વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: સપ્ટેમ્બર 2014

( 541 ) ન્યુયોર્કનું ‘મેડિસન’ સ્ક્વેર બની ગયું “મોદી”સન સ્ક્વેર

" આવો દેશવાસીઓ, આપણે  સાથે મળીને ભારતને ઉંચાઈએ પહોંચાડી દઈએ "- મેડીસન સ્ક્વેર હોલમાં શ્રી નરેન્દ્ર મોદી  .

 ” चलो हम सब मिलकर भारत माँ की सेवा करें ,अपने सपनोंका भारत बनाएँ “– नरेंद्र मोदी 

રવિવાર, તારીખ ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ ન્યુયોર્કનું મેડીસન સ્ક્વેર અને ટાઈમ સ્ક્વેરમાં જાણે કે મોદી જવર ફેલાઈ ગયો હતો. અમેરિકાના દુરના રાજ્યોમાં રહેતા ભારતીય સમુદાયનો ત્યાં મેળો જામ્યો હતો.ભારતના નવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નજરે જોવા અને સાંભળવા માટેની એમની ઘેલછા આશ્ચર્ય ઉપજાવે એવી હતી.

મેડીસન સ્ક્વેર હોલ જ્યાં મોદીનું પ્રવચન હતું એની ૨૦૦૦૦ ની કેપેસીટીની બધી ટીકીટો વેચાઈ ગઈ હતી. જેને ટીકીટ મળી ના શકી એવા લોકો પણ ટાઈમ સ્ક્વેરમાં રાખેલા બીગ સ્ક્રીન ટી.વી. ઉપર મોદીનું પ્રવચન સાંભળવા મોટી સખ્યામાં એકઠા થયા હતા .કેટલાક લોકો તો ઢોલ નગારાં વગાડી સુંદર વેશભૂષામાં નાચતા કુદતા મોદી માટેના એમના ઉમળકા અને પ્રેમનું પ્રદર્શન કરી રહ્યા હતા .નવરાત્રીમાં પણ દિવાળી જેવો લાગતો આ આખો નજારો અભૂતપૂર્વ હતો .

NAMO-AMERICA LOVES MODI

એ સમયના  જન માનસનો ખ્યાલ આપતો વિડીયો જોવા ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરો. ( વિડીયો ટાઈટલ —People in NYC eagerly await PM Modi’s address at Madison Square Garden) 

શનિવાર તારીખ ૨૭મી સપ્ટેમ્બરના રોજ પણ ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં ત્યાં એકત્રિત થયેલા ૬૦૦૦૦ મુખ્યત્વે અમેરિકન યુવાનો સમક્ષ મોદીએ અંગ્રેજીમાં પ્રેરક પ્રવચન કરીને બધાંને ખુશ કરી દીધા હતા. આ સભાનો અહેવાલ અહીં વાંચો  . 

શ્રી મોદીના અંગ્રેજી પ્રવચનનો વિડીયો આ લીંક ઉપર ક્લિક કરીને જોઈ શકાશે .

મોદી અમેરિકામાં આવ્યા બાદ મોદી વિશેનું કવરેજ અમેરિકન મીડિયામાં પણ છવાયેલું રહ્યું હતું.સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મોદીએ હિન્દી ભાષામાં કરેલ ઐતિહાસિક પ્રવચન પછીનું મેડીસન સ્ક્વેર ગાર્ડન હોલમાં આપેલું પ્રવચન પણ એક યાદગાર પ્રસંગ બની રહે એવું છે .

મોદીનું ભાષણ સાંભળવા માટે અમેરિકાના સિનેટર અને ઉદ્યોગપતિઓ  પણ હજારો ભારતીયોની સાથે ત્યાં હાજર હતા .ભારતની પ્રસિદ્ધ ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ ના કંઠે ગવાયેલ રાષ્ટ્રગીત પછી મોદીએ  એમનું દેશવાસીઓ અને અમેરિકામાં રહેતા ભારતીઓ જોગ સંબોધનની શરૂઆત કરી હતી.

अमरीकामें बसें हुए मेरे प्यारे भाईओं और बहनों થી જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ એમનું પ્રવચન શરુ કર્યું  ત્યારે 20000 માણસોથી ખીચોખીચ ભરાયેલા હોલમાં માંડે સુધી તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો.

વારંવાર મોદી…મોદી….મોદી….મોદી….નો નાદ ગુંજતો રહ્યો હતો.

આ દ્રશ્ય જોઇને બીજા આવા જ એક પ્રસંગની યાદ આવી ગઈ જ્યારે એક બીજા નરેન્દ્ર નામે વિવેકાનંદએ ૧૮૯૩માં શિકાગોની ધર્મ પરીષદમાં માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા થી પ્રવચન શરુ કર્યું હતું.એ વખતે પણ શ્રોતાઓએ ઉભા થઈને મીનીટો સુધી હોલ તાળીઓથી ગજવી મુક્યો હતો. ત્યારબાદ સ્વામી વિવેકાનંદના અદ્ભુત વ્યક્તિત્વની પહેચાન વિશ્વભરમાં ફેલાઈ ગઈ હતી.

શ્રી મોદીના ૭૫ મીનીટના લાંબા પ્રવચનમાં ભારતના ભાવી વિકાસ અંગેના એમના વિચારો  ખુબ જ અસર કારક રીતે રજુ કરી એમણે બધાંને ખુશ કરી દીધા.આ પ્રવચનનો એક નાનો અંશ …..

