આજે ૨૧મી જુન ૨૦૧૭ એટલે ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…International Day of Yoga- 2017
તારીખ ૧૧મી ડીસેમ્બર , ૨૦૧૪ ના રોજ યુનાઈટેડ નેશનની જનરલ એસેમ્બલીએ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો સર્વાનુમતે પસાર કરેલ ઠરાવ મુજબ ૨૦૧૫ ના વર્ષથી શરુ કરી દર વર્ષે આ દિવસને સમગ્ર વિશ્વમાં યોગા દિવસ તરીકે ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
યોગ એ ભારતની વિરાસત છે . એ વખતે ભારતના નવા ચૂંટાએલ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગા દિવસ માટે આગ્રહ કરીને અગત્યનો ફાળો આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…International Day of Yoga ની અંગ્રેજીમાં વિશેષ માહિતી વિકિપીડીયાની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
ભારતમાં -લખનૌમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ
‘યોગ ઝીરો કોસ્ટ હેલ્થ ઈન્શ્યોરન્સ છે. મનને સ્વસ્થ રાખીને જિંદગી જીવવાની કળા યોગ દ્વારા મળે છે.લોકોએ યોગને એમનાં જીવનનો એક હિસ્સો બનાવવો જોઈએ.’-નરેન્દ્ર મોદી
લખનૌમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ચાલુ વરસાદમાં પ્રારંભ કરતાં શ્રી નરેન્દ્ર મોદી
PM Modi at Mass Yoga Demonstration on the occasion of International Yoga Day in Lucknow
આજના યોગા દિવસ નિમિત્તે મુંબઈ સમાચારમાં પ્રકાશિત જૈમિની દેરાઈ નો એક ઉપયોગી લેખ સાભાર પ્રસ્તુત ..
યોગ ભગાવે રોગ ..સ્વાસ્થ્ય સુધા – જૈમિની દેરાઈ
આપણા દેશમાં કોઈપણ તકલીફ થતાં તબિયત સારી કરવા દવાઓ લેતા હોય છે. ફિટનેસ માટે ખર્ચા કરે છે, પણ યોગ એક એવો ઉપાય છે જે તકલીફને જડમૂળથી નાબૂદ કરે છે.
લોકો કહેશે કે યોગાસન કેવી રીતે બીમારી દૂર કરી શકે ! એનો જવાબ એ છે કે જુદા જુદા રોગ માટે જુદા જુદા આસન દર્શાવવામાં આવ્યા છે. આપણે જોઈએ કે કઈ બિમારીમાં કયું યોગાસન કરવાથી લાભ થાય છે.
—————————
સ્થૂળતા કે જાડિયાપણું
આજકાલની જીવનશૈલીમાં જંક ફૂડ, ચૉકલેટ્સ, પેસ્ટ્રીસ, સૉફ્ટ ડ્રિન્કનું સેવન વધુ પડતું કરવામાં આવતું હોવાથી સ્થૂળતાની સમસ્યા વકરી રહી છે. આનો ઉપાય છે કપાલભાતિમાં
કેવી રીતે કરશો?
સુખાસનમાં બેસીને પહેલાં ઊંડો શ્ર્વાસ અંદર ખેંચો. થોડી ક્ષણ પછી ઉચ્છવાસ બહાર કાઢવા પર ધ્યાન આપો. શ્ર્વાસ લેવાની ક્રિયા આપોઆપ થતી રહે છે. શરૂઆતમાં ૧૦ વાર ઉચ્છવાસ બહાર કાઢો. ધીમે ધીમે સમય વધારતા જાવ. આ ક્રિયા દરમિયાન પેટ અંદર-બહાર થવાનો અનુભવ થશે.
હર્નિયા અથવા હાઈ બીપીની તકલીફ હોય અથવા તો પછી પેટનું ઑપરેશન કરાવ્યું હોય એવાઓએ આ ક્રિયા કરવી નહીં.
————————–
અસ્થમા
પ્રદૂષિત વાતાવરણમાં આ રોગ કોને ક્યારે થાય તે કહી શકાય નહીં. આનો ઉપાય છે ભસ્ત્રિકા પ્રાણાયામ.
કેવી રીતે કરશો ?
આ ક્રિયા ખૂબ ધીમી ગતિથી કરવી જોઈએ. લાંબો ઊંડો શ્ર્વાસ લો. ફેફસામાં જવા દો. ધીરે ધીરે ઉચ્છવાસ બહાર કાઢો. શરૂઆતમાં એકાદ બે મિનિટ કરો. ત્યારપછી મિનિટ વધારીને પાંચ મિનિટ સુધી પ્રાણાયામ કરો. આમ કરતાં થાકી જવાય તો બ્રેક લો.
