વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓગસ્ટ 2014

( 518 ) વિનોદ વિહાર– ત્રણ વર્ષની મજલને અંતે….એક વિહંગાવલોકન … સંપાદક – વિનોદ પટેલ

ગુજરાતી બ્લોગ વિશ્વમાં ત્રણ વર્ષની યાદગાર મજલ કાપીને વિનોદ વિહાર સપ્ટેમ્બર, ૧ ૨૦૧૪ ના રોજ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે .

આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં ,૧ લી સપ્ટેમબર ૨૦૧૧ ની પહેલી પોસ્ટ મારો ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર માં કહેલા શબ્દો સાથે, મારા જીવનના અમૃત પર્વે,એટલેકે ૭૫મા વરસે બ્લોગ ગુર્જરીની ફળદ્રુપ માટીમાં વિનોદ વિહાર નામના એક નાનકડા બીજનું વાવેતર કર્યું હતું .

એ વખતે મનમાં ડર હતો કે બી તો વાવ્યું છે પણ વાડીનાં બીજાં મોટાં શાખાઓ વિસ્તારીને ઉભેલાં વૃક્ષો વચ્ચે ઉગી રહેલ આ એકલ દોકલ નાના છોડ ઉપર કોણ દ્રષ્ટિ કરવાનું છે .

ત્રણ વર્ષની આ બ્લોગની સફરના અંતે નીચેના પ્રગતિ સૂચક આંકડાઓ જોયા પછી હું એ કહેવાની સ્થિતિમાં છું કે મારો એ ડર કેટલો અસ્થાને હતો .

============================================================

ત્રણ વરસની સફરને અંતે વિનોદ વિહાર

પ્રગતી સૂચક આંકડાઓ .

=======================

                                                                  2014                  2013        2011-12

1.  મુલાકાતીઓનીસંખ્યા …..                         ….     174320               97200       2300

2  બ્લોગ પોસ્ટની સંખ્યા                                      …         518                   301          85

3.  બ્લોગમાં મુકાતી દરેક પોસ્ટને

નિયમિત ફોલો કરતા બ્લોગર

અને અન્ય સ્નેહી મિત્રો ……….                                      251                     198       57

વાચક મિત્રોએ આજદિન સુધી આપેલ

પ્રતિભાવોની સંખ્યા ( મારા પ્રત્યુત્તર નહિવત હોવા છતાં ) ..   3084

એક જ દિવસે વધુમાં વધુ મુલાકાતીઓ -Beat ever – ……667

===============================================================

 વિનોદ વિહાર – દુનિયાના ફલક ઉપર 

કુલ વાચકો ૧૭૪૩૨૦  છે એમાંથી ક્યા ક્યા દેશમાં અને કેટલી સંખ્યામાં એ પથરાયેલા છે

એની માહિતી જુઓ આ નકશામાં

VV Stats_Aug_14

 

 જે દેશમાં ૨૦ થી વધુ લાકાતીઓ છે એવા દેશો અને મુલાકાતીઓની સંખ્યા આ પ્રમાણે છે. 

VV Stats_Aug_14_2

અને ૨૦થી નીચે મુલાકાતીઓ વાળા દેશો તો ઘણા બધા છે!

ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ કહેવાય કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો એના બ્લોગમાં મુકાયા એ શબ્દો અને ચિત્રો થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી ગયા !

વિનોદ વિહારના આ ઉછરતા વૃક્ષની પ્રગતિમાં એના ઉપર નજર રાખી રોજે રોજની માવજત કરનાર આ લખનાર માળીનું શ્રેય તો ખરું જ પરંતુ વખતો વખત આ ઉછરતા છોડની લગભગ પોણા બે લાખ જેટલા સાહિત્ય રસિક વાચક મિત્રોએ મુલાકાત લીધી અને અનેક મિત્રોએ એમના ભાવસભર પ્રતિભાવો અને પ્રોત્સાહિત શબ્દો રૂપી ખાતર અને પાણીનો આ છોડ ઉપર છંટકાવ જો ના કર્યો હોત તો ખુબ આશાઓ સાથે વાવેલ આ સાહિત્યનો છોડ કદાચ ઉગતો જ મુરઝાઈ ગયો હોત.

મેં તો અકેલા ચલા થા ,

જાનીબે મંઝિલ મગર …

લોગ સાથ આતે ગયે .

ઔર કારવાં બનતા ગયા !

આ ત્રણ વર્ષો દરમ્યાન મારી અલ્પબુદ્ધિ પ્રમાણે આ બ્લોગમાં મારા સ્વ-રચિત કે પછી વાચનમાંથી મને ગમ્યું હોય એવું મારી પસંદગીનું પ્રેરણાદાયી સત્વશીલ અને જીવન પોષક સાહિત્ય પીરસીને આપણી ગરવી ગુજરાતી ભાષામાં ગદ્ય-પદ્ય સર્જનની રસમય આનંદ યાત્રા કરાવી સૌને સંતોષવાનો, શારીરિક મર્યાદાઓ વચ્ચે પણ ,શક્ય એટલો બધો મેં પ્રયત્ન કર્યો છે  .

સ્વામી શિવાનંદજીનું એક સરસ અવતરણ છે ;

Put your heart, mind, and soul into even your smallest acts. This is the secret of success.

Swami Sivananda

આ બ્લોગ અંગેના મારા પ્રયત્નોમાં હું કેટલો સફળ રહ્યો છું ,એ તો આ બ્લોગના સુજ્ઞ વાચકો જ કહી શકે .વરને વરની મા વખાણે એ શું કામનું. ગામના લોકો કહે કે ના ખરેખર આ લાડો પોંખવા જેવો છે , તો જ ખરું.

આ ચાર આગેવાન “ ગામ લોકો” આ અંગે શું કહે છે એ નીચે વાચો. 

“ મળવા જેવા માણસો “ નો પરિચય કરાવનાર ,જેમને રૂબરૂ મળ્યો નથી પણ ફોન ઉપર અવારનવાર મળીએ છીએ એવા મારા અને મારા જેવા ઘણા બ્લોગર મિત્રોના સહૃદયી મિત્ર શ્રી પી.કે. દાવડાજી એ આ પ્રસંગે એમનો શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. એમના આભાર સાથે એ નીચે પ્રસ્તુત છે. 

વિનોદ વિહારને શુભકામના…….પી .કે. દાવડા

P.K.DAVDA

P.K.DAVDA

વિનોદ વિહાર એટલે આનંદથી વિહરવાનું સ્થાન. વિનોદ વિહાર એ ખરેખર Blog Surfing કરનારાઓ માટે આનંદ મળે એવું સ્થાન છે.