મોદીને મતે, દુનિયાના કોઈ પણ દેશ પાસે નથી અને માત્ર ભારતમાં જ વિદ્યમાન છે એવું વિકાસ માટેનું અદભૂત શસ્ત્ર એના ત્રણ D ઉપર આધારિત છે , એ છે …..

DEMOCRACY ….. લોકતંત્ર -લોકશાહી

DEMOGRAPHY …. યુવા શક્તિ ( પ્રજાના ૬૫ ટકા ૩૫ વર્ષ નીચેના ) અને

DEMAND ….. માગ ,મોટું બઝાર

આ રહ્યો શ્રી મોદીના એ જુસ્સાદાર પ્રેરક પ્રવચનનો વિડીયો .

Full Speech: PM Narendra Modi addresses Indian diaspora

at Madison Square Garden, New York City.

President Obama eceives PM Modi at White House

President Obama receives PM Modi at White House

પ્રેસીડન્ટ ઓબામાએ પ્રાઈમ મીનીસ્ટર નરેન્દ્ર મોદીના માનમાં આગેવાન આમંત્રિત મહેમાનોની હાજરીમાં એમના નિવાસ સ્થાન વાઈટ હાઉસમાં શાકાહારી ભોજનનું આયોજન કર્યું હતું.શ્રી મોદીએ નવરાત્રીના ઉપવાસને લીધે માત્ર ગરમ પાણીથી કામ ચલાવી લીધું હતું.  

PM Modi & US President Barack Obama at the Joint Press Conference at White House

( 540 ) કારણ કે હું છોકરી છું… લેખક શ્રી વીનેશ અંતાણી

  
આજની આ ઢીંગલી એ ભવિષ્યની ગૃહિણી છે...... બેટી બચાઓ

આજની આ ઢીંગલી એ ભવિષ્યની ગૃહિણી છે……
બેટી બચાઓ

આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ  હજુ આજે પણ સમાજનો મોટોભાગ દીકરી વિશે નકારાત્મક વિચારે છે.
 
વીનેશ અંતાણી
કારણ કે હું છોકરી છું…
Daughter
 
 
થોડા સમય પહેલાં ફેસબુક પર પ્રતિભાબહેને મારી નવલકથા ‘પ્રિયજન’માંથી એક સંવાદ એમની પોસ્ટ પર મૂક્યો હતો. હળવા મૂડની ક્ષણોમાં નવલકથાની નાયિકા ચારુનો પતિ દીવાકર પત્નીને કહે છે:
‘બુઢાપામાં જ્યારે તું મારામાંથી બધો રસ ગુમાવી બેઠી હશે ત્યારે એ છોકરી જ મને પ્રેમ કરશે… એના વહાલથી હું થોડા દિવસો કાઢી નાખીશ. પુત્રો ક્યારેય અવલંબન નથી બનતા… બુઢાપાના લાંબા લાંબા વેરાન રણને પાર કરવા એક દીકરી જોઇએ છે. એ દીકરી પણ તારી જ પ્રતિકૃિત હશેને? તું પણ બુઢ્ઢી થઇને ખખડી ગઇ હશે. ત્યારે તારી આ દીકરી જ તારું આ રૂપ સાચવીને બેઠી હશે.’
એ વાચ્યાં પછી ઘણા મિત્રોએ ફેસબુક પર આપણા જીવનમાં દીકરીના સ્થાન વિશે રસપ્રદ ચર્ચા કરી હતી.
 
ગમ્યું હતું. એટલા માટે નહીં કે મારી નવલકથાના અવતરણના સંદર્ભમાં ચર્ચા ચાલી હતી. પણ એટલા માટે કે આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ એ ચિત્ર કેટલું વ્યાપક છે? આપણે જે સદીમાં રહીએ છીએ એમાં અનેક પુરાણા ખ્યાલોમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવા છતાં સમાજનો ઘણો મોટોભાગ હજી દીકરી વિશે નકારાત્મક વિચારો ધરાવતો હોય એવા કેટલાય કિસ્સા નજરે ચઢે છે. યોગાનુયોગ હમણાં હું હિન્દીના સુપ્રસિદ્ધ નાટ્યકાર-વાર્તાકાર સ્વ. મોહન રાકેશની પત્ની અનીતા રાકેશની સ્મૃતિકથા ‘સતરેં ઔર સતરેં’ વાંચતો હતો. એમાં એમણે વિચ્છિન્ન દાંપત્યજીવનની સજા ભોગવતી માતા વિશે લખ્યું છે. અનીતા રાકેશની માને હિન્દીના સર્જકો સાથે ઊઠવાબેસવાનો સંબંધ હતો.
 
કલ્પી શકાય કે એમના વિચારો અન્ય મહિલાઓની સરખામણીમાં વધારે પુખ્ત અને સમજદાર હશે. પરંતુ એ જ મા અનીતા અને એના ભાઇ વચ્ચે કેવા ભેદભાવભર્યા વિચાર ધરાવતી હતી એ અનીતાના શબ્દોમાં જ જોઇએ. ‘અમારી મા દીકરી અને દીકરા વચ્ચે પણ બહુ મોટો તફાવત રાખતી હતી. માને મારો ભાઇ દરેક રીતે ચઢિયાતો લાગતો હતો અને બીજું કશું ન હોય તો પણ એનું ‘છોકરો’ હોવું જ એને બહુ મોટી લાયકાત લાગતી હતી. ‘એ કામ કરી શકે છે કારણ કે એ છોકરો છે. એ હસી શકે છે કારણ કે એ છોકરો છે. એ રમી શકે કારણ કે એ છોકરો છે…’ અર્થાત્, એ બધું કરી શકે છે કારણ કે એ છોકરો છે. મને કશું જ કરવાની છૂટ નહોતી કારણ કે હું છોકરી છું… હું મા માટે બહુ મોટું બંધન બની ગઇ હતી. એ પોતે એની મરજી મુજબ ક્યાંય જઇ-આવી શકતી નહોતી, ન તો મને પોતાની સાથે લઇ જઇ શકતી હતી.
 
