આજથી બરાબર એક વર્ષ પહેલાં એટલે કે તારીખ ૧૬મી મે ૨૦૧૪ ના દિવસે ભારતની લોકસભાની ચુંટણીનો કટોકટીનો જંગ ખેલાયા પછી નરેન્દ્ર મોદીની આગેવાની નીચે “અબકી બાર મોદી સરકાર” અને “સબકા સાથ સબકા વિકાસ” ના નારા સાથે ભાજપ-એન.ડી.એની સંપૂર્ણ બહુમતી સાથેના ભવ્ય વિજયથી આખાએ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.દેશનાં ઘણાં રાજ્યો ભાજપના ભગવા રંગમાં રંગાઈ ગયાં હતાં .
ત્યારબાદ ,તારીખ ૨૬મી મે ૨૦૧૪ના દિવસે રાષ્ટ્રપતી ભવનના પ્રાંગણમાં દેશ વિદેશથી આમંત્રિત મહેમાનોની વિશાળ સંખ્યા સામે ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને એ દિવસથી જ શ્રી મોદી અને એમના મંત્રી મંડળના સાથીઓએ દેશના વહીવટની બાગડોર સંભાળી હતી.
એ વખતે “અચ્છે દિન આને વાલે હૈ” ની આશાઓ અને આકાંક્ષાઓ દેશની આમ જનતામાં હતી .દેશની જનતાએ જૂની કોંગ્રેસ અને સાથી પક્ષોની યુતિ સરકારના સ્થગિત, અકાર્યક્ષ્મ અને ભ્રષ્ટાચારી વહીવટના કારણે એમને મોટી હાર આપી હતી અને ગુજરાતની માફક મોદીના નેતૃત્વ નીચે નવી સરકાર જરા હટકે કામગીરી કરશે એવી લોકો આશાઓ રાખે એ સ્વાભાવિક છે.
આજે એક વર્ષ પછી અચ્છે દિન બાબત વિરોધ પક્ષો અને મોદી વિરોધી બળો ભલે વિવાદ કરતા હોય કે ઠેકડી ઉડાડતા હોય પણ ઘણા અર્થ શાસ્ત્રીઓનો એ સ્પષ્ટ મત છે કે સરકારે અપનાવેલી વિકાસની નીતિઓથી દેશના વિકાસ માટેનો સુદ્રઢ પાયો આ એક વર્ષની મોદી સરકારની કામગીરીમાં નંખાયો છે એની ના કહી શકાય એમ નથી .
એક વર્ષની કામગીરી વિષે આંતર રાષ્ટ્રીય સંસ્થાઓએ સારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વિશ્વમાં ભારતની વિશ્વશનિયતા બાબતની પહેલાં જે છાપ હતી એમાં ઘણો સુધારો થયો છે એને લીધે એક વર્ષમાં વિશ્વના દેશોનું ભારતમાં મૂડી રોકાણ સ્પષ્ટ રીતે વધી રહ્યું છે. મોદી સરકારની “મેઇક ઇન ઇન્ડિયા ” ની ઉત્પાદન નીતિની કદર થઇ રહી છે.
દેશની ગરીબ આમ જનતા માટેની યોજનાઓનું અમલીકરણ શરુ થઇ ગયું છે.ચાલીસ દિવસના ગુપ્ત વાસ પછી એકાએક દેખાઈને રાહુલ ગાંધીની આગેવાની નીચે વિરોધ પક્ષો મોદી સરકારની વિકાસ યાત્રામાં બને એટલો અટકાવ કરવાનો પ્રયત્ન કરી બુમ બરાડાની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ એમની કોઈ કારણ શોધી મોદી સરકારનો વિરોધ કરી દેશના હિતોમાં અવરોધરૂપ બનવાની નીતિ એમના માટે બુમરેંગ બને તો એની નવાઈ નહિ.
ભૂતપૂર્વ પ્લાનીગ કમિશનના એક સભ્ય અને રાજ્ય સભાના સભ્ય રહી ચૂકેલ શ્રી NK Singh એ મોદી સરકારના વહીવટના એક વર્ષનાં લેખાં જોખાં કરતો એક સરસલેખ ndtv ની વેબ સાઈટ ઉપર લખ્યો છે એ વાંચવા જેવો છે . નીચેની લીંક ઉપર એ લેખ વાચો.
