ભૈરવી રાગ એ મને ખુબ ગમતો એક શાસ્ત્રીય રાગ છે. બધા રાગોમાં ભૈરવી રાગ શિરમોર જેવો છે અને બહુ જ પ્રખ્યાત રાગ છે .
આ રાગમાં ગવાએલ શાસ્ત્રીય ગીતો અને ભજનો મનને શાંતિ આપે છે. ભૈરવી રાગમાં કમ્પોઝ કરેલું કોઈ પણ ગીત કે ભજન ખુબ જ મધુર બનતું હોઈ મનને ડોલાવી જાય છે
ભર્તુહરીએ કહ્યું છે કે: “संगीत साहित्य कला विहीन साक्षात् पशु पुच्छ् विषाण हीन” એટલે કે સંગીત સાહિત્ય અને કળાના જ્ઞાન વિનાનો માણસ પુંછડા અને શીંગડા વિનાના પશુ સમાન છે. થોડો સમય કાઢીને જો સંગીત સાંભળી લઈએ, કોઈ સારું સાહિત્ય વાંચીએ અથવા તો કોઈ પણ કળાના ઊંડાણમાં જઈને જો રસ લઈએ તો એથી જીવનમાં આનંદની અનુભૂતિ થાય છે જે મેડીટેશનની ગરજ સારે છે.
વિદ્વાનોએ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે ભારતીય ક્લાસીકલ સંગીત સાંભળવાની મ્યુઝિક થેરેપીથી અનેક રોગોમાંથી રાહત મળે છે. સંગીતના સૂરો વિવિધ રોગોમાં અસરકારક દવા જેવું કામ કરી શકે છે.
પાચનરોગોમાં રાગ દેશ,રાગ વૃંદાવની સારંગ, ડિપ્રેશનમાં રાગ ભૈરવી, રાગ યમન જયારે અનિંદ્રામાં રાગ પીલું અસરકારક કહેવાય છે. રાગ સાથે કયા વાજિંત્રનો ઉપયોગ થાય છે તે પણ મહત્વનુ છે જેમ કે, રાગ યમન સિતારમાં સાંભળવામાં મજા આવે છે.
ભૈરવી રાગ મનને શાંતિ આપતો હોઈ અનિદ્રાના દર્દીઓને માટે રાગ ભૈરવી અથવા રાગ સોહની સાંભળવો લાભ દાયક છે.
મોટા સમારંભોમાં સંગીતના પંડીતો આ રાગને અંતે ગાવાનું પસંદ કરે છે કારણ કે મધુરતાથી ભરપુર ભૈરવી રાગ સાંભળ્યા પછી બીજા રાગો ફિક્કા પડી જાય છે. ભૈરવી રાગ એ મુખ્યત્વે સવારે પ્રથમ પ્રહરે ગાવાનો રાગ છે. દેવીઓનાં જે આઠ નામો છે એમાં એકનું નામ ભૈરવી છે.
ભૈરવી ભજનાવલી- ભૈરવી રાગ ઉપર આધારિત ક્લાસિકલ ભજનો
ભૈરવી રાગ ઉપર આધારિત ઘણાં શાસ્ત્રીય અને ફિલ્મી ભજનો યુ-ટ્યુબ ચેનલ પર મળી આવે છે. એમાંથી કેટલાંક મારી પસંદગીનાં મને ગમતાં ભક્તિ ગીતો નીચે આપવા મેં પ્રયત્ન કર્યો છે.
આ બધાં ગીતોમાં એક આધ્યાત્મિક -Spiritual- ભાવની તમને અનુભુતી થશે.
પ્રથમ ફિલ્મ – આલાપનું મા સરસ્વતીની વંદના કરતા ગીતથી થી
શરુઆત કરીએ…. …રાગ ભૈરવ
૧. ફિલ્મ – આલાપ …ગાયક- લતા મંગેશકર -દિલરાજ કૌર
૨.જાગો મોહન પ્યારે –ફિલ્મ આલાપ
Lata Mangeshkar -“Jago Mohan Pyare (From “Jagte Raho”)
Music Director: Salil Chowdhury
૩. સાંવરે સાંવરે….ફિલ્મ અનુરાધા -૧૦૬૦
SAANWARE SAANWARE KAAHE MO SE -LATA -SHAILENDRA- PT.RAVISHANKAR (ANURADHA 1960)
“થોડો સમય કાઢીને જો સંગીત સાંભળી લઈએ, કોઈ સારું સાહિત્ય વાંચીએ અથવા તો કોઈ પણ કળાના ઊંડાણમાં જઈને જો રસ લઈએ તો એથી જીવનમાં આનંદની અનુભૂતિ થાય છે જે મેડીશનની ગરજ સારે છે.”
મહા શિવ રાત્રીનો માહોલ ચાલે છે ત્યારે રાગ-સંગિતની ભક્તિથી તરબોળ કરી દીધા આપે. સાથે જુના સાથીદાર
(All India Radio) નો સથવારો પણ કરવ્યો.