એ ક્યાંય જતી તો મારા પર ભાઇનો ચોકીપહેરો મૂકી જતી… હું મારી બહેનપણીઓને મળું એ માને પસંદ નહોતું. એમની સાથે હું મોટેથી હસતી તો માને ગમતું નહીં. એ કારણે મારી કોઇ બહેનપણી નહોતી- હું સ્ટૂલ પર બેસીને બારીમાંથી જોયા કરતી અને જો કોઇ બહેનપણી આવે તો મારે બારી નીચે સંતાઇ જવું પડતું. જેથી મારો ભાઇ એને કહી શકે કે હું ઘરમાં નથી… મા માનતી હતી કે છોકરીએ વ્યસ્ત જ રહેવું જોઇએ. નહીંતર એનું મગજ બીજી દિશામાં ભટકવા લાગે છે…’ મોનિકા જૈનની હિન્દી કવિતા છે. જેમાં માના પેટમાં રહેલો છોકરીનો ગર્ભ આર્તનાદ કરે છે: ‘મને જીવવા દો. મને ખીલવા દો, મને સુંદર ચંદ્રની જેમ ચમકવા દો… મને આવવા દો અને આ દુિનયા જોવા દો. મને પક્ષીની જેમ ઊડવા દો… તમારા સ્વાર્થમાં આંધળા થઇને ક્રૂર બનજો નહીં, મને રંગબેરંગી માછલી જેમ તરવા દેજો… મારું રુદન સાંભળજો, મારી ચીસો સાંભળજો. મને મારી ઇચ્છાઓ અને સપનાં સાકાર કરવાની તક આપજો… મને આ સુંદર પૃથ્વી પર અવતરવાની તક આપજો. જન્મ પહેલાં જ મને મૃત્યુને ઘાટ ઉતારજો નહીં…’
 
નમિથા વર્માની અંગ્રેજી કવિતામાં એક છોકરી કહે છે:
‘હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં એક વાર મારા નાનાભાઇએ મારા પર કાચનો ટુકડો ફેંક્યો હતો અને મારા મોઢા પર કાયમી લાલ ચીરો અંકાઇ ગયો હતો… છતાં મેં એના હાથમાં કાચ કેમ આપ્યો એવું કહીને બધા મારા પર તૂટી પડ્યા… હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં ઊકળતા પાણીમાં મારી હથેળી દાઝી ગઇ હતી અને માએ મને ધમકાવી નાખી હતી કે મને ચૂલા પર મૂકેલી વસ્તુઓનું ધ્યાન રાખતાં આવડતું નથી… હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં પિતાએ મને પટ્ટાથી ફટકારી હતી કારણ કે મારો ભાઇ જમી લે એ પહેલાં મેં જમી લેવાનું પાપ કર્યું હતું…’ કોઇએ કહ્યું છે: ‘છોકરીઓ દુનિયાને તેજોમય બનાવે છે, પરંતુ પોતે અજવાળું જોવા માટે તડપતી રહે છે.’
 
આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ  હજુ આજે પણ સમાજનો મોટોભાગ દીકરી વિશે નકારાત્મક વિચારે છે.
 
વીનેશ અંતાણી

સૌજન્ય- દિવ્ય ભાસ્કર 

( 539 ) નવરાત્રી મહોત્સવ અને શ્રી નરેન્દ્ર મોદી

Navratri_

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જગત જનની મા અંબા પ્રત્યે અખૂટ શ્રધા અને ભક્તિ ધરાવે છે .તેઓ માતાજીના અદના આરાધક છે .

આર.એસ.એસ ના પ્રચારક હતા ત્યારથી એટલે કે છેલ્લા ૩૫ વર્ષથી નરેન્દ્ર મોદી ચૈત્ર અને આસો મહિનાની બન્ને નવરાત્રીઓમાં નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરે છે .ફક્ત પાણી કે જ્યુસ ઉપર જ રહે છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ૧૩ વર્ષના સમયકાળ દરમ્યાન કોઈપણ કાર્યક્રમ કે વિદેશ પ્રવાસ હોય તો પણ મોદીનો આ દ્રઢ નિયમ કદી તુટ્યો નથી.

હાલ ૨૫મી સપ્ટેમ્બરના રોજ જ્યારે નવરાત્રી શરુ થાય છે ત્યારે મોદી અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે આવ્યા છે . આ પ્રસંગે પ્રેસીડન્ટ ઓબામા અને ભારતીય પ્રસંશકો તરફથી એમના માનમાં યોજાએલ ભોજન સમારંભો વચ્ચે પણ તેઓ એમના નકોરડા ઉપવાસના વ્રત માટે મનથી બિલકુલ મક્કમ છે .

અમેરિકાના પાંચ દિવસના પ્રવાસ માટે સે ભારતથી રવાના થયા એ પહેલાં શ્રી મોદીએ ભારતની જનતા જોગ નવરાત્રીનો આ સદેશ પાઠવ્યો છે .

PM has greeted the nation on the beginning of the

festival of Navratri

September 25, 2014

“As the auspicious festival of Navratri begins, I convey my warm greetings to everyone. We bow to Maa Jagdamba and seek her blessings. May Maa Jagdamba enrich our lives with strength, well-being, good health and may she keep inspiring us to serve the poorest of the poor.

