તારીખ ૧૦-૨૮- ૨૦૧૭ ના રોજ મારા ફેસ બુક ગ્રુપ પેજ ” મોતી ચારો ” પર મેં નીચેની પોસ્ટ મૂકી હતી .
તુમ ”ભગવાન” કા ”દિયા ” હો…
” માટીનો બનેલો એક નાનકડો દીવડો આખી રાત બળીને, અંધારા સાથે જંગ ખેલીને એને હટાવે છે. તું તો ભગવાનનો બનાવેલો ”દિવ્ય દીવડો ” છે, તો પછી તારે ડરવાની કે નિરાશ થવાની શી જરૂર છે. ”– બ્રહ્મા કુમારી સિસ્ટર શિવાની
આ જ દિવસે જાણીતા ગુજરાતી બ્લોગ વેબ ગુર્જરમાં ‘’દીવા’ વિષય ઉપર જ વિવિધ ફિલ્મી ગીતોના વિડીયો અને એની વિવેચના સાથે શ્રી નિરંજન મહેતાનો એક સરસ પોસ્ટ થયો છે.લેખક શ્રી નિરંજન મહેતાના આભાર સાથે એને નીચે પ્રસ્તુત છે.
આ કાવ્યમાં તેઓ કહે છે કે જો ભીતરનો દીવો જલતો હોય તો બહાર દીવાઓ પ્રગટાવ્યા સિવાય પણ રોજે રોજ દિવાળી જ છે.દિવાળીમાં ઘરની બહાર કે ઘરમાં દીપક ની હારો પ્રગટાવીએ પણ જો આપણી ભીતરમાં અંધારું હોય તો એ સાચી દિવાળી નથી.સાપ ગયા ને લીસોટા રહ્યાની માફક એ માત્ર ઔપચારિકતા કહેવાશે.
ઉપરના ગીતને દેવિકાબેનના જ સ્વરમાં આ વિડીયોમાં પણ સાંભળો.
અંતમાં એટલું જ કહીશ કે અંતરનો દીવો સદા પ્રજ્વલિત રહેવો જોઈએ તો જ અંતરમાંઅજવાળું ફેલાઈ શકે અને એની મદદ વડે આપણા જીવનનો રાહઅંધારામાં ભટકાયા વિના સંતોષથી અને સારી રીતે પૂરો કરી શકીએ.મારા એક કાવ્ય’’ મને શું ગમે ‘’માં પણ મેં કહ્યું છે.
અપ્પ દીપો ભવ – બુદ્ધ વાક્ય છે.
એમના સિવાય કયા ધર્મોપદેશકે આમ કહ્યું ?
“હે લોકો,
હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”
–ગૌતમ બુદ્ધ
મારા બ્લોગ પર બહુ જ સરસ ચર્ચા થઈ હતી, તેવો એક લેખ – સમ્મોહન
અતિ ઉત્તમ લેખ ..ધન્યવાદ
LikeLike
અપ્પ દીપો ભવ – બુદ્ધ વાક્ય છે.
એમના સિવાય કયા ધર્મોપદેશકે આમ કહ્યું ?
“હે લોકો,
હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”
–ગૌતમ બુદ્ધ
મારા બ્લોગ પર બહુ જ સરસ ચર્ચા થઈ હતી, તેવો એક લેખ – સમ્મોહન
https://gadyasoor.wordpress.com/2010/01/13/hypnotism_3/
LikeLike