એક વર્ષમાં શ્રી નરેન્દ્ર મોદીએ ૧૬ કરતાં એ વધુ દેશોની મુલાકાત લઇ ૫૦ કરતાં એ વધુ આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા નેતાઓ સાથે દેશનાં હિતોની બાબતો અંગે રૂબરૂ વાતચીત કરી , વિકાસ યોજનાઓ માટે કરાર કરી ,સારા સંબંધો સ્થાપી આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે દેશની ગરિમામાં વૃદ્ધિ કરી છે.
આ લખાય છે ત્યારે શ્રી મોદી ત્રણ દિવસ માટે ચીન ,મોંગોલિયા વી. દેશોની યાત્રા ઉપર છે . ચીનમાં એની પ્રજા અને ચીનના પ્રમુખ અને વડા પ્રધાને મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું છે અને દેશ હિત માટેના ૧૬ કરાર ઉપર સહી સિક્કા કર્યા છે.
તારીખ ૧૬મી મે ૨૦૧૫ ના રોજ એટલે કે ભાજપના ભવ્ય વિજયની પ્રથમ સંવત્સરીના દિવસે ચીનની ધરતી ઉપરથી ચીનમાં વસતા ભારતીયોની વિશાળજન સંખ્યા સામે શ્રી મોદીએ બહુ જ જુસ્સાદાર પ્રવચન આપ્યું હતું એ સાંભળવા જેવું છે.નીચેના વિડીયોમાં મોદીને સાંભળ્યા પછી તમને લાગશે કે દેશના બીજા થઇ ગયેલા વડા પ્રધાનો અને મોદીમાં કેટલો ફરક છે !
વિદેશમાં વસતા ભારતીય ડાયાસ્પોરામાં મોદીનો જાદુ હજુ ય બરકરાર છે એ આ વિડીયોમાં જોઈ શકાય છે.
PM Modi’s speech at the Indian Community Reception
in Shanghai
આ ઐતિહાસિક પ્રવચનનો હિન્દીમાં સંપૂર્ણ પાઠ આ લીંક ઉપર વાંચી શકાશે
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ માટે એજન્ડા તૈયાર : મોંધવારીને અંકુશમાં લેવા પર મુખ્ય ધ્યાન અપાશે
નવી દિલ્હી, તા.૧૧: નરેન્દ્ર મોદી સરકારે આગામી પાંચ વર્ષ માટે પોતાના એજન્ડાને આખરી ઓપ આપી દીધો છે. મોદી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા એજન્ડા મુજબ પ્રથમ બે વર્ષ સુધી ર્આથિક સ્થિતિને સુધારવા માટે કામ કરવામાં આવશે. જ્યારે આગામી ત્રણ વર્ષ સુધી મોદી સરકાર વિકાસ અને અર્થતંત્રને વધુ ઝડપી બનાવવા ઉપર કામ કરશે. સરકારની નજર પ્રથમ બે વર્ષમાં મૂડીરોકાણકારોના આત્મવિશ્વાસને પુનઃજગાડવા ઉપર રહેશે. સાથે-સાથે અર્થતંત્રને મજબૂત કરવા અને વ્યાપારી ખાદ્યને અંકુશમાં લેવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર ઝડપથી લોકલક્ષી યોજનાને અમલી બનાવતા પહેલા મજબૂત અર્થતંત્રનું ચિત્ર તૈયાર કરશે. વિરાસતમાં મળેલા નબળા અર્થતંત્રને સુધારવા ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરાશે. એક ટોચના સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, મોંધવારી આસમાન ઉપર છે અને સરકારી ખજાનાની હાલત ખરાબ થયેલી છે સરકાર આગામી બે વર્ષમાં મોટાપગલા મારફતે એક એવી મજબૂત ર્આથિક આધારશીલા તૈયાર કરશે જેના ઉપર આગળ વધીને ત્રણ વર્ષમાં વિકાસની ગતિને ઝડપી બનાવી શકાશે. સરકારી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા બાદ જાણવા મળ્યું છે કે, મહેસુલી ખાદ્યને કાબુમાં લેવા માટે મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરાશે. સરકારની મુખ્ય પ્રાથમિક્તા મોંધવારી ઉપર અંકુશ મુકવાની રહેશે. આવી સ્થિતિમાં ર્આથિક મજબુતીના મોરચા ઉપર કોઈ બાંધછોડ કર્યા વગર ર્આથિક વિકાસને ફરીથી પાટા ઉપર લાવવાની પણ બાબત મહત્વપૂર્ણ રહેશે.મોદી સરકારે રેલેવે અને સામાન્ય બજેટમાં કેટલાક સુધારા પગલાની જાહેરાત કરી હતી. સુધારા પગલાને ઝડપથી આગળ વધારવામાં આવે તેવી શક્યતા છે.હાલમાં દરેક ક્ષેત્રમાં વ્યાપક ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્થિતી સુધારવા પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે.
