશીશ કરૂં છું.
આ સારું કામ કરે છે.હું ફોજાસિંહની જેમ ૧૦૦ વર્ષની ઉમ્મરે મેરેથોનમાં તો નહિં દોડી શકું પણ એમની જેમ ૧૦૦ વર્ષનો થઈશ જરૂર.
મારા બધા જ ફેન માટે હું તંદુરસ્ત અને લાંબા સુખી આયુષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવું છું .
આ શબ્દો સાથે ખુશવંતસિંહે પોતાનો આ ખાસ લેખ પૂરો કર્યો છે.
ખુશવંતસિંહના મૂળ અંગ્રેજી લેખનો અનુવાદ – શ્રી પી.કે.દાવડા
Source-Secret of my longivity – Khushwant Singh .
——————————————————
Shigeaki Hinohara, 102 , is one of the world’s longest-serving physicians and educators.
આપણા આ ૯૮ વર્ષીય ખુશવંતસિંહના દીર્ઘાયુના રહસ્યને મળતી આવે એવી કથા જાપાનના જાણીતા લેખક અને દાક્તર Shigeaki Hinohara ની છે .
Shigeaki Hinohara ઓક્ટોમ્બર ૪ , ૨૦૧૩મા ના રોજ 101 વર્ષના થશે .
શ્રી દાવડાએ ઉપરનો લેખ મને મોકલ્યો એ જ અરસામાં સાહિત્યમાં પ્રવૃતિશીલ રહેતાં આદરણીય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસે આ જાપાનના Shigeaki Hinohara વિશેનો જાપાન ટાઈમ્સમાં એમની ૯૭ વર્ષની ઉમર હતી ત્યારે પ્રગટ એક લેખ મને મોકલ્યો હતો એ એટલો જ રસસ્પદ છે .
જાપાન ટાઈમ્સ અને પ્રજ્ઞાબેનના આભાર સાથે આ રસિક લેખને અંગ્રેજીમાં નીચેની
લીંક ઉપર ક્લિક કરીને વાંચો .
Author/physician Shigeaki Hinohara
101 વર્ષીય આ અનોખા આદમીએ એની ૭૫ વર્ષની ઉમર પછી ૧૫૦ પુસ્તકો બહાર પાડ્યાં જેમાં એક પુસ્તકનું નામ “Living Long, Living Good” છે .
Energy comes from feeling good, not from eating well or sleeping a lot. We all remember how as children, when we were having fun, we often forgot to eat or sleep.
I believe that we can keep that attitude as adults, too. It’s best not to tire the body with too many rules such as lunchtime and bedtime.- Shigeaki Hinohara
ટોકીયો ન્યુઝ પત્રમાં પ્રગટ એમણે આપેલ એક ઇન્ટરવ્યુ ઉપર આધારિત એવો જ
બીજો રસિક લેખ આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .
આપણે ત્યાં પણ પુ. રવિશંકર મહારાજ , ગુલઝારીલાલ નંદા , વેદાંત વાચસ્પતિ કે.કા.શાસ્ત્રી , અઠંગ ગાંધીવાદી મોરારજી દેસાઈ જેવા કાર્યશીલ રહીને સદી સુધીનું આયુષ્ય ભોગવીને વિદાય થયા હોય એવા બીજા મહાનુભાવો થઇ ગયાં છે .મહાત્મા ગાંધીજીની જો હત્યા ન થઇ હોત તો તેઓ પણ ૧૨૫ વર્ષ જીવવાની આશા રાખતા હતા .
ઉપરના જીવનની સદી સુધી પહોંચેલા મહાનુભાવોના જીવનના અનુભવો અને એમના યમ,નિયમ અને સંયમ ઉપરથી પ્રેરણા લઈને એનો બને એટલો અમલ કરવા કોશિશ કરીશું તો આ પોસ્ટ લખ્યાંનો આશય લેખે લાગશે .
