વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 686 ) ‘ઓન લાઈન શાળા ‘…ઈ-વિદ્યાલય.. યજ્ઞકાર્યમાં સહભાગી થશો ?

મહાત્મા ગાંધીના જન્મ દિવસ , ૨, ઓક્ટોબર – ૨૦૧૩ના રોજ  ‘ઓન લાઈન શાળા ‘ નો  એક  પ્રયોગ સુ.શ્રી હિરલ શાહએ મિત્રો અને વડીલોના સહકાર અને આશીર્વાદથી શરૂ કર્યો  હતો. આ ઓન લાઈન શાળાનું નામ હતું ” ઈ-વિદ્યાલય “.

શરૂઆત થતાં જ થોડા સમયમાં યુટ્યુબ ચેનલ પર ૧ લાખથી વધુ અને વેબસાઇટને ૧.૫ લાખથી વધુ વિઝીટ મળી અને ત્યારબાદ મુલાકાતીઓનો સતત વધારો થયા જ કરે છે.

ઈ-વિદ્યાલય શું છે એ જાણવા આ પ્રતિક પર ‘ક્લિક’ કરો.

logo

અગાઉ વિનોદ વિહારમાં  નીચેની બે પોસ્ટમાં બેન હિરલ શાહ અને એમના સ્વપ્નના સર્જન ઈ-વિદ્યાલયનો પરિચય આપવામાં આવ્યો છે.

( 430) હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય )

( 526 ) હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા

ઉપરની એક પોસ્ટના પ્રતિભાવમાં હિરલ લખે છે …..

Guardian_2

હિરલે છેલ્લે ઉમેર્યું હતું “દરેક જણ જે ઇવિદ્યાલય પ્રોજેક્ટ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. તે સર્વેનો દિલથી આભાર.”

હવે આ શાળાનું વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે; અને નજીકના ભવિષ્યમાં એનો નવો અવતાર આવી રહ્યો છે. ઘણા બધા નવા પ્રયોગો, સવલતો, ક્ષિતિજો સાથે. આ શુભ કાર્યને બીરદાવતો / આવકારતો એક લેખ ‘ ગુજરાત ગાર્ડિયન’ માં શ્રીમતિ કલ્પનાબેન દેસાઈએ લખ્યો છે .આ લેખને એમના આભાર સાથે નીચેના ચિત્ર પર ક્લિક કરી વાંચવા માટે વિનંતી છે .

આ ચિત્ર પર ક્લિક કરી એ મનનીય લેખ વાંચો

 

આ લેખમાંથી લીધેલો એક ફકરો ….

Guardian_1

ઘણા એવા ગુજરાતી ભાઈઓ અને બહેનો હશે- જેમની પાસે થોડોક પણ ફાજલ સમય હશે- નિવૃત્ત વયસ્કો, શિક્ષિત ગૃહિણીઓ, વેકેશનમાં શું કરવું એવી મુંઝવણ વાળા કિશોર /કિશોરીઓ / યુવાનો / યુવતિઓ. એ સૌને આ યજ્ઞ કાર્યમાં યથાશક્તિ ફાળો આપવા વિનંતી છે. અને જેમની પાસે આવો ફાજલ સમય ન હોય; અને છતાં થોડાક ‘લાંબા’ થઈ આમાં મદદ કરવા મન થાય; તેમનો તો વિશેષ આભાર જ માનવો પડે.

  • તમારી વેબ સાઈટ પર ઈ-વિદ્યાલયનો લોગો મુકીને

  • શૈક્ષણિક વિડિયો/ સોફ્ટવેર સંબંધી મદદ કરીને

  • ગુજરાતની શાળાઓ અંગે માહિતી આપીને

  • આર્થિક સહયોગ આપીને

  • આ શુભ કાર્યના સમાચાર  તમારા મિત્રો/ સંબંધીઓને પહોંચાડીને 

પ્રેરણા સાભાર- સન્મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ સૂર સાધનાનો લેખ  

યજ્ઞકાર્યમાં સહભાગી થશો ? 

2 responses to “( 686 ) ‘ઓન લાઈન શાળા ‘…ઈ-વિદ્યાલય.. યજ્ઞકાર્યમાં સહભાગી થશો ?

  1. pragnaju માર્ચ 24, 2015 પર 5:59 પી એમ(PM)

    આ શુભ કાર્યનો વ્યાપક પ્રચાર થાય તે માટે અમે પણ રી બ્લોગ કર્યું

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.