જેના શ્રવણ પછી થઈ રહેલા ગુંજારવમાં શબ્દો ખોવાય ગયા છે. છતા આભાર શબ્દ કહ્યાવગર કેમ રહેવાય??!!!
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
રાગ ભૈરવી.
આજે શ્રી વિનોદભાઈ એ મને આનંદમાં તરબોળ કરી દીધો. મારી ઉર્મિને દર્શાવવા મારી પાસે શબ્દો નથી. કેટલી ટેલીપથી? આવતી કાલે હું મારા બ્લોગમાં આ જ રાગ પર આધારીત થોડી લિન્ક મૂકવાનો હતો તે વિનોદભાઈએ ખૂબ જ સરસ રીતે રસ દર્શન કરી રજુ કર્યો. વિનોદભાઈના આભાર સહિત આ હું મારા સંગીતપ્રિય મિત્રો માટે રીબ્લોગ કરું છું.
સાથે રાગની બેઝિક માહિતી ઉમેરવાનો લોભ જતો નથી, કે જેથી મારે ભૈરવી રાગ મારે ફરી પુનરાવર્તીત કરવો ન પડે.
“થોડો સમય કાઢીને જો સંગીત સાંભળી લઈએ, કોઈ સારું સાહિત્ય વાંચીએ અથવા તો કોઈ પણ કળાના ઊંડાણમાં જઈને જો રસ લઈએ તો એથી જીવનમાં આનંદની અનુભૂતિ થાય છે જે મેડીશનની ગરજ સારે છે.”
મહા શિવ રાત્રીનો માહોલ ચાલે છે ત્યારે રાગ-સંગિતની ભક્તિથી તરબોળ કરી દીધા આપે. સાથે જુના સાથીદાર
(All India Radio) નો સથવારો પણ કરવ્યો.
જેના શ્રવણ પછી થઈ રહેલા ગુંજારવમાં શબ્દો ખોવાય ગયા છે. છતા આભાર શબ્દ કહ્યાવગર કેમ રહેવાય??!!!
LikeLike
અનેકોમા અનુભવેલી વાત-‘ભૈરવી રાગ મનને શાંતિ આપતો હોઈ અનિદ્રાના દર્દીઓને માટે રાગ ભૈરવી અથવા રાગ સોહની સાંભળવો લાભ દાયક છે.
મોટા સમારંભોમાં સંગીતના પંડીતો આ રાગને અંતે ગાવાનું પસંદ કરે છે કારણ કે મધુરતાથી ભરપુર ભૈરવી રાગ સાંભળ્યા પછી બીજા રાગો ફિક્કા પડી જાય છે. ભૈરવી રાગ એ મુખ્યત્વે સવારે પ્રથમ પ્રહરે ગાવાનો રાગ છે. દેવીઓનાં જે આઠ નામો છે એમાં એકનું નામ ભૈરવી છે.આ મધુરો રસથાળ ફરી ફરી માણવાનો આનંદ
રાગ ભૈરવ . ફિલ્મ – આલાપ …ગાયક- લતા મંગેશકર -દિલરાજ કૌર
જાગો મોહન પ્યારે ..અદભૂત
સાંવરે સાંવરે
.તુમ હી હો માતા, તુમ હી હો પિતા ..
ઇન્સાફ્કા મંદિર હૈ ,….
. તોરા મન દર્પન કહલાએ…
. જ્યોત સે જ્યોત જગાતે ચલો
… કા સાગર હૈ …
સાંવરે,સાવરે છેલ્લે લતાજી અને સ્વ.પંડિત ભીમસેન જોશીની મસ્ત શાસ્ત્રીય જુગલબાંધીમાં ભૈરવી રાગમાં ગવાએલું આ ભક્તિ ગીત.ખૂબ મધુર
LikeLike
Bhairav Raag also benefit for the deep Meditation , calm the mind and help for concentration .
LikeLike
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
રાગ ભૈરવી.
આજે શ્રી વિનોદભાઈ એ મને આનંદમાં તરબોળ કરી દીધો. મારી ઉર્મિને દર્શાવવા મારી પાસે શબ્દો નથી. કેટલી ટેલીપથી? આવતી કાલે હું મારા બ્લોગમાં આ જ રાગ પર આધારીત થોડી લિન્ક મૂકવાનો હતો તે વિનોદભાઈએ ખૂબ જ સરસ રીતે રસ દર્શન કરી રજુ કર્યો. વિનોદભાઈના આભાર સહિત આ હું મારા સંગીતપ્રિય મિત્રો માટે રીબ્લોગ કરું છું.
સાથે રાગની બેઝિક માહિતી ઉમેરવાનો લોભ જતો નથી, કે જેથી મારે ભૈરવી રાગ મારે ફરી પુનરાવર્તીત કરવો ન પડે.
LikeLike
Pingback: ( 869 ) ભૈરવી રાગ પર આધારિત થોડા વધુ શાસ્ત્રીય અને ફિલ્મી ગીતોની મહેફિલ …. | વિનોદ વિહાર
Thank you very much for this- sumanbhai@ap;.com
LikeLike
સરસ માહિતી આપી
LikeLike