नवरात्रि की हार्दिक शुभकामनायें। माँ जगदंबा सबके जीवन मे सुख, समृद्धि और

शांति का वरदान दे। जय माता दी,”

— Prime Minister said. 

—————————

શ્રી મોદીનું અંબા માતાને ઉદ્દેશીને લખેલા પત્રોનું પુસ્તક “સાક્ષીભાવ  ‘

Sakshibhaav

ઈમેજ પબ્લીકેશન , મુંબાઈ પ્રકાશિત આ ‘સાક્ષીભાવ’ પુસ્તકમાં ૩૬ વર્ષ અગાઉ મોદી જ્યારે પ્રચારક હતા એ વખતે એમણે લખેલી ડાયરી અક્ષરસઃ તેમાં ઉતારવામાં આવી છે. એમાં મોદીએ  જગત જનની અંબા માતાને ઉદ્દેશીને પત્રો લખ્યા છે . આ આખું પુસ્તક એમના હૃદયની અંતર યાત્રા અને માની ભક્તિનું દર્શન કરાવે છે .
 
આ પુસ્તકનું વિમોચન આર્ટ ઓફ લીવીંગ ના પ્રણેતા પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીના વરદ હસ્તે એક સમારંભમાં કરવામાં આવ્યું હતું.‘

શ્રી નરેન્દ્ર મોદીના બ્લોગની નીચેની લીંક ઉપર આ પ્રસંગનો અંગ્રેજીમાં અહેવાલ તસ્વીરો અને પ્રવચનોના વિડીયો સાથે વાંચો 

http://www.narendramodi.in/gu/sri-sri-ravi-shankar-launches-sakshibhaav-written-by-narendra-modi/    

શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાષ્ટ્ર નેતા અને વડા પ્રધાન હોવા ઉપરાંત એક સારા લેખક અને કવિ પણ છે એ તો  એમનાં આજસુધી પ્રકાશિત અનેક પુસ્તકો ઉપરથી જોઈ શકાય છે.

આજથી જ્યારે નવરાત્રી મહોત્સવ શરુ થાય છે ત્યારે એના  પ્રથમ દિવસની ઉજવણી આપણે શ્રી નરેન્દ્ર મોદી રચિત  નીચેના સુંદર ગરબાને વિડીયોમાં સાંભળીએ અને માતાજીને પ્રેમથી વધાવીએ  .ગરબા ઉપરાંત શ્રી મોદી રચિત બીજાં બે અંબે માતાની સ્તુતિ કરતાં ગીતો પણ નીચે વાંચવા મળશે .

garbo-Narendra modi

ગાય એનો ગરબો અને ઝીલે એનો ગરબો  …….. રચના -નરેન્દ્ર મોદી

આ ગરબા સિવાય  અંબા માતાની સ્તુતિ કરતી શ્રી નરેન્દ્ર મોદી રચિત

આ રહી  અન્ય કાવ્ય રચનાઓ  

Navratri grbo -NAMO -2

Navratri-git NAMO

Source-http://www.narendramodi.in/celebrating-navratri-may-maa-jagadamba-give-shakti-to-all/

વિનોદ વિહારના વાચકોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ .

યા દેવી સર્વ ભૂતેષુ, માતૃ રૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

જય અંબે .

વિનોદ પટેલ 

( 538 ) અમેરિકામાં મોદી – ઓબામા મુલાકાત …..થોડી રમુજ ….. બે કાર્ટુન વિડીયોમાં

ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે
ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે

યુ-ટ્યુબ ઉપર ઘણાએ રાજકીય નેતાઓ ઉપર કટાક્ષ કરતાં SO SORRY નાં પોલીટીકલ વિડીયો કાર્ટુન- POLITOONS જોયાં હશે .

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા અમેરકાની ભૂમિ ઉપર પ્રથમવાર મળી રહ્યા છે એ પ્રસંગે એ બન્ને ઉપર આજની પોસ્ટમાં POLITOONS -વિડીયો કાર્ટુનના માધ્યમથી થોડી  ટીખળ –રમુજ કરી લઈએ .થોડું હસી લઈએ અને હળવા થઈએ .

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૫ સપ્ટેમ્બરે અમેરિકા -ન્યુયોર્ક  અને વોશિંગટન –એમના નિયત કાર્યક્રમ પ્રમાણે આવી રહ્યા છે . નરેન્દ્ર મોદીને આવકારવા અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાનું વહીવટી તંત્ર થનગની રહ્યું છે.  લાલ જાજમ બિછાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઓબામા નરેન્દ્ર મોદી માટે વિશેષ ભોજન સમારંભની પણ તૈયારી કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે યુએસએ સ્થિત ભારતીયોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છવાયો છે એમ કહીએ તો ચાલે .

આ એ જ અમેરિકા છે જેના વહીવટી તંત્રે ૨૦૦૨માં મોદીના મુખ્ય પ્રધાન પદ દરમિયાન ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ એમનું નામ બ્લેકલિસ્ટમાં મૂકી એમને બીઝનેસ કે ટુરિસ્ટ વિઝા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

તો આપણને સ્વાભાવિક સવાલ થાય કે અમેરિકાની નીતિમાં આવેલ આવા અચાનક ફેરફારનું શું કારણ ?

મોદી સાથેના સંબધોના વરસોથી થીજી ગયેલ બરફને ઓગળવાનું શું કારણ ?

