ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 851 ) અંતિમ પર્વ ….. સંપાદક: રમેશ સંઘવી/ મરણનું સ્મરણ …. વિનોદ પટેલ
જિંદગીના બે છેડા જન્મ અને મૃત્યુ વચ્ચે માનવીની જીવન યાત્રા ચાલતી રહે છે.જન્મ સાથે ઉપડેલી જીવન રૂપી રેલ ગાડી મૃત્યુંના અંતિમ સ્ટેશને અટકીને વિરામ પામે છે. સામાન્ય રીતે આપણે જીવન વિષે જેટલું વાંચીએ ,જોઈએ કે વિચારીએ છીએ એટલું જીવનના અંતિમ પડાવ વખતે માનવીને અનિવાર્ય રીતે ભેટતા મૃત્યુના વિષયને જોઈએ એવું મહત્વ આપવામાં આવતું નથી.
શ્રી રમેશભાઈ સંઘવી લિખિત એમના સંકલિત પુસ્તક “અંતિમ પર્વ”માં મૃત્યુંને પણ એક પર્વ તરીકે એમણે સરસ પ્રસ્થાપિત કર્યું છે.મૃત્યું પણ જીવન જેટલો જ મહત્વનો વિષય છે અને એના પર પણ વિચાર કરવો જોઈએ એવો ભાવ આ સંકલન વાંચતાં એકંદરે ઉપસે છે.
ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડતા વાંચક પ્રિય બ્લોગ વેબ ગુર્જરીમાં રમેશભાઈના આ પુસ્તકમાંથી દર રવિવારે હપ્તાવાર પ્રકાશિત થતા “અંતિમ પર્વ ” લેખ શ્રેણીનો છેલ્લો મણકો-૫ શ્રી રમેશભાઈ અને વેબ ગુર્જરીના સંપાદકોના આભાર સાથે વિ.વિ.ની આજની પોસ્ટમાં રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.
વિનોદ પટેલ
અંતિમ પર્વ – મણકો પાંચમો …– સંપાદક: રમેશ સંઘવી
– શબ્દાંકન સંકલનકર્તા શ્રી ગોપાલભાઈ પારેખ
મરમ
ધનાનિ ભૂમિ પશયશ્ચ ગોષ્તે,
ભાર્યા ગૃહહાદ્વારિ જના: સ્મશાને I
દેહશ્હ્ચિતાયાં પરલોક માર્ગે
કર્માનુયુગો ગચ્છતિ જીવ એકા II
ધનસંપત્તિ જમીનમાં દાટેલી પડી રહેશે, ઢોરઢાંખર કોઢમાં બાંધ્યા રહેશે. પત્ની દરવાજા સુધી જ આવશે અને દેહ ચિતામાં ભસ્મ થઈ જશે. સારાં-નરસાં કર્મો સાથે જ જીવ એકલો જશે.
**********
નહીં વિદ્યા જસ શીલ ગુન, ગયો ન સાધુ સમીપ,
જનમ ગયો યોંહી વૃથા, જ્યાં સુને ઘર દીપ.
******
દશ દુવાર કો પીંજરો, તામેં પંછી પૌન,
રહત અચંભો હૈ જશા, જાત અચંભો કૌન?
***********
મૌક્તિકમ્
આપણે એ દિવસે મૃત્યુ પામીએ છીએ,
જે દિવસે-
તર્કબુદ્ધિથી પાર રહેલા અગમ સ્ત્રોતમાંથી આવતા
વિસ્મય વડે રોજ રોજ નવીન બનતા સ્થિર તેજથી
આપણું જીવન પ્રકાશિત થતું અટકી જાય છે.
— દાગ હેમરશિલ્ડ
***************
મૃત્યુ સમયે
પ્રશ્ન: જન્મમરણની ઝંઝટમાંથી કેમ છૂટવું?
દાદા: શું નામ છે તમારું? તમારું નામ ચંદુભાઈ છે, પણ તમે કોણ? અત્યારે તો ચંદુભાઈના નામ ઉપર જ બધું ચાલ્યા કરે છે. તમારા પર થોડુંક રાખવું’તું ને !
નનામી એટલે કુદરતની જપ્તી. કેવી જપ્તી? બધું જ જપ્તીમાં ગયું. ત્યારે કહે, ‘સાહેબ, હવે મારે ત્યાં જોડે શું લઈ જવાનું?’ ત્યારે કહે, ‘લોકો જોડે ગૂંચો પાડી હતી. એટલી લઈ જાવ.’ એટલે આપણે આ નામ પરનું બધું જપ્તીમાં જવાનું. એટલે આપણે પોતાના હારું કશું કરવું જોઈએ ને ! ના કરવું જોઈએ?
************
આ શરીર પણ ક્ષણે ક્ષણે મરી રહ્યું છે, પણ લોકોને કંઈ કશી ખબર છે? પણ આપણા લોકોને તો લાકડાના બે ટુકડા થઈ જાય ને નીચે પડી જાય, ત્યારે કહેશે: ‘કપાઈ ગયું ! અલ્યા, આ કપાતું જ હતું. આ કરવતી ફરતી જ હતી.’
***********
આ હિન્દુસ્તાનના બધા વહેમ મારે કાઢી નાખવા છે. યમરાજ નામનું જીવડું નથી એમ ગેરંટીથી કહું છું. ત્યારે લોકો પૂછે છે કે ‘પણ શું હશે? કંઈક તો હશેને ?’ મેં કહ્યું: ‘નિયમરાજ છે.’
***************
એક એંશી વરસના કાકા હતા. એમને દવાખાનામાં દાખલ કર્યા હતા. હું જાણતો હતો કે બે-ચાર દહાડામાં જવાના છે. તોય મને કહે: ‘પેલા ચંદુલાલ જોવાય નથી આવતા’. આપણે કહીએ કે : ‘ચંદુલાલ તો આવી ગયા’, તો કહેશે: ‘પેલા નગીનદાસનું શું?’ એટલે પથારીમાં પડ્યો પડ્યો નોંધ કર્યા કરે કે કોણ કોણ જોવા આવ્યું છે. અલ્યા, તારા શરીરની કાળજી રાખ ને ! આ બે-ચાર દહાડામાં તો જવાનું છે. પહેલાં તું તારાં પોટલાં સંભાળ. આ નગીનદાસ ના આવે, તો એને શું કરવો છે?
આ આખો મનનીય લેખ નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.
અંતિમ પર્વ …. મણકો ૧ થી મણકો ૫ વાંચવા વેબ ગુર્જરીની આ લીંક પર ક્લિક કરો.
જીવન અને મૃત્યું
આ પોસ્ટમાંના મૃત્યુંના વિષયની પૂર્તિ કરતો વિનોદ વિહારમાં અગાઉ પ્રકાશિત મારો લેખ એક ચિંતન લેખ “મરણનું સ્મરણ ” વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરશો.
ખૂબ રાહતદાયક ચિંતન
LikeLike
Very fantastic song. Thank you Sir. Jayesh parekh Kolkata
LikeLike