ખૂબ સરસ માહિતી
સામાન્યતયા રાજકારણ અને ધાર્મિકવાતો મા દરેકની અંગત માન્યતાઓ ઠેસ પહોંચે તેથી કોમેંટ ટાળીએ અથવા ટૂકમા આ આપીએ.પહેલા આવી વાતોમા સહનશીલતા હતી.અમારા મામાશ્રી મુંબઇના મૅયર હતા તો તેમનો દીકરો બીજી પાર્ટીનું કામ કરતો પણ ઘરમા શાંતી જ રહેતી
આ લેખ ફેસબુક પર શેર કર્યો.
LikeLiked by 1 person
I too will share this article on facewbook
LikeLike
મોદી સરકાર પ્રથમ બે વર્ષ સુધારા ઉપર ધ્યાન આપશે
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ માટે એજન્ડા તૈયાર : મોંધવારીને અંકુશમાં લેવા પર મુખ્ય ધ્યાન અપાશે
નવી દિલ્હી, તા.૧૧: નરેન્દ્ર મોદી સરકારે આગામી પાંચ વર્ષ માટે પોતાના એજન્ડાને આખરી ઓપ આપી દીધો છે. મોદી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા એજન્ડા મુજબ પ્રથમ બે વર્ષ સુધી ર્આથિક સ્થિતિને સુધારવા માટે કામ કરવામાં આવશે. જ્યારે આગામી ત્રણ વર્ષ સુધી મોદી સરકાર વિકાસ અને અર્થતંત્રને વધુ ઝડપી બનાવવા ઉપર કામ કરશે. સરકારની નજર પ્રથમ બે વર્ષમાં મૂડીરોકાણકારોના આત્મવિશ્વાસને પુનઃજગાડવા ઉપર રહેશે. સાથે-સાથે અર્થતંત્રને મજબૂત કરવા અને વ્યાપારી ખાદ્યને અંકુશમાં લેવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર ઝડપથી લોકલક્ષી યોજનાને અમલી બનાવતા પહેલા મજબૂત અર્થતંત્રનું ચિત્ર તૈયાર કરશે. વિરાસતમાં મળેલા નબળા અર્થતંત્રને સુધારવા ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરાશે. એક ટોચના સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, મોંધવારી આસમાન ઉપર છે અને સરકારી ખજાનાની હાલત ખરાબ થયેલી છે સરકાર આગામી બે વર્ષમાં મોટાપગલા મારફતે એક એવી મજબૂત ર્આથિક આધારશીલા તૈયાર કરશે જેના ઉપર આગળ વધીને ત્રણ વર્ષમાં વિકાસની ગતિને ઝડપી બનાવી શકાશે. સરકારી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા બાદ જાણવા મળ્યું છે કે, મહેસુલી ખાદ્યને કાબુમાં લેવા માટે મુખ્ય ધ્યાન કેન્દ્રીત કરાશે. સરકારની મુખ્ય પ્રાથમિક્તા મોંધવારી ઉપર અંકુશ મુકવાની રહેશે. આવી સ્થિતિમાં ર્આથિક મજબુતીના મોરચા ઉપર કોઈ બાંધછોડ કર્યા વગર ર્આથિક વિકાસને ફરીથી પાટા ઉપર લાવવાની પણ બાબત મહત્વપૂર્ણ રહેશે.મોદી સરકારે રેલેવે અને સામાન્ય બજેટમાં કેટલાક સુધારા પગલાની જાહેરાત કરી હતી. સુધારા પગલાને ઝડપથી આગળ વધારવામાં આવે તેવી શક્યતા છે.હાલમાં દરેક ક્ષેત્રમાં વ્યાપક ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્થિતી સુધારવા પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે.
(અકિલા સમાચારમાંથી સાભાર )
LikeLike
ખૂબ સરસ માહિતી
સામાન્યતયા રાજકારણ અને ધાર્મિકવાતો મા દરેકની અંગત માન્યતાઓ ઠેસ પહોંચે તેથી કોમેંટ ટાળીએ અથવા ટૂકમા આ આપીએ.પહેલા આવી વાતોમા સહનશીલતા હતી.અમારા મામાશ્રી મુંબઇના મૅયર હતા તો તેમનો દીકરો બીજી પાર્ટીનું કામ કરતો પણ ઘરમા શાંતી જ રહેતી
LikeLike