વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1197 – ” નિવૃત્ત થયા પછી ” સીનીયરો માટે ઉપયોગી ઈ-બુક

સીનીયરો માટે ઉપયોગી ઈ-બુક ” નિવૃત્ત થયા પછી ”..

નિવૃત થયા એટલે કમાવા માટેની રોજ બ રોજની પ્રવૃતિઓ અને વૃત્તિઓ લગભગ નહીવત થઇ જાય છે.મન ગમતી પ્રવૃત્તિમાં મન પરોવી ઘણું ઉપયોગી કામ આ સમયે થઇ શકે છે.એ કરવા માટે સમયની મૂડી હાથવગી હોય છે.

નેટ જગતમાં જાણીતા સાહિત્યકાર મિત્ર શ્રી. વિજય શાહના સંકલનથી બનાવેલ ૬૦+ના નિવૃત વયસ્કોએ ખાસ વાંચવા જેવી ઈ-બુક ” નિવૃત્ત થયા પછી ”માં સીનીયરો માટે ઉપયોગી વાચન સામગ્રી  મળી રહેશે.

સાભાર ..શ્રી  વિજય શાહ ….(રી-બ્લોગ માટે આભાર ..શ્રી સુરેશ જાની )

વિનોદ પટેલ

સૂરસાધના

     ૨૦૦૦ પહેલાં આવો પોતીકો બ્લોગ હશે, એવો સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. નિવૃત્ત થયા પછી ‘અમદાવાદના મારા ફ્લેટની નજીક આવેલા શરદ મહેતા પાર્ટી પ્લોટની બાજુના મ્યુનિ. બગીચામાં સમવયસ્કો સાથે બાંકડા પર બેસીને ગપસપ કરીશ.’ – એવો ધૂંધળો ખ્યાલ  હતો.

પણ નિયતિનો કાંઈક અલગ જ પ્લાન હતો!’

     ૧૭ વર્ષ વીતી ગયાં અને જીવન  એ મૂળ ધારણા કરતાં અનેક ગણું સભર બની ગયું. વતન ઝૂરાપાના રોદણાના સ્થાને ‘ કેટલું બધું કરવું છે, પણ સમય ઓછો પડે છે.’– એ માહોલનો સુભગ હાલ છે !

   આવી મારી એકલાની નિયતિ નથી. ઘણા બધા ૬૦+ વયસ્કો એ ‘હાલ’માં હાલ મશગૂલ બનીને મ્હાલે છે.

એનો એક સરસ ચિતાર નેટ મિત્ર શ્રી . વિજય શાહના સંકલનથી બનાવેલ ઈ-બુકમાં છે.  આ રહી એ …

Nivrutt

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરી એ ઈ-બુક માણો

View original post

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.