આ બ્લોગમાં અનેક સર્જકોની માણવા જેવી રચનાઓ ઉપરાંત એના સંપાદક શ્રી વિનોદભાઈ પટેલના પોતાના લખાણો પણ ખૂબ જ ઉત્તમ કોટીના હોય છે. સાહિત્યના લગભગ બધા જ પ્રકાર, કવિતા, નિબંધ, લેખ, વાર્તા, રમૂજ, ધાર્મિક લખાણો, રાજકારણ, ઉત્સવો વિષેના લખાણ, રાજકારણ, શું શું નથી વિનોદ વિહારમાં?

પ્રત્યેક રચનાની રજૂઆત પહેલાં સર્જકનો ટુંકો પરિચય અને રચના વિષે યોગ્ય ટીપ્પણી એ વિનોદ વિહારની આગવી ખાસિયત. 

બ્લોગ જગતમાં માત્ર ત્રણ વર્ષમાં માનભર્યું સ્થાન મેળવાનારા બ્લોગ્સમાં વિનોદ વિહારનો પણ સમાવેશ થઈ જાય છે. વિનોદ વિહાર જ્યારે એના ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે એ પ્રસંગે હું સંપાદક શ્રી વિનોદભાઈને અભિનંદન આપું છું અને વિનોદ વિહાર હજી પણ વધારે ઊંચાઈઓ સર કરે એવી શુભેચ્છા પાઠવું છું.

                                                  -પી. કે. દાવડા

હ્યુસ્ટનથી મારા સ્નેહી વડીલ ભાઈ ચીમનભાઈ “ચમન “એ પ્રસંગોચિત નીચેની ભાવ સભર કાવ્ય રચના લખી મોકલી છે .એમની આ રચના અને શુભેચ્છા બદલ એમનો આભારી છું .

ચીમન પટેલ-૧

‘વિનોદ વિહાર’ ચોથા વર્ષમાં!

ત્રણજ વર્ષમાં,

વિનોદે કરી છે કમાલ!

એકલા એકલા,

એક જ હાથે,

ટાઈપ કરી કરી,

વહેંચી વાનગીઓ વિવિધ

‘વિનોદ વિહાર’ના બધા વાંચકોને!

 

ત્રણજ

વર્ષમાં વધ્યા વાંચકો,

વધ્યા મિત્રો ને વધ્યા વેબ વિચારો

વેબનો એમનો આ વેલો

ફેલાયો છે

હવે તો ચોમેર!

ચોથા વર્ષે, સૌ વતી, કરે છે-

‘ચમન’ પ્રભુને પ્રાર્થના;

આપે આયુષ્ય લાંબુ અવિનાશ એમને.

***********

(ચીમન પટેલ ‘ચમન’/૨૩ઓગષ્ટ’૧૪) 

===============================

મારા Friend ,Philosopher and Guide અને સહતંત્રી શ્રી સુરેશભાઈ જાનીએ  વિનોદ વિહારની ત્રીજી વર્ષ ગાંઠ પ્રસંગે મોકલેલ પ્રેરક સંદેશ, એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

સુરેશ જાની

સુરેશ જાની

     વિનોદભાઈનો માનસ બાબલો ‘વિનોદ વિહાર’ હવે ત્રણ વર્ષનો થયો . હવે તો એ થોડોક જ ભાંખોડિયાં ભરે? એ તો હવે દોડતો જ હોય ને?

   આવડતનો ગ્રાફ તો દોરી શકાતો નથી હોતો; પણ ‘વિપ’ના પહેલા લેખ અને આજના છેલ્લા લેખને સરખાવી જોઈએ તો બ્લોગિંગમાં થયેલી એમની પ્રગતિ આંખે ઊડીને વળગી જાય. લેખના સુઘડ દેખાવ અને સુશોભન માટેનો એમનો આગ્રહ કાબિલે દાદ છે. એ જ રીતે કોમેન્ટોના જથ્થાઓને પણ સરખાવી, એ સત્ય આત્મસાત્‍ કરી શકાય.

   પણ એ બધી વિગતો અને બહારી નજારાની ભીતર ધબકી રહેલા ‘માણસ’ કહેવાય એવા માણસને આ પ્રસંગે પોંખવો છે. ફોન પરની વાતચીતમાં પણ એમનો ધબકતો, નિર્વ્યાજ પ્રેમ છલકાયા કર્યો છે.

એક જ સાદો દાખલો – આ જુલાઈ ’૧૪ ના મહિનામાં ‘વિપ’ સાન ડીયેગોથી એલ.એ.માં એમની દીકરીને ઘેર એક મહિનો રહેવા ગયા ત્યારે તેમણે એલ.એ. મળવા આવવા માટે આ લખનારને પ્રેમ સભર ઈજન આપેલું. એમના મનની ઈચ્છા હતી કે હું આવી શકું તો એલ. એ.માં રહેતા અન્ય બ્લોગરો, ગોવીંદ પટેલ , રમેશ પટેલ,ચન્દ્રવદન મિસ્ત્રી ,કેપ્ટન નરેન્દ્રભાઈ, આનંદરાવ લિંગાયત, વી.પ.અને અન્ય સાહિત્ય પ્રેમીઓનું મારી હાજરીમાં એક યાદગાર સ્નેહ સમ્મેલન થઇ જાય.સાન ફ્રાંસીસ્કોથી શ્રીદાવડા અને પ્રજ્ઞાબેન દાદભાવાળા એ પણ એલ.એ. આવવા ઇચ્છા બતાવેલી .

સંજોગવશાત‍ એ મુલાકાત શક્ય ન થઈ. પણ એમણે દર્શાવેલ પ્રેમભાવ સદા યાદ રહેશે.

છેવટે વિનોદ વિહાર બ્લોગ દિન પ્રતિ દિન પ્રગતિ કરતો રહે અને સૌ વાચક મિત્રોને વિનોદ કરાવતો રહે  એવી શુભેચ્છા.

—-સુરેશ જાની

=====================

Last but not least ,

શ્રી આનંદરાવ લિંગાયત

શ્રી આનંદરાવ લિંગાયત

લોસ એન્જેલસમાં રહેતા જાણીતા સાહિત્યકાર, વાર્તા લેખક અને ગુંજન સામાયિક ના તંત્રી, ૮૩ વર્ષના મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત અંગ્રેજીમાં જણાવ્યું છે . 

July, 31, 2014 

Vinodbhai, 

Now you are transforming yourself into an ”Editor”

… you are a honey-bee … 

I don’t know where you find this energy … !! 

”Kahat Kabir Suno Bhai Mody” posted by you is circulating like a

whirl wind in the inter net. All over.  

Wishing you all well, 

– Anand Rao

====================

વી.વી.ની પોસ્ટને અંતે આપેલા આવા બીજા ઘણા મિત્રોના પ્રેરક પ્રતિભાવો જગ્યાને અભાવે અહીં આપવા શક્ય નથી. આ બધા જ મિત્રોનો પણ હું આભારી છું. 