ઓબામાની મોદીને આવકારવાની તત્પરતાનો  જવાબ તમને આ નીચેના

so sorry ના કાર્ટુન વિડીયોમાંથી મળી રહેશે ,

The secret behind Obama’s invitation to PM Narendra Modi

આજે તો એ ખુબ જાણીતી હકીકત છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમની ખાસ ડીઝાઈનના વિવિધ રંગના અને દરેક પ્રસંગને અનુરૂપ ડ્રેસ પરિધાન કરે છે . એમની પસંદગીના ટોપ ડિઝાઈનરો એમના માટે   ડ્રેસ તૈયાર કરે છે .હવે તેઓ અમેરિકા આવે છે ત્યારે કેવા પ્રકારનો ડ્રેસ પહેરશે એના ઉપર જુદી જુદી અટકળો ચાલી રહી છે . આ કાર્ટુન વિડીયોમાં એમના ડ્રેસ માટેની ધમધોકાર તૈયારીઓ જુઓ અને માણો .

Modi hits fashion overdrive for US trip

( 537 ) Inspiration For Today ….. and …..Always …..for better life.

 

મિત્રોના ઈ-મેલમાંથી પ્રાપ્ત કેટલાંક જીવન ઉપયોગી અંગ્રેજી અવતરણો

આજની પોસ્ટમાં મુક્યાં છે .

આશા છે આપને એ ગમે .

============================

SELECTED WORDS OF WISDOM FROM FRIENDS’ E-MAILS

“There are two primary choices in life:

 
to accept conditions as they exist, or accept the
responsibility for changing them.”
 
~Denis Waitley
 
—————————–
 
“Courage is going from failure to failure without losing
enthusiasm.” ~Winston Churchill
 
———————————
 
“Worry is a futile thing;
it’s somewhat like a rocking chair.
 
Although it keeps you occupied,
it doesn’t get you anywhere.”  
 
-Un known 
 
—————————– 

“You miss 100% of the shots you don’t take” –

How many shots have you not taken? –Wayne Gretzky

————————————–
 

“I have not failed.

I’ve just found 10,000 ways that won’t work.”

– Thomas Edison

==============
 
Please read full msg  – undeniable Facts of Life :
 
1.Don’t educate ​ ​your children  to be rich.​
​Educate them​ ​to be Happy.
So when ​ ​they grow up​ ​they will know​ ​the value
of things  not the price.
 
2.​ ​Best awarded words  in London…
“Eat your food​ ​as your medicines. 
 
Otherwise​ ​you have to​ ​eat medicines ​ ​as your food”.
 
3. ​ ​The One​ ​who loves you ​ ​will never leave you​ ​because​ ​
even if there are  100 reasons ​ ​to give up​
​he will find  one reason​ ​to hold on.
 
4.​ ​There is​ ​a lot of difference  between ​ ​human being​ ​and
being human.  A Few understand it.
 
5.​ ​You are loved ​ ​when you are born. 
You will be loved​ ​when you die. 
In between​ ​ You have to manage…!
 
===========================

Six Best Doctors in the World-

1.Sunlight

2.Rest

3.Exercise

4.Diet

5.Self Confidence

6.Friends

Maintain them in all stages of Life and enjoy healthy life.

If you see the moon… You see the beauty of God…

If you see the Sun… You see the power of God…

And… If you see the Mirror ….

You see the best Creation of GOD…

So Believe in YOURSELF…

 

We all are tourists .

God is our travel agent who already fixed all our Routes

Reservations Destinations.

So! Trust him Enjoy the “Trip” called LIFE…

Our aim in life should be

9 8 7 6 5 4 3 2 1 0 

9-glass drinking water.

8-hrs sound sleep.

7-wonders tour with family.

6-six digit income.

5-days work a week

4-wheeler. (not the wheel chair!)

3-bedroom flat

2-cute children.

1-sweetheart.

0-tension!

Yeh jindgi na milegi dubara…

 

 SEVEN DANGERS TO HUMAN VIRTUE
 
True Words
 

To Succeed in Life

Talk -Softly

Breathe-Deeply

Dress-Smartly

Work-Patiently

Behave-Decently

Eat-Sensibly

Sleep-Sufficiently

Act-Fearlessly

Think-Creatively

Earn-Honestly

Spend-Intelligently
 
===================
 
THIS IS CALLED ATTITUDE
 

SOLDIER : SIR WE ARE SURROUNDED FROM ALL

SIDES BY ENEMIES ,

MAJOR : EXCELLENT ! WE CAN ATTACK

IN ANY DIRECTION.

10 Life Lessons-Einstain

(536 ) પ્રેરણા મૂર્તિ –શ્રી રોટલાવાળા બાપા ……. શ્રીમતી માયા રાયચુરા

 

શ્રીમતી માયાબેન રાયચુરા

શ્રીમતી માયાબેન રાયચુરા

મુંબઈ , બોરીવલીમાં સપરિવાર રહેતાં એક ગૃહિણી માયાબેન રાયચુરાએ પોરબંદરમાં રહેતા એમના પૂજ્ય સસરાજી વિષે સરસ પરિચય લેખ “પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા” મોકલ્યો છે .આ લેખને એમના આભાર સાથે આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે.

માયાબેનનો જન્મ અમદાવાદમાં થયો છે .કોલેજનો અભ્યાસ એમણે એચ.એ. કોમર્સ કોલેજમાં કરેલ છે.લગ્ન પછી તેઓ એક ગૃહિણીની ફરજો બજાવતાં બજાવતાં એમના બ્લોગ stop.co.in  મારફતે એમના સાહિત્યના શોખને પોષી રહ્યાં છે . માયાબેનને શાયરીનો પણ શોખ છે .આ રહ્યો એનો એક નમુનો :

કોઈ પૂછે કેમ છો ?