How To Live & Die
Absolute Khushwant: The Low-Down on Life, Death & Most Things In-Between
ABSOLUTE KHUSHWANT: THE LOW-DOWN ON LIFE, DEATH & MOST THINGS IN-BETWEEN
BY
KHUSHWANT SINGH
PENGUIN
The Man in the Bulb meditates on the dying of the light
Khushwant Singh
Death is rarely spoken about in our homes.
I wonder why. Especially when each one of us knows that death has to come, has to strike.
It’s inevitable. This line from Yas Yagana Changezi says it best:
Khuda mein shak ho to ho, maut mein nahin koi shak
(You may or may not doubt the existence of God, you can’t doubt the certainty of death).
And one must prepare oneself to face it.
At 95, I do think of death. I think of death very often but I don’t lose sleep over it.
I think of those gone; keep wondering where they are.
Where have they gone? Where will they be?
I don’t know the answers: where you go, what happens next. To quote Omar Khayyam,
“Into this Universe, and Why not knowing
Nor Whence, like Water willy-nilly flowing…”
and,
“There was a Door to which I found no Key
There was a Veil through which I could not see
Some little Talk awhile of Me and Thee
There seemed—and then no more of Thee and Me.”
I once asked the Dalai Lama how one should face death and he had advised meditation.
I’m not scared of death; I do not fear it. Death is inevitable.
While I have thought about it a lot, I don’t brood about it. I’m prepared for it.
As Asadullah Khan Ghalib has so aptly put it,
मिलती है खू -ए-यार से नार ,इल्तिहाब में
काफिर हूं, गर न मिलती हो राहत अंजाब में
ता फिर न इन्तजार में नींद आए उम्रभर
आने का अहद कर गए, आए जो ख्वाब में
कासिद के आते आते, खत इक और लिख रखूं
में जानता हूं, जो वो लिखेंगे जवाब में
मुझ तक कब उनकी बज्म में आता था
साकी ने कुछ मिला न दिया शराब में
में मुज्तरिब हूं वस्म में खौफे रकीब से
डाला है तुमको वहम ने किसी पेचो लब में
रौ में है रख्शे-उम्र कहां देखिए थमे
न हाथ बाग पर है, न पा है रकाब में
Niravrave ← रौ में है रख्शे-उम्र कहां देखिए थमे न हाथ बाग पर है, न पा है रकाब में
LikeLike
Thank you Pragnaben for your studied comments which only you can do . Regards , Vinodbhai
________________________________
LikeLike
ઉપરના જીવનની સદી સુધી પહોંચેલા મહાનુભાવોના જીવનના અનુભવો અને એમના યમ,નિયમ અને સંયમ ઉપરથી પ્રેરણા લઈને એનો બને એટલો અમલ કરવા કોશિશ કરીશું. Dr Rathod
LikeLike
પ્રિય વિનોદભાઈ અને દાવડા ભાઈ
તમારા તરફથી ખુશવંત સિંહ વિષે જાણ્યા પછી સવારે ઊંઘ માંથી ઉઠ્યા પછી ખુશવંત સિંહનું નામ યાદ આવી જાય છે અને દરરોજ ની માફક મારા યાર્ડ માં ફક્ત કસરત કરવાના હેતુ થી ખોદ કામ કરું છું છોડને પાણી પીવડાવું છું પછી ભૂખ લાગી હોય તો નાસ્તો કરી લઉં છું અને ન ભૂખ લાગી હોય તો ઠંડે પાણીએ સ્નાન કરી લઉં છું અને એ પણ ખુલ્લામાં સુરેશ જાની એ મને સ્નાન કરતા જોયો છે કદાચ ફોટો પણ પાડ્યો હશે મને ક્ષ્મા કરજો ખુશવંત સિંહનું લખતા લખતા તમારા પૂછ્યા વગર મારું લખાય ગયું
LikeLike