અંતે સમાપનમાં ……નિવેદન અને આભાર દર્શન  

Namaste !

મિત્રો,

૭૮ વર્ષની વયે, શારીરિક દ્રષ્ટીએ થોડો સંઘર્ષ કરી રહ્યો છું છતાં મનમાં સદાનો હું ખુબ

આશાવાદી છું. આશા અમર છે.

જીવન અને સંઘર્ષ અંગે હિન્દીમાં વાંચેલી કાવ્ય ક્ન્ડીકાઓનો કરેલો મારો ભાવાનુવાદ આ છે કે —

જિંદગી જીવવી કદી એમ સહેલી નથી

વિના સંઘર્શે કોઈ મહાન બન્યું નથી

હથોડાના પ્રહારો ખમે નહી ત્યાં સુધી

પથ્થર ભગવાન બની પૂજાતો નથી

માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની

જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહે છે.

નવી આશાઓ લઈને ઉગતી જીવનની દરેક સવારનું સ્વાગત કરી દિવસ દરમ્યાન

બ્લોગીંગથી મળતા આનંદનો ગુલાલ સૌ ઉપર છાંટતાં મારું મન પણ ગુલાલમય

બની ખુશીથી ઉભરાતું હોય છે.

મારે મન બ્લોગીંગ પણ એક કળા છે .કૈક સર્જન કર્યાનો આનંદ સૌમાં વહેંચવો એ સમયની પાબંદી વગરના મુક્ત નિવૃત્ત જીવનમાં લેવા જેવો અનેરો લ્હાવો છે .બ્લોગીંગમાં જ્યારે ધ્યાન પરોવાય છે ત્યારે બધું વિસરાઈ જાય છે અને એક પ્રકારનું મેડીટેશન બની જાય છે . માંહલો મલકી ઉઠે છે  . મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો સહકાર અને ભાવ-પ્રતિભાવ મને લખવા અને પોસ્ટ તૈયાર કરવા માટેની પ્રેરણા બને છે.

વિનોદ વિહારની એની ત્રણ વર્ષની સફરમાં જે મિત્રોએ બ્લોગની મુલાકાત લઈને ,પ્રતિભાવોથી યા અન્ય કોઈ રૂપે આ આનંદયાત્રામાં મને સાથ આપ્યો છે એ તમામ ભાષા પ્રેમી મિત્રો અને સ્નેહીજનોનો મનમાં ખુબ જ આનંદ અને સંતોષની મિશ્ર લાગણી સાથે હું હાર્દિક આભાર માનું છું .

મને આશા છે કે આવતા દિવસોમાં પણ આપ્યો છે એથી પણ વિશેષ એમનો સહકાર મળતો રહેશે. 

“માઈલોના માઈલોનું અંતર ખરી પડે

જ્યાં અંતરના  પ્રેમનો સેતુ નિરંતર.”

સપ્રેમ, સાદર ,

વિનોદ પટેલ

=========================================================

મૌલિકા દેરાસરી

મૌલિકા દેરાસરી

 

બ્લોગ ભ્રમણની વાટે …વિનોદ વિહારનો પરિચય….મૌલિકા દેરાસરી

 

 

(517 ) વૃક્ષની સુકી ડાળી પર બે પંખીને જોઈ ….મારી એક અછાંદસ રચના

 આજે સવારે કિચનમાં ચા-નાસ્તાની લહેજત લઇ રહ્યો હતો ત્યારે બહાર બેક યાર્ડ ના એક નાના વૃક્ષની સુકી ડાળી ઉપર બેઠેલાં બે પક્ષીઓ જોયાં. એમને જોઇને નીચેની અછાંદસ કાવ્ય રચનાની પ્રેરણા થઇ.

 

વૃક્ષની સુકી ડાળી પર બે પંખીને જોઈ ….

Two birds

નાના વૃક્ષની એક સુકી ડાળી પર

કેવાં બેઠાં છે બે નાનકાં પંખીઓ !

પતી-પત્ની હશે કદાચ ,

કે હશે બે “ પ્રેમી પંખીડાં” !

શું વાતો કરતાં હશે , એમની ભાષામાં?

કોઈ ઝગડાનો મનમેળ હશે !

આપણને શું ખબર પડે .

પણ પછી થયું મનમાં,

કેવાં નિશ્ચિત છે આ બેલડાં .

સુકી ડાળી તૂટવાનો ભય કેમ નહિ હોય !

પછી વધુ વિચારતાં થયું,

નબળી સુકી ડાળી ઉપર બેઠાનો

કોઈ ભય નથી કારણ,

ડાળની મજબુતાઈ પર વિશ્વાસ છે એ નહિ ,

એમની બે પાંખોની શક્તિ ઉપરના

મનના અડગ વિશ્વાસ ઉપર ,

બેઠું છે આ યુગલ, નિશ્ચિંત મને !

સુકી ડાળ કદાચિત તૂટી પડે તો પણ ,

શો ભય છે , પાંખોના બળે ઉડી જવાશે !

બોધપાઠ :

પરિસ્થિતિ ની કોઇપણ સુકી ડાળ કેમ ના હોય

જો બાવડાં મજબુત છે ,

ને મનમાં અડગ વિશ્વાસ છે

તો પછી પડવાનો ડર  શાનો !

કદાચ પડશું તો પણ ઉભા થઈને

દોડવાનું પગમાં જોર છે .

વિનોદ પટેલ ,સાન ડિયેગો

 

પક્ષીઓની વાત ઉપરથી મારી એક યાદગાર તસવીરનું સ્મરણ થયું . આ રહ્યું એ ચિત્ર .

VRP WITH BIRD-1 

જુલાઈ ૧૪ માં હું લોસ એન્જેલસમાં એક મહિનો ઉનાળુ વેકેશનમાં મારી દીકરીને ત્યાં રહેવા ગયો હતો.એના પરિવારનું પેટ કોકાટેલ પક્ષી નામે MANNY ચુપચાપ મારા ખભા ઉપર આવીને બેસી ગયું અને મારી આંખમાં તાકીને જાણે કે એની મુક ભાષામાં કૈક કહી રહ્યું ના હોય ! મારા જમાઈએ ત્યાં દોડી આવી એમના કેમેરામાં એ ઉડી જાય એ પહેલાં આ યાદગાર તસ્વીર ઝડપી લીધી .કમનશીબે આ તસ્વીર લીધાના એક વિક પછી એ મૃત્યુ પામ્યું. કેમ અને કેવી રીતે આમ બન્યું એની રસિક વાત એક જુદી પોસ્ટમાં કોઈવાર જણાવીશ.   

A bird does not sing because it has an answer.

It sings because it has a song.