—————————-
સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ
આધુનિક જીવનશૈલી સાથે સંકળાયેલી આ તકલીફ છે. ખાસ કરીને ખુરશી પર બેઠા-બેઠા કમ્પ્યુટર પર કામ કરનારાને આ તકલીફ થતી હોય છે. રોજ આઠ કલાક એક જ સ્થિતિમાં બેસવાનું હોવાથી તેમની ડોક, ખભા, અને પીઠ પર વધુ દબાણ આવે છે.
આ માટે ભુજંગાસન કરી શકો.
કેવી રીતે કરશો?
સપાટ જમીન પર ચટાઈ પાથરો. ઊંધા સૂઈ જાવ. બંને હાથના ખભા બગલ તરફ વાળો. ઊંડો શ્ર્વાસ લો. હાથ ટેકવીને ધડને ઉપર લઈ જાવ. ડોકને પાછળ તરફ ફેરવો. થોડી સેકંડ આ અવસ્થામાં રહો. ધીમે ધીમે ઉચ્છવાસ છોડતી વખતે પૂર્વ સ્થિતિમાં આવો. આ આસન બીજી અવસ્થામાં પાછળથી ઘૂંટણ વાળીને ધડને હાથના બળે ઉપર ઉઠાવો. ઊંડા શ્ર્વાસ લો. થોડી સેક્ધડ એ અવસ્થામાં રહો. ફરી પૂર્વ સ્થિતિમાં આવો. દરરોજ આ આસન તમારી ક્ષમતા પ્રમાણે પાંચ મિનિટ કરી શકો.
————————–
હાઈ બ્લડપ્રેશર
આ તકલીફ હોય તો ચંદ્રભેદી પ્રાણાયામ કરવાથી ખૂબ ફાયદો થાય છે. સાવ સહેલું છે.
કેવી રીતે કરશો?
એક ચટાઈ પર સુખાસનમાં બેસીને ડાબા હાથના અંગૂઠાથી જમણા નસકોરાને થોડી ક્ષણ બંધ કરો. ડાબા નસકોરાથી શ્ર્વાસ લો અને જમણા નસકોરાથી ઉચ્છવાસ બહાર કાઢો. આ ક્રિયા કરતી વખતે આંખ બંધ કરો. બધું ધ્યાન શ્ર્વાસોચ્છ્વાસ પર કેન્દ્રિત કરો. આ આસન કરતી વખતે શાંત વાતાવરણ અને મનની એકાગ્રતા રાખશો તો સંપૂર્ણ લાભ મળશે. શરૂઆતમાં પાંચ મિનિટ કરી શકો. ધીરે ધીરે સમય વધારો. હાઈ બ્લડપ્રેશર કાબૂમાં રાખી શકશો.
આ આસનથી હૃદયની તકલીફથી બચી શકાય છે.
—————————
ડાયાબિટીસ
આ તકલીફ માટે મંડૂકાસન કરવાથી ફાયદો થાય છે.
કેવી રીતે કરશો?
બંને પગને પાછળ વાળીને ઘૂંટણ પર વજ્રાસન મુદ્રામાં બેસો. ડાબા હાથની મુઠ્ઠી વાળીને નાભિ પાસે રાખો. મુઠ્ઠી પર જમણા હાથથી ધીરે ધીરે દબાવો, છાતી ફુલાવી ઊંડા શ્ર્વાસ લો. ધીમે ધીમે આગળ તરફ ઝૂકતા જાવ. ઝૂક્યા પછી તમારી ક્ષમતા પ્રમાણે એક-બે મિનિટ શ્ર્વાસ રોકો. ચહેરા તરફ લોહીનો પ્રવાહ જઈ રહ્યો હોવાનું લાગતાં ઉચ્છવાસ બહાર કાઢતાં સીધા બેસો ને ઘૂંટણ પર હાથ રાખો. આ ક્રિયા ચાર-પાંચ વાર કરો. સમગ્ર ક્રિયા દરમિયાન આંખો બંધ રાખો, ગરદન સીધી રાખો. આમ કરવાથી પૅન્ક્રિયાસની કવાયત થાય છે. શરીરમાં ઈન્સ્યુલિન પ્રવાહિત થાય છે. નિયમિત કરવાથી શુગર લેવલ ઘટે છે. ઘૂંટણની તકલીફ હોય તો સુખાસનમાં બેસીને આ ક્રિયા કરી શકાય છે.
મુંબઈ નિવાસી મારા મિત્ર શ્રી યોગેશ કણકિયાએ એમના ઈ-મેઈલમાં સ્વામી શિવાનંદના શિષ્ય સ્વામી સત્યાનંદજી લિખિત યોગ ઉપર એક સુંદર ઈ-બુક શીર્ષકAsana Pranayama Mudra Bandhaમોકલી છે એ માટે એમનો આભારી છું.
વિનોદ વિહારના વાચકો આ ઈ-બુક નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકશે.
Liked. Thanks for sharing.
LikeLike
સ્વાસ્થ્ય માટે ઉપયોગી માહિતી
ધન્યવાદ
LikeLike