કોઈ પૂછે કેમ છો ?તો મજામાં કહેવું પડે છે ,

દર્દ ને દિલ માં છુપાવી ખુશ રહેવું પડે છે ,

નયનોની ભીનાશ ને કાજળ નું કારણ માનવું પડે છે ,

છતાંય કોઈ પૂછે તો હર્ષાશ્રુ છે એમ કહેવું પડે છે .

એમના સસરાજીનું આખું નામ તો  રસીકભાઈ ગોરધનદાસ રાયચુરા છે પરંતુ ભાવનગર અને આજુબાજુના ગામોમાં તેઓ રસીકબાપા રોટલાવાળા તરીકે ઓળખાય છે.એમની સેવાનો લાભ અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધારે લોકો લઈ ચુકયા છે.

 મને માયાબેનનો અને એમની મારફતે એમના પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા નો પરિચય આકસ્મિક રીતે જ થયો હતો .

 ૭૫ વર્ષની ઉંમરે મેં વિનોદ વિહાર બ્લોગ સપ્ટેમ્બર ૨૦૧૧માં શરુ કર્યો એની એક પોસ્ટ વાંચીને માયાબેને એમના પ્રતિભાવમાં લખ્યું ;

‘નિવૃત્તિના સમય નો સદ ઉપયોગ .સુંદર કાર્ય . આપ વડીલ છો તેથી વંદન સહીત આપને શુભેચ્છાઓ પાઠવું છું .

મારા સસરા પણ આપની ઉમરના છે અને દર્દીઓ ને જમાડવાનું સેવા નું કાર્ય પોરબંદરમાં કરે છે . મને આપની પ્રવૃત્તિ ખુબ ગમી . જય શ્રી કૃષ્ણ”

મને એમના સસરા વિષે જાણવાનું કુતુહલ થતાં મેં માયાબેનને લખ્યું :

‘આપના સસરા આ ઉમરે પણ કાર્યશીલ છે અને પોરબંદરમાં દર્દીઓને જમાડવાનું પુણ્ય કામ કરી રહ્યા છે એ બદલ એમને મારા અભિનંદન અને એમની નિરામય જિંદગી માટે મારી શુભેચ્છાઓ અને જય શ્રી કૃષ્ણ એમને પહોંચાડશો.આપના સસરા વિષે વધુ જાણવાની ઈચ્છા છે.તો ફુરસદે જણાવવા વિનંતી છે.”

એના જવાબમાં માયાબેને એમના બ્લોગમાં જુન, ૧૧,૨૦૧૧  ના રોજ ફાધર્સ ડે ના નિમિતે પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા ના હેડિંગથી લેખ લખ્યો હતો એની લીંક મોકલી હતી .

ત્યારબાદ મારાથી  આ વાત ભુલાઈ ગઈ હતી . તાંજેતરમાં તેઓ ફેસબુક મિત્ર બનતાં મને એમના સસરા રોટલાવાળા બાપા વાળી વાતનું સ્મરણ થતાં એમને ફરી એમના લેખની લીંક મોકલવા વિનંતી કરી . 

એના જવાબમાં સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૪ ના ઈ-મેલમાં માયાબેને લખ્યું  ;

‘‘પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપાના લેખની લીંક મોકલી છે .અને એક દુખદ સમાચાર છે કે અમારા વહાલા બાપુજી (સસરાજી) ૧૩-૩-૨૦૧૪ માં શ્રીજી ચરણ પામ્યા છે .પણ એમણે વાવેલા સેવા ના વટવૃક્ષ ના ફળ હજુ લોકો ને મળી રહ્યા છે . વડીલ ,આપ શ્રી ને વંદન સહીત જય શ્રી કૃષ્ણ. 

ફાધર્સ ડે નિમિત્તે ૧૪મી જુન ૨૦૧૧ ના રોજ એમના સસરાજી વિષે એમણે  લખેલ નીચેના લેખમાં એમના બાપુજી (સસરાજી) પ્રત્યેનો આ કુટુંબ વત્સલ માયાબેનનો પ્રેમ વર્તાઈ આવે છે .

 

પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા  ……માયા રાયચુરા

Rotlawala Bapa

 

ફાધર્સ  ડેના નિમિત્તે   હું   એક એવી  વ્યક્તિ  ની વાત  કરું  છું  જે  ફક્ત  એમના સંતાનોના જ  નહી પણ આખા  પોરબંદર માં અને આજુબાજુના  ગામડાઓ માં  રોટલા વાળા  બાપા  તરીકે  ઓળખાય છે 

અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતાં હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૨ વર્ષના એક વૃધ્ધ અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા છેલ્લા ૨૫ વર્ષથી ભજવી રહ્યા છે.

તા.૨૫.૪.૧૯૮૭થી એમણે પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તથા તેના સગાવ્હાલાઓને ભોજન શોધવા જવું પડે નહી તે માટે હોસ્પિટલની અંદર જ સવાર સાંજ બંને ટાઈમ ભોજન પુરું પાડવાનો મહાયજ્ઞ એમણે આરંભ્યો હતો.