Maya Angelou

 

( 516 ) “મિચ્છામી દુક્કડમ :” ….ક્ષમાપના…. સૌએ અપનાવવા જેવી ભાવના

mahaavir-sandesh

 જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો અંતિમ દિવસ  મિચ્છામી દુક્કડમ :  એટલે કે અન્યોન્ય ક્ષમાપના માટેનો દિવસ છે .

આ દિવસની મહત્તા દર્શાવતો મારો એક લેખ ” મિચ્છામી દુક્કડમ – જૈન ધર્મનો અપનાવવા જેવો ક્ષમાપનાનો ગુણ ‘વિનોદ વિહારમાં અગાઉ તારીખ ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૨ ની પોસ્ટમાં મુકાયો હતો એમાં સહેજ સાજ ફેરફાર કરી આજની પોસ્ટમાં મુક્યો છે .

આશા છે આ પોસ્ટ માંના વિચારો આપને ગમશે અને મનનીય જણાશે .

વિનોદ પટેલ

============================

મિચ્છામી દુક્કડમ ….ક્ષમાપના….સૌએ અપનાવવા જેવી ભાવના

વિનોદ પટેલ

ગણેશચતુર્થી અને જૈનોનું પર્યુષણ પર્વ દર વર્ષે મોટે ભાગે સાથો સાથ આવતા તહેવારો છે .

ગણેશચતુર્થીથી એક સપ્તાહનો ગણેશોત્સવ ઘણાં સ્થળોએ ખુબ ધામધૂમ થી ઉજવાય છે . ગણપતિ બાપ્પા મોરિયા .. જેવા નાદો તેમ જ અવનવા કાર્યક્રમોથી વાતાવરણ ગુંજી ઉઠે છે . ધાર્મિક જનો વિઘ્નહર્તા દેવ ગણપતિનું,સ્થાપન,અર્ચન અને પૂજન કરે છે .

પર્યૂષણ પર્વ પણ જૈન સમાજનો એક સપ્તાહનો ધાર્મિક ઉત્સવ છે. આ પર્વના છેલ્લા દિવસે જૈન બંધુઓ અને ભગિનીઓ દેરાસરોમાં સાંજે પ્રતિકમણ બાદ એક બીજાને મિચ્છામી દુક્કડમ : પાઠવે છે .

જૈન ધર્મનો મિચ્છામી દુક્કડમનો વિચાર બધા જ ધર્મના લોકોએ અપનાવવા જેવો સુંદર વિચાર છે. આમાં મન ,વચન અને કાયાથી કર્મ કરતાં, કરાવતાં જાણે ,અજાણે થયેલા દોષોમાટે એક બીજાની માફી એટલે કે ક્ષમા માગવાનો અને આપવાનો ઉમદા ભાવ સમાયેલો છે.

ખરા દોષી,ખરા વેરી અને ખરા અપરાધીને પણ ક્ષમા આપવી એટલે મિચ્છામી દુક્કડમ.

ક્ષમા એ સંયમનો સર્વોપરી પ્રકાર છે.ક્ષ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવું.આમ માનવ સંબંધોમાં પડેલી ગાંઠને દુર કરવાનું ક્ષમાપના કામ કરે છે.

આજે એકવીસમી સદીમાં વ્યક્તિ સ્વાર્થી બનતો જાય છે.વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ખોટા અહમને લીધે ગાંઠો પડતી જાય છે.એનાથી જીવન શુષ્ક બની રહ્યું છે.

ક્ષમા ભાંગેલાં હૈયાને સાંધવાનું કામ કરે છે. શાસ્ત્ર ગ્રંથોમાં ક્ષમાના પાંચ પ્રકાર દર્શાવ્યા છે.

૧. ઉપકાર ક્ષમા

૨.અપરાધ ક્ષમા

૩.વિપાક ક્ષમા

૪.વચન ક્ષમા અને

૫.ધર્મ ક્ષમા .

વળી, એમ પણ કહેવાયું છે કે “ ક્ષમા વીરસ્ય ભૂષણમ “ એટલે કે ક્ષમા આપનાર વ્યક્તિ એક વીર જેવો છે અને ક્ષમા એ એનું ઘરેણું –ઝવેરાત છે.આપણને કોઈના પ્રત્યે ફરિયાદ,દોષ કે વાંક દેખાતો હોય ત્યારે એના પ્રત્યે નકારાત્મક વિચારો લાવવાને બદલે જો ક્ષમાની ભાવના મનમાં કેળવીએ તો એના પ્રત્યેની નકારત્મક ભાવના દુર થતાં સકારત્મક વિચારોથી આપણી દ્રષ્ટિ સ્ફટિક શી ઉજ્જવળ થતાં આપણું હૃદય હલકું ફૂલ થઇ જાય છે.

જ્યારે પણ કોઈ એના વ્યક્તિગત સંબંધોમાં ભૂલ કરે ત્યારે ઉપરથી ભલે ન બતાવે પણ કરેલ ભૂલ માટે એનો અંતરાત્મા અંદરથી દુભાતો હોય છે .મનમાં એ કૈક હીણપતની લાગણી અનુભવતો જ હોય છે.આવા સમયે આપણા અહમને ભૂલીને આવી વ્યક્તિને ક્ષમા આપવાથી ક્ષમા આપનાર અને મેળવનાર એમ બન્નેના દિલમાં શાંતિની લાગણી જન્મે છે.એનો એ દિવસ નિરાશાને બદલે ઉત્સાહમય અને આનંદમય બની જાય છે.હૃદયમાં નવો પ્રકાશ રેલાય છે.

જ્યારે આપણે ક્ષમા આપીએ છીએ ત્યારે આપણો એ વ્યક્તિ તરફનો ગુસ્સો ગાયબ થઇ જાય છે .એના માટેની હીન લાગણી ઓછી થાય છે,એટલે ખરી રીતે ક્ષમા આપનારને પણ એટલો જ ફાયદો થાય છે જેટલો ક્ષમા લેનારને થાય છે.

કોઈના પણ પ્રત્યે ગુસ્સો કરવો એ બહું ખરાબ વસ્તુ છે. ગુસ્સાથી હૃદયના ધબકારા વધુ જાય છે ,મનની શાંતિ હણાઈ જતા તમારો સમય વિસંવાદિત રીતે પસાર થાય છે.ક્ષમા આપવાથી ગુસ્સાને લીધે હૃદય ઉપર જે ખોટું દબાણ હોય એ દુર થતાં રાહતનો અનુભવ થાય છે.

ગુસ્સો  કરવો એ ખરાબ ગુણ છે.કામ, ક્રોધ .લોભ ,મોહ,માયા અને મત્સર એ માણસો માટે છ દુશ્મનો  છે.ક્રોધથી દુર રહેવામાં મજા છે.ભૂલથી જો કોઈવાર ક્રોધ થઇ  જાય તો અહમને ભૂલી તરત  એને માટે ક્ષમા આપવાની તૈયારી બતાવવી જોઈએ.

