ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 868 ) ના માન્યું ને !….( એક લઘુ કથા – સત્યઘટના પર આધારિત )… વિનોદ પટેલ
ના માન્યું ને !….( એક લઘુ કથા – સત્યઘટના પર આધારિત )
વિનોદ પટેલ
“ચંદ્રેશ,મને અમદાવાદ જવા દે ને,આવું શું કરે છે !”
“નિહારિકા,ખરું કહું છું.ઇન્ડિયા જવાનું માંડી વાળ,તને ખબર તો છે ને કે તને કેન્સર છે.આવી હાલતમાં તને એકલી કેવી રીતે જવા દઉં.મારી જોબ ઉપર અગત્યનો પ્રોજેક્ટ બાકી છે એટલે તારી સાથે હું આવી શકું એમ નથી.”
“હની,હું જાણું છું પણ મને આ ઉતરાણ પર અમદાવાદ જઈને પતંગ ચગાવવાની અને ત્યાં ભાઈ-ભાભી અને જુના મિત્રોને મળવાની મનમાં ખુબ ઇચ્છા થઇ આવી છે.”
“સાલું,અમદાવાદ તો મને પણ બહુ યાદ આવે છે પણ શું કરું જોબને લીધે લાચાર છું.તને ખબર છે,છેલ્લે આપણે અમદાવાદ ગયેલા ત્યારે ઉતરાણ ઉપર તારા ભાઈના બંગલાના ધાબે ચડીને વહેલી સવારથી માંડી સાંજ સુધી પતંગની કેવી મોજ માણી હતી.પણ આવી હાલતમાં તને અમદાવાદ એકલી મોકલતાં મારો જીવ નથી ચાલતો.તારા વિના મારો એક મહિનો કેવી રીતે જશે!”
“હની,એક મહિનો તો આમ ચપટી વગાડતામાં જતો રહેશે.અમદાવાદની તાજી હવા મારા ફેફસામાં ભરીને હું ફરી પાછી તારી પાસે આવી જઈશ.ડોક્ટર પણ કહે છે કે કેન્સર સુધારા પર છે,કોઈ ગંભીર સ્ટેજ પર નથી.ખુશીથી ઇન્ડિયા જઇ શકાશે.”
નિહારિકાના મનની પ્રબળ ઈચ્છા અને એના અતિ આગ્રહને વશ થઈને પ્રેમાળ પતિ ચંદ્રેશએ એને અમદાવાદ જવાની રજા આપતાં કહ્યું :
“હની,કેન્સરગ્રસ્ત હાલતમાં તું જાય છે તો તારું બરાબર ધ્યાન રાખજે.ત્યાં જઈને પતંગની મોજ કરવામાં તારી દવાઓ નિયમિત લેવાનું ભૂલી ના જતી.હું ફોન પર તારી ખબર અંતર પૂછતો રહીશ.”
ઘણા વર્ષો પછી અમદાવાદ પિયરમાં આવીને નિહારિકા જાણે સ્વર્ગમાં આવી ગઈ હોય એમ ખુશ ખુશ થઇ ગઈ. ઉતરાણ ઉપર કુટુંબીજનો અને મિત્રો સાથે પતંગની મોજ માણવાની એના મનની ઇચ્છા પણ પૂરી કરી લીધી.
અમેરિકા પાછા જવાના માત્ર બે દિવસ બાકી હતા ત્યાં જ નીહારીકાના કેન્સરે ઉથલો ખાધો.એના ભાઈએ તાત્કાલિક ગંભીર હાલતમાં એને હોસ્પીટલમાં દાખલ કરી એની બીજી સવારે જ બધાંને રડતાં છોડીને પતંગની મોજ માણ્યા બાદ નિહારિકા આ ફાની દુનિયા ત્યજીને કોઈ બીજી અગમ દુનિયાની મુસાફરીએ ચાલી નીકળી.
અમેરિકામાં ચન્દ્રેશને આ માઠા સમાચાર ફોન પર મળતાં જ તાબડતોબ એર ટીકીટ અને ઈમરજન્સી વિઝાની તજવીજ કરી ૨૪ કલાકની એના જીવનની લાંબામાં લાંબી પત્ની વિના એકલા કરેલી આંસુ ભરી મુસાફરી બાદ એ અમદાવાદ પહોંચી ગયો.અમદાવાદમાં સૌ સ્નેહીજનો નીહારીકાની અંતિમ ફ્યુનરલ ક્રિયા માટે એના ભાઈના બંગલે ચન્દ્રેશની જ રાહ જોઈ રહ્યા હતા.
ચન્દ્રેશ જાણે દોડતો હોય એમ એને સદાના માટે છોડી ગયેલ પત્નીના જીવ વિનાના ખાલી ખોળિયા પાસે નીચે બેસી જઈને ડુસકાં ભરેલા અવાજે એને કહી રહ્યો હતો:
“આખી જિંદગી તું મારો પડતો બોલ ઉપાડતી રહી,મારું કહ્યું માનતી રહી,પણ છેવટે જતાં જતાં તેં મારું કહ્યું ના માન્યું ને,મને એકલો છોડી છેતરીને એકલી જ જતી રહી ને !”
(સત્ય ઘટના પર આધારિત )
વિનોદ પટેલ
It is reality that nothing is in our hand , Everyone’s control key is in the hand of god .
LikeLike
વ્યાધી અને નામ બદલીએ તો અમારા ઘરની સત્ય ઘટના
કરૂણ ઘટના પણ ઇચ્છાપૂર્તિ થી વિગલીત થઇ સંતોષનો આનંદ
LikeLike
અત્યંત કરૂ ણ ઘટના. પણ એ વેંઢાર્યે જ છૂટકો.
LikeLike
બહુ કરૂણ ઘટના…..
LikeLike
પરમ સ્નેહીનો વાસ્તવિક અને સત્ય અજંપો સરસ રીતે કાલ્પનિક પાત્રમાં ઢાળી દીધો.
LikeLike
very sad.
LikeLike
સમયના ખેલ તો સમય જ જાણે…બહું જ વસમું લાગે..