માથે  ટોપી , હાથ માં માળા  અને  સાદા   વસ્ત્રો .  આંખો માં  જિંદગી  નો અનુભવ  અને  ચહેરા ઉપર કરુણા અને સેવા નો આનંદ .આજે  ૨૫  વરસ થી   કાંઈ  પણ બદલા ની  આશા વીના  રોજ સવારે  વહેલા ઉઠી  રસોઈ  બનાવી   પોરબંદર  ના સરકારી  દવાખાના  માં  દર્દી ઓ ને  અને  તેમની સાથે  રહેતી  વ્યક્તિ  ને જમાડે .  જરૂરિયાત  વાળા ને  દવા  ની પણ મદદ કરે . રસીકબાપા દરરોજ સવારે સાડાત્રણ વાગ્યે ઉઠી જાય છે અને ૮૨ વર્ષની ઉંમરે પણ દોઢ કલાક ચોપાટી ઉપર મોર્નિંગવોક કરે છે. ત્યારબાદ સરકારી હોસ્પિટલની સામેના કવાર્ટરને જ નિવાસસ્થાન બનાવીને રહેતા આ સજ્જન રસોઈ બનાવવાની શરૃઆત કરી દે છે. સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી હોસ્પિટલની અંદર જ તૈયાર થયેલી રસોઈ લાવીને દર્દીઓને પોતાના હાથેથી જ જેટલી માત્રામાં ભોજન જોતું હોય તેટલી માત્રામાં આપે છે. તેમના આ યજ્ઞ માં આહુતિ આપવા અનેક કાર્યકરો પણ જોડાયા છે.  જેનું કોઈ  ન હોય  તેવી  મૃત વ્યક્તિ  ના  અંતિમ સંસ્કાર  પણ જાતે  કરે .  દીલમાં  દયા નો દરિયો વહે .કોઈ ના પણ માટે  કાંઈ પણ મદદ  કરવા  હંમેશા તૈયાર .સેવાના  ભેખધારી આ  જીવતા  બાપા  ને   નાના મોટા બધા જ  ઓળખે .

કોઈ ની  પાસે  ક્યારેય ન માંગવું  એ  એમનો  નિયમ . કોઈ પણ  કપરા  સંજોગોમાં  એમણે  સેવા છોડી નહી.ટાઢ , તાપ કે  વરસાદ ની ઋતુ  માં પણ  ખુલ્લા પગે   સેવા કરતા રહે  .કંટાળો કે થાક  નું   નામ નહી.દવાખાનામાં  લીમડા ના  ઝાડ  નીચે  એમની બેઠક .બધા ત્યાં  મળવા આવે .દરેક ની તકલીફ  દુર કરે .

થોડા વરસો  પહેલાં એમના જીવન સાથી   શ્રીજી ચરણ  પામ્યા .તેમનો પણ આ સેવા  યજ્ઞ  માં મોટો ફાળો હતો .  એમની  મા ની  સેવા  એમણે  શ્રવણ ની જેમ કરી . એમના બા  બીમાર થયાં , તેમને  દવાખાનામાં દાખલ કર્યા ત્યારે  બાની સેવા કરતાં  કરતાં બીજા દર્દીઓ નું  દુઃખ  દર્દ જોયા .એમનું હ્રદય  દુખી  થયું  અને  મનમાં  આ ગરીબ  દુખી લોકો ની સેવા  કરવાનાં મનમાં બીજ  રોપાયાં . થોડા સમય  પછી  એમની બા ના મૃત્યું પછી   સેવા ની શરૂઆત કરી .  

ધીરે  ધીરે   સેવા રૂપી   છોડ   વિકાસ  પામતો ગયો   .ઘણી અડચણો  સહેવા  છતાં યે  હિમ્મત  થી આગળ  વધ્યા . પ્રભુની  પણ આ  સેવા કાર્યમાં  કૃપા છે .  આજે  એમની આયુ ૮૧  વર્ષ ની છે   .હવે  ઉમર  ના કારણે  થોડી તકલીફ  પડે  એ  સ્વાભાવિક  છે  પણ   હવે  ગામ ના  સેવાભાવી  લોકો  એમના  કામમાં  મદદ કરે છે .

પોતાનાં  સંતાનો કે પરિવાર જનો   ને તો સૌ  કોઈ મદદ  કરે  પણ  પારકા  ને  પણ  પોતાનાં  ગણી વ્હાલની  વર્ષા  કરે   એવા આ   સંત  શ્રી રસિકભાઈ  રોટલા વાળા  બાપાને એમના સેવા કાર્ય  માટે  અમારાં  કોટી કોટી વંદન.

તમને લાગશે કે   હું એમને  કેવી રીતે ઓળખું  તો મારે  એ જ કહેવાનું  કે   બધાના  રોટલા વાળા બાપા   અમારા વ્હાલા  બાપુજી  છે . અમને અમારા  આ બાપુજી ઉપર  ગર્વ  છે .

ફાધર્સ ડે  ના નિમિત્તે  બાપુજી ને  કોટી કોટી વંદન .

માતૃ દેવો ભવ .    પિતૃ દેવો ભવ .

માયા  સુધીર  અને  કાના  ના જય શ્રી કૃષ્ણ.

નોંધ :-

કોઈ લોભ લાલચ કે દ્રવ્ય સહાય ની આશા થી આ પોસ્ટ મેં નથી મૂકી .કોઈ પણ જાત ની ગેર સમજ ન કરવા વિનંતી.

ફક્ત અમારા બાપુજી પ્રત્યે ના પ્રેમ અને ગૌરવે આ પોસ્ટ મુકવા વિવશ બનાવી છે અને તે જ પ્રેમ અને ગૌરવ આપ સર્વે મિત્રો ની સાથે શેર કરવા ચાહું છું.

ચાલો ,આજે ફાધર્સ ડે ના દિવસે મારું પ્રિય  ગીત આપ સૌ ની સાથે શેર કરું છું .