બધાં પ્રત્યે પ્રેમ રાખવાથી પ્રભુ રાજી રહે છે.પ્રેમ આપો, પ્રેમ લ્યો અને ક્ષમા કરો તો જીવનમાં નિરાશાને બદલે નવો ઉત્સાહ જણાશે અને એથી શારીરિક અને માનસિક રીતે ફાયદો થશે.

પરમ કૃપાલુ પરમાત્મા તમારી ઘણી ભૂલો માટે તમને માફ કરતો હોય છે તો એના બદલામાં આપણે પામર માનવો એક બીજાની ભૂલો માટે એક બીજાને માફ કેમ ન કરી શકીએ ?

મનુષ્યનું  આ જીવન ક્ષણ ભંગુર છે .આપણે આ જગતમાંથી ક્યારે વિદાય લઈશું એ કોઈ જાણતું નથી.તો નાહકનાં વેર ઝેર ઉભાં કરી જીવનને કલુષિત બનાવીને જવાથી શો ફાયદો છે ?    

જૈન ધર્મની આ ઉમદા પરંપરા અપનાવીએ અને  મન,વચન અને કર્મથી જાણે  કે અજાણે થયેલ ભૂલથી  કોઈની લાગણી દુભાયી હોયતો એને માટે  માફી માગીએ.કેટલો સરસ મિચ્છામી દુક્કડમ  નો સંદેશ છે !

અંતે ,

પેનથી નહીં, પ્રેમથી

હોઠથી નહીં,હૈયાથી ,

અક્ષરથી નહીં,અંતરથી

શબ્દોથી નહીં,સ્નેહથી

ફક્ત વચન અને કાયાથી નહીં,

પણ મનથી …..

સહુને દિલથી મિચ્છામી દુક્કડમ 

વિનોદ પટેલ ,સાન ડિયેગો

Ganesh

વેબ ગુર્જરી અને શ્રી મહેન્દ્રભાઈ  શાહના સૌજન્યથી લાભ લ્યો
 ગણેશ પેઈંટીગ્સનું ઇ-પ્રદર્શન  જોવાનો -નીચેની લીંક ઉપર ક્લિક કરીને.

ગણેશ ચતુર્થીને અનુલક્ષીને મહેન્દ્ર શાહનાં ગણેશ પેઈંટીગ્સનું ઇ-પ્રદર્શન

( 515 ) અફલાતૂન તબીબ – કંટાળો …..સુરેશ જાની

આજની પોસ્ટમાં મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ સૂર સાધના માં પોસ્ટ થયેલ લેખ અફલાતૂન તબીબ – કંટાળો  એમના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

આ લેખમાં એમના જીવનના  અનુભવનું  વિચારવા જેવા ચિંતન સાથેની શીખ  છે તો મને ગમતા મનહર ના સુરીલા કંઠે ગવાયેલ ગીતો ના મનહર સંગીતની રસલ્હાણ છે .

આશા છે મને ગમી એમ તમોને પણ એમની આ પોસ્ટ જરૂર ગમશે.

વિનોદ પટેલ

=========================

સૂરસાધના

       આ તબીબ બહુ વિશિષ્ઠ છે! એ ગળે સ્ટેથોસ્કોપ લટકાવતા નથી; કે દેશી વૈદની જેમ નાડી પણ પારખતા નથી. કોઈ દવા પણ નથી આપતા કે, ચરી પાળવાની કોઈ પરેજી પણ નથી ફરમાવતા!

      કોણ છે એ અફલાતૂન તબીબ?

       એમના નામનું રહસ્યોદ્ઘાટન કરું એ પહેલાં વાતમાં થોડુંક મોયણ નાંખી દઉં તો?

      વાત જાણે એમ છે કે, આ ગલઢા ગાલ્લાને હાલતું કરવાના અભિયાનની વાત આ અગાઉ કરી હતી. એ તબીબની દોરવણીના અમલના કારણે આ ગાડું પાટે તો ચઢ્યું હતું; ઠીક ઠીક ચાલી શકાતું હતું. મને કમને… આગળની જિંદગી સુધારવાના શુભાશયથી(!) જીવ કાઠો કરીને પણ આ જીવ કોચ કે ચેર પોટેટો બની રહેવાને બદલે, હાલવા તો લાગ્યો હતો.

      પણ કંટાળાનો કોઈ ઈલાજ હાથવગો ન હતો. ઘરમાંથી બહાર નીકળતાં પણ જીવ બળી જાય! રસ્તાનો અંત કેટલો છેટે છે – એ જ ફિકર સતત સતાવતી રહે.

વે આ નવા તબીબ મહાશયે…

View original post 200 more words

( 514 ) દેવિકા રાહુલ ધ્રુવ………પરિચય ……….શ્રી. પી.કે.દાવડા

શ્રી . પી .કે. દાવડા એ એમની  “મળવા જેવા માણસ”ની લેખમાળામાં ૨૯ મો પરિચય હ્યુસ્ટન નિવાસી કવિયિત્રી સુ.શ્રી .દેવિકાબેન ધ્રુવ નો કરાવ્યો છે. શ્રી દાવડાજી એ મને મોકલેલ  એમના આ સરસ પરિચય લેખને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

દેવિકાબેન હ્યુસ્ટન નિવાસી મારા સાહિત્ય પ્રિય મિત્ર શ્રી નવીનભાઈ બેન્કરનાં નાનાં બહેન છે . નવીનભાઈ વિષે દેવિકાબેન લિખિત એક સુંદર પરિચય લેખ અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયો છે.

સુ.શ્રી .દેવિકાબેન ના કાવ્યોમાં ભાષાની મીઠાસ,પ્રાસ અને લયની તાકાત તરત જ આપણું ધ્યાન ખેંચે છે. 

કોઈ પણ કવિના કાવ્યની તાકાત એના શબ્દ ,ભાષાની મીઠાસ, અર્થ, લય અને ભાવથી મપાતી હોય છે .જેવું શીલ એવી શૈલી.

સુ.શ્રી દેવીકાબેનના નીચેના ” શતદલ ” ગીતમાં જ જુઓને ,એમાં શબ્દોની પસંદગી અને  લય કેટલો મનમોહક છે !

શતદલ

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત  મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
ઝુલત ઝુમત શતદલ મધુવન પર.

– દેવિકા ધ્રુવ

ddhruva1948@yahoo.com

દેવીકાબેનના કાવ્યોનો આસ્વાદ માણવા માટે અને એમના શબ્દોની તાકાત  જાણવા માટે તો

તમારે એમના બ્લોગ શબ્દોને પાલવડે  ની મુલાકાત લેવી જ રહી .

દેવિકાબેને એમના બ્લોગમાં  જે પરિચય આપ્યો છે એમાં અંતે તેઓ લખે છે….

શબ્દોને પાલવડે રમતી આવી છું,
ભાવોની સંતાકુકડી ખેલતી આવી છું;
અર્થોના ઝોલે ખુબ ઝુલતા ઝુલતા,
સાહિત્યના આકાશમાં વિહરતી આવી છું.

આવાં  શબદ, ભાવ અને અર્થનાં મરમી દેવિકાબેના પરિચય લેખમાં દાવડાજી એ સરસ માહિતી એકઠી કરીને આપી છે એ માટે એમને ધન્યવાદ ઘટે છે .

વિનોદ પટેલ

====================================  

દેવિકા રાહુલ ધ્રુવ………પરિચય ……….શ્રી. પી.કે.દાવડા

Devika-1

દેવિકા રાહુલ ધ્રુવ.      

દેવિકાબહેનનો જ્ન્મ ગુજરાતના એક ખુબ નાના ગામ ભૂડાસણમાં ૧૯૪૮ માં એક મધ્યમવર્ગી કુટુંબમાં થયો હતો. પિતા મેટ્રીક પાસ થયેલા જ્યારે માતા પાંચ ધોરણ સુધી ભણેલા હતા.  

દેવિકાબહેનનો પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ ૧૯૫૪ થી ૧૯૬૪ સુધી અમદાવાદની મ્યુનિસિપાલિટિ કન્યાશાળામાં થયો. નબળી આર્થિક પરિસ્થિતિને લઈ પરીક્ષા વખતે એમને મ્યુનિસિપાલિટિના દીવા નીચે બેસીને અભ્યાસ કરવો પડતો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. શાળામાં શિક્ષણ ફ્રી હતું, નોટબુક અને પુસ્તકો કોઈને કોઈ સહાયક પાસેથી મળી રહેતા. અભ્યાસ ઉપરાંત વકતૃત્વ સ્પર્ધા, નૃત્ય-નાટક વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા. વાંચનનો શોખ ખૂબ નાની ઉંમરથી જ હતો અને ખૂબ નાની વયે શેર શાયરીનો શોખ પણ કેળવેલો. પંદર વર્ષની વયે એમણે પહેલી કવિતા લખીને એમના શિક્ષકને આપી હતી. 

૧૯૬૪ માં S.S.C. ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં એડમીશન લીધું. સંસ્કૃત અને ગુજરાતીને મુખ્ય વિષય લઈ, ૧૯૬૮ માં B.A. ની ડીગ્રી પ્રાપ્ત કરી. B.A. પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયેલા અને સોમૈયા ગોલ્ડ મેડલ ઉપરાંત અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કરેલા. નગીનદાસ પારેખ, મધુસુદન પારેખ અને યશવંત શુક્લ જેવા શિક્ષકોનો એમને લાભ મળેલો. એક કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીને હસ્તે એમને ઈનામ મળેલું. કોલેજની ઈતર પ્રવૃતિઓમાં એમના એક નાટકને પ્રથમ ઈનામ મળેલું અને એમની એક નૃત્ય નાટિકાની દિલ્હીમાં રજૂઆત થયેલી. સંસ્કૃત ભાષામાં બોલવાની હરિફાઈમાં પણ એ પ્રથમ આવેલા.

Devika-2

                 (શ્રી ઉમાશંકર જોશીને હસ્તે ઈનામ) 

S.S.C. માં ખૂબ જ સારા માર્કસ આવ્યા હોવા છતાં કુટુંબને મદદરૂપ થઈ શકાય એટલા માટે આર્ટસ શાખા પસંદ કરેલી. સવારની કોલેજ પતાવી,બપોરે ટ્યુશનો અને ટાઈપીંગ વગેરેના પાર્ટ ટાઈમ જોબ્સ કરવાનું શરૂ કર્યું.આર્થિક કારણોસર જ બી.એ. પાસ થયા પછી એમ.એ. કરવાને બદલે પૂરા સમયની નોકરી સ્વીકારી. ૧૯૬૮ માં ગુજરાત યુનિવર્સિટિના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં કામ મળ્યું.

    Devika-3

૧૯૭૧ માં નાગર પરિવારના, રણજી ટ્રોફીના પ્લેયર અને અમદાવાદના જાણીતા ક્રિકેટર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન કર્યા. લગ્ન બાદ પણ ગુજરાત યુનિવર્સિટિની નોકરી ૧૯૮૦ સુધી ચાલુ રાખી. દરમ્યાનમાં એમના બે પુત્રોનો જન્મ થયો. ૧૯૮૦ માં દેવિકાબેનના મોટાં બહેનની સ્પોન્સરશીપ મળતાં ચારે જણ ગ્રીનકાર્ડ પર કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા. એમનાં બધાં જ ભાઈ બહેનો અમેરિકામાં જુદા જુદા શહેરમાં છે અને બધાં જ કલાકાર છે.નસીબ જોગે, દેવિકાબહેનને એમના યુનિવર્સિટિના એકાઉન્ટ વિભાગના અનુભવને લીધે, ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં નોકરી મળી ગઈ. ૧૯૮૦ થી ૨૦૦૩ સુધી, ૨૩ વર્ષ સુધી બેંકની આ નોકરી જાળવી રાખી. ૨૦૦૩માં કુટુંબે ન્યુયોર્કથી હ્યુસ્ટન સ્થળાંતર કરવાનું નક્કી કર્યું એટલે દેવિકાબહેને બેંકની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. હ્યુસ્ટનમાં પણ એમને સ્થાનિક શાળામાં નોકરી મળી ગઈ. ૨૦૦૩ થી ૨૦૦૮ સુધી શાળામાં પૂરા સમયની નોકરી કરી. હાલ શાળામાં પાર્ટટાઈમ કાર્યરત છે. આમ એમણે જીવનમાં સતત કાર્યરત રહી મહિલાઓ માટે એક અનુકરણિય ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

 આ બધા વર્ષ દરમ્યાન એમનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જળવાઇ રહેલો. હ્યુસ્ટનમાં આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતામાં સક્રીય થયા અને પછી એમની લેખનપ્રવૃત્તિ વેગવંત બની. એમણે ગુર્જરી, ગુજરાત દર્પણ,ફીલીંગ્સ, ઓપિનીયન, કુમાર વગેરે સામયિકો અને ટહુકો, અક્ષરનાદ,લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા જાણીતા બ્લોગ્સમાં પોતાના ગીત અને ગઝલ મૂકવાના શરૂ કર્યા. એમની રચનાઓ ડલાસના રેડિયો આઝાદ, લંડનના સંસ્કાર રેડિયો અને અન્ય લોકલ રેડિયો સ્ટેશનો ઉપર પ્રસારિત થવા લાગ્યા. યુ ટ્યુબમાં પણ એમની અનેક રચનાઓ જોવા મળે છે. એમના પોતાના બ્લોગની લીંક છેઃwww.devikadhruva.wordpress.com

એમના ગીત, ગઝલ અને કાવ્યોના બે પુસ્તકો, શબ્દોને પાલવડે અને અક્ષરને અજવાળે પ્રસિધ્ધ થઈ ચૂકયા છે.