યે તો સચ હૈ કી ભગવાન હૈ ,હૈ મગર ફિર ભી અનજાન હૈ , ધરતી પે રૂપ માબાપ કા વિધાતા કી પહેચાન હૈ .

https://www.youtube.com/watch?v=2eJvS_YPnWc

-માયા રાયચુરા

  

માયાબેનએ ફરી ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ એક બીજી પોસ્ટમાં એમના પૂજ્ય સસરાજીની ઝુંપડામાં રહેતાં બાળકોના શિક્ષણ અંગેની એક વધુ સેવા વિષે એમના બ્લોગમાં આ પ્રમાણે લખ્યું .

 

રોટલાવાળા બાપા (પૂ શ્રી રસિકબાપા )

 

અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .એ ઉક્તિ ને યથાર્થ કરતા અમારા વહાલા બાપુજી શ્રી રોટલા વાળા બાપા પૂ. શ્રી રસિકબાપા આજે ૮૪ વર્ષ ની ઉમરે પણ વિવિધ ક્ષેત્રે સેવા કરતા રહે છે .  પોરબંદર માં ગરીબ કામદાર વસાહત માં ઝુંપડા માં  રહેતા લોકો ના બાળકો  ની દશા અને એમનું જીવન જોઈ બાપા નું દિલ દ્રવી ઉઠયું .કોઈ ને ના સુઝ્યું એવું કામ એમણે અંતકરણ  ની પ્રેરણા થી શરુ કર્યું .

આ ગરીબ બાળકો ને અક્ષર જ્ઞાન આપવા માટે તેમણે કમર કસી અને અથાગ પ્રયત્નો બાદ શાળા શરુ કરી.  આજે તેમાં સો બાળકો શિક્ષણ મેળવે છે .તેમને યુનીફોર્મ , પુસ્તકો ,દફતર જેવી જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવામાં આવે છે . સેવા ભાવી લોકો નો સાથ સહકાર પણ મળતો  રહે છે .સવારે દૂધ અને પોષ્ટિક નાસ્તો પણ આપવા માં આવે છે અને બપોરે જમવા ની પણ સગવડ બાળકો માટે કરેલ છે . થોડા સમય માં તો આ બાળકો ના વાણી વર્તન અને દશા બધુ જ બદલાઈ ગયું છે .મેં મારી  નજરે એની પ્રતીતિ કરેલ છે .

નીચે તસ્વીરમાં બાપુજીની સાથે શાળા ના બાળકો નો ફોટો છે . કિલ્લોલ કરતા બાળકોને  જોઈને  અને કવિતાઓ બોલતાં આ નાનાં ભૂલકાઓ વહાલાં લાગે એવાં છે .

 Rotlavala bapa and School boys

એમના માતા પિતા હવે નિશ્ચિંત મનથી કામ પર જાય છે ,મન માં એક સંતોષ લઇ ને કે હવે અમારા બાળકો રસ્તે રખડશે નહી અને ભણી ગણી એ એમનું જીવન સુંદર બનાવશે .

બાપુજી ને એમના આ સત્કાર્ય માટે  અમારાં વારંવાર વંદન.બાપુજી ના પગલે ચાલવાની ઈચ્છા ધરાવતી એમની પુત્ર વધુ અને દીકરા ને પ્રભુ શક્તિ આપે એવા આશીર્વાદ બાપુજી પાસે ઇચ્છતી  એમની દીકરી જેવી પુત્ર વધુ માયા  ના જય શ્રી કૃષ્ણ .

એક બીજી પોસ્ટમાં એમણે લખ્યું :

 ૩-૫-૨૦૧૩ ના મારા દીકરા ના લગ્ન હતા .પણ એ પહેલાં ના બે દિવસ એટલેકે  તા ૧-૫-૨૦૧૩ ના રોજ મારા સસરાજી નો જન્મ દિવસ  હતો .અમે ખુબ ખુશી થી એમનો ૮૩ મો  જન્મ દિવસ મનાવ્યો .તેઓ  શ્રી પોરબંદર માં ભૂખ્યા જનો ના જઠરાગ્ની ઠારવા ની સેવા આનંદ થી નિસ્વાર્થ ભાવે કરે છે અને તેજ કારણે ૨૭ વરસ થી પોરબંદર ની બહાર ગયા નથી .પણ   પૌત્ર ના લગ્ન પ્રસંગે જરૂર આવશે એમ વચન આપેલું જે એમણે નિભાવ્યું .

-માયા રાયચુરા

=============

ઉપર શરૂઆતમાં માયાબેને જણાવ્યું છે એમ એમના વહાલા બાપુજી (સસરાજી) પ્રેરણામૂર્તિ રોટલાવાળા બાપા તારીખ ૧૩-૩-૨૦૧૪ ના રોજ  પોરબંદરમાં  ૨૭ વર્ષ સુધી મુક રીતે સેવા બજાવી ૮૫ વર્ષની ઉંમરે શ્રીજી ચરણ પામ્યા છે . પરંતું એમણે વાવેલા સેવા ના વટવૃક્ષ ના ફળ હજુ લોકો ને મળી રહ્યાં છે અને મળતાં જ રહેશે .

આજે ઘણે સ્થળે રોટલાવાળા બાપા જેવા માણસાઈના દીવાઓ પ્રસિદ્ધિની કશી જ પરવા કર્યા વિના એમની સેવાની જ્યોતને જલતી રાખી પ્રકાશ ફેલાવી રહ્યા છે જેની કોઈને જાણ પણ હોતી નથી .આવી પ્રેરણામૂતિઓના સેવા કાર્યને બિરદાવવાની એક ફરજ બની રહે છે .

એક સંત જેવું જીવન જીવી ગયેલ પોરબંદરના  રોટલાવાળા રસિક બાપા ને

વંદન સાથે હાર્દિક શ્રધાંજલિ .

વિનોદ પટેલ