એમની એક રચનામાં દેવિકાબહેન યમરાજને કહે છે, “તું ગમે ત્યારે આવજે,તારી સાથે ચાલી નીકળવાની કોઈ આનાકાની નહિ કરૂં, માત્ર એક જ વિનંતી છે કે યાદગાર રીતે આવજે, ભવ્યતાથી આવજે, સૌને ગમે એવી રીતે આવજે અને હા, થોડી આગાહી આપજે જેથી હું સજી ધજીને તૈયાર રહું, અને જેમ જન્મનું સન્માન થાય છે તેમ તારૂં પણ સન્માન થાય.”

બીજી એક અનોખી સિધ્ધિ તે ‘શબ્દારંભે અક્ષર એક’નો તેમનો નવીન પ્રયોગ જેમાં ‘ક’થી ‘જ્ઞ’ સુધીના તમામ અક્ષરો પર જુદી જુદી ગૂંથણી કરી છે. દા.ત.
“કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરાં કસબી કંકણ…”
“પહેરી પાયલ પનઘટ પર,પનિહારી પલકે પાંપણ પલપલ..”
“મેવાડની મીરાંને માધવની મમતા,માધવને મથુરાના માખણની મમતા.”વગેરે..
ગદ્યમાં પણ તેમને સારી ફાવટ છે. 

દેવિકાબહેનની રચનાઓમાં આનંદ-ઉલાસ છે, ભક્તિ છે, જીવનની સચ્ચાઇઓ છે, કુદરત છે અને સુફી તત્વજ્ઞાન પણ છે. મિત્રો, ગુગલની મદદ લઈ એમની રચનાઓ જરૂર માણજો.

 P.K.DAVDA

      પી, કે, દાવડા

 

( 513 ) “આવતા જન્મમાં હું ભારતદેશમાં જન્મીશ….” ……( ટૂંકી સત્ય ઘટનાત્મક વાર્તા) … લેખિકા — અવંતિકા ગુણવંત

જાણીતા લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંત નો પરિચય અને એમની વાર્તાઓ અગાઉ  આ લીંક ઉપર ની ઘણી પોસ્ટ માં મુકવામાં આવી છે ,એટલે વાચકો માટે એ સુપરિચિત છે .

આજની પોસ્ટમાં લેખિકાના આભાર સાથે પ્રસ્તુત કરેલ એમની ટૂંકી સત્ય ઘટનાતમક વાર્તામાં એમણે અમેરિકાના કલ્ચર અને ભારતીય કલ્ચરનો તફાવત રજુ કરી અમેરિકન સમાજનું દર્પણ આપણી સામે ધર્યું છે.

આ વાર્તામાં પ્રશસ્તિબેનનો જે ઉલ્લેખ છે એ અવંતિકાબેનનાં બોસ્ટનમાં સપરિવાર સ્થાયી થયેલ એમનાં દીકરી છે . દીકરીને ત્યાં થોડો સમય ગાળવા એ અમદાવાદથી બોસ્ટન અવાર નવાર આવતાં ત્યારે એમણે જાતે અનુભવેલ એમની દીકરી પ્રશસ્તિ સાથે અભ્યાસ કરતી ક્રિસ્ટીનના જીવનની સત્ય ઘટના આ વાર્તાનું કથા બીજ છે .

આશા છે આપને એમની બીજી વાર્તાઓની જેમ આ વાર્તા પણ ગમશે. આપનો પ્રતિભાવ જરૂર લખશો .

વિનોદ પટેલ

==============================

Tulsi- Avantika story

મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે હું કેમ આવી બેવકૂફ બની? હવે તો મારે કોઇ ભવિષ્ય નથી. હું એકાકી છું. મારે નથી કોઇ સાથી. સંગાથી. મારે નથી કોઇ સ્વપ્નાં, નથી કોઇ આશા. હું ખૂબ હતાશ છું. મને થાય છે. મને તમારા દેશમાં કેમ જન્મ ન મળ્યો! તમે બધા કેટલા નિરાંતથી રહો છો

આંગણની તુલસી – અવંતિકા ગુણવંત

ક્રિસ્ટીન-જર્મન બાપ અને સ્કોટીશ માની એ દીકરી. એનાથી મોટી એને ત્રણ બહેનો હતી. પણ ભાઇ ન હતો. એના બાપને દીકરો જોઇતો હતો. તેથી ક્રિસ્ટીનના મા અને બાપ વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરે. ઘરમાં કંકાસ એટલા બધા વધી ગયા કે એક દિવસ ક્રિસ્ટીનની મા ઘર છોડીને સાધ્વી થઇ ગઇ. દીકરીઓ બાપના ઘરમાં બાપ પાસે રહી પણ બાપની સાથે સ્નેહથી જોડાયેલી ન હતી.

આ ક્રિસ્ટીનની બે મોટી બેનો. થોડા સમય પછી એમના બોયફ્રેન્ડ સાથે રહેવા જતી રહી. કાયમ માટે તેમણે ઘર છોડી દીધું.

આ ક્રિસ્ટીન મારી દીકરી પ્રશસ્તિ સાથે ભણે. પ્રશસ્તિએ ક્રિસ્ટીન વિશે મને બધી વાત કરેલી. એટલે ક્રિસ્ટીન માટે મને વિશેષ સમભાવ. એક દિવસ પ્રશસ્તિ ક્રિસ્ટીનને લઇને અમારા ઘરે આવી. હું હેતથી એને ભેટી પડી. ક્રિસ્ટીન બોલી, ‘પ્રશસ્તિ બહુ નસીબદાર છે. એને તમારા જેવી વહાલસોઇ મા મળી છે. તમે એને તો સાાચવો છો પણ મને ય કેટલા હેતથી આવકારી.’

ક્રિસ્ટીન મારી સાથે ખુલ્લા દિલથી વાત કરે. આ ક્રિસ્ટીન પંદર વર્ષની થઇ એટલે એના પિતાએ એને કહ્યું, ‘તારે આ ઘરમાં રહેવું હોય તો રહેવા અને ખાવાના પૈસા આપવા પડશે.’

ક્રિસ્ટીન જોબ કરતી હતી પણ એના પિતાએ માગી એટલી રકમ આપી શકે એમ ન હતું. ક્રિસ્ટીન મારી પાસે આવીને રડી હતી કે કેમ એને આવા પિતા મળ્યા છે.

મેં એને આશ્ર્વાસન આપતાં કહ્યું હતું, ‘તું શ્રદ્ધા રાખ તને માબાપનો પ્રેમ નથી મળ્યો તો બીજું કોઇ પ્રેમ કરનાર મળશે, એ તને અઢળક પ્રેમ કરશે.’

‘પણ ક્યારે? મારી નિકટ ઘણા આવે છે. પણ કોઇ સાથે રહેવાનો પ્રસ્તાવ નથી મૂકતું. મારું શું થશે? મારે પ્રેમ વગર જ જીવવાનું!’ ક્રિસ્ટીન ધીરજ ગુમાવી બેઠી હતી.

ત્યાં એક દિવસ ક્રિસ્ટીનનો ફોન આવ્યો. હરખાતા હૈયે બોલી, ‘મને મારો સાથીદાર મળી ગયો. એક જવાન સ્ત્રી ઇચ્છે એ બધું જ એનામાં છે.

મેં એને અભિનંદન આપ્યા. મને થયું હવે ક્રિસ્ટીનને એનું ઈચ્છીત સુખ મળશે. પછી કેટલાય મહિનાઓ સુધી ક્રિસ્ટીન વિશે મને સાંભળવા ન મળ્યું. ત્યાં એકાદ વરસ પર અચાનક એનો ફોન આવ્યો. એણે કોઇ પણ ફોર્મલ વાત કર્યા વિના સીધું મને કહ્યું. ‘મારે પૈસા જોઇએ છે, પ્રશસ્તિ આપશે?’

‘કેટલા’ મેં પૂછયું.

‘એ કેટલા આપી શકશે? તમે એને પૂછી રાખો. હું આવું છું.’

ક્રિસ્ટીન તો સ્વમાની છોકરી છે એ હું જાણતી હતી. ખરેખર એ ભીડમાં હોય તો જ પૈસા માગે. મને થયું ક્રિસ્ટીન હમણાં હમણાં તો સારું કમાતી હતી. એવું મેં સાંભળ્યું હતુ તો એના પૈસા ગયા ક્યાં? પણ એને મેં કશું પૂછયું નહીં. એ જયારે પૈસા લેવા આવી ત્યારે મારા વગર પૂછે એણે કહેવા માંડયું. મારા બોયફ્રેન્ડે મને દગો દીધો. મારા બધા પૈસા એ લઇ ગયો છે.

મેં એની પર પૂરો વિશ્ર્વાસ મૂકયો હતો અને એણે મને છેતરી મારી પાસે કંઇ બચ્યું નથી.

‘હવે તું કયાં રહીશ?’ મેં પૂછયું.

‘એ કશું હું જાણતી નથી. મેં મારા ફાધર, મારી બહેનો અને મારી અમેરિકન ફ્રેન્ડઝને મારી આપવિતી કહી, પણ કોઇએ મને એક શબ્દ સમભાવનોય ન કહ્યો કે એક સેન્ટ પણ ન ધર્યો. મેં તો ના સાંભળવાની તૈયારી સાથે જ તમને ફોન કર્યો હતો. અને તમેે મને કશુંય પૂછયા વગર હા કરી દીધી.

પ્રશસ્તિએ એને પૂછયું, ‘હાલ તારે કેટલા જોઇએ છે!’

‘બસો, ત્રણસો’ અચકાતાં અચકાતાં એ બોલી

પ્રશસ્તિએ પાંચસો ડોલર એને આપ્યા. ક્રિસ્ટીન આભાર માનીને ગઇ. પછી બે વરસ સુધી એ આવી જ નહીં. અને જયારે આવી ત્યારે એણે ડોલર પર્સમાંથી કાઢીને પ્રશસ્તિના હાથમાં મૂકયા. પ્રશસ્તિએ ડોલર ગણ્યા તો છસોડોલર હતા. પ્રશસ્તિએ એને સો ડોલર પાછા આપવા માંડયા અને કહ્યું, ‘મે તો તને પાંચસો આપ્યા હતા તો સો ડોલર વધારે કેમ?

ક્રિસ્ટીન બોલી, ‘મારા કોઇ સ્વજને મને એક ડોલરે આપ્યો ન હતો અન મેં વાત તો તારી મમ્મી સાથે કરી હતી અને એમણે મન કશુંય પુછયા વગર હા કહી દીધી હતી. વચ્ચે બે વરસ વીતી ગયા પણ તે એક વારે ઉઘરાણી ન કરી. તારો આ સદભાવ હું કદી નહીં ભૂલું. ક્રિસ્ટીનના અવાજમાં ભારોભાર આભારની લાગણી છલકાતી હતી.

પ્રશસ્તિ બોલી, મેં જે કર્યું એમાં કઇ નવાઇ નથી કરી. તું મારી ફ્રેન્ડ છે તો તને કહું છું તું અમારી સાથે આવીને થોડા દિવસ રહે.

પ્રશસ્તિની લાગણી જોઇને ક્રિસ્ટીન રડી પડી. એ બોલી, તારા સિવાય મારી પર આવી નિસ્વાર્થ લાગણી રાખનાર કોઇ નથી. કોઇએ મારી પર વિશ્ર્વાસ તો નથી મૂકયો પણ લાગણીના બે શબ્દોય કહ્યા નથી. કોઇની પાસેથી મને હૂંફનો અનુભવ નથી થયો. જયારે તે અને તારી મમ્મીએ મારી પર કેટલો વિશ્ર્વાસ મૂકયો. હું રોજ તમને બેઉને યાદ કરતી હતી. પણ આવી શકતી નહોતી કારણ કે મેં પેલા મારા ફ્રેન્ડ પર કેસ કર્યો હતો. એણે મારી સાથે જે છેતરપિંડી કરી હતી તેથી હું ડિપ્રેશનમાં સરી પડી હતી. મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે હું કેમ આવી બેવકૂફ બની? હવે તો મારે કોઇ ભવિષ્ય નથી. હું એકાકી છું. મારે નથી કોઇ સાથી. સંગાથી. મારે નથી કોઇ સ્વપ્નાં, નથી કોઇ આશા. હું ખૂબ હતાશ છું. મને થાય છે. મને તમારા દેશમાં કેમ જન્મ ન મળ્યો! તમે બધા કેટલા નિરાંતથી રહો છો.

‘તું પણ અમારી સાથે રહેવા આવી જા.’ મેં કહ્યું

‘અહીં રહું તો તમને બધાને પ્રેમથી રહેતાં જોઇ મને અહીથી જવાનું મન જ ન થાય. તમારું ઘર તો દેવભૂમિ છે. તમારું ઘર છોડયા પછી જો હું જાઉં તો કાં તો ગાંડી થઇ જાઉં. કાં તો આપઘાત કરી બેસું. માટે પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં ભારતમાં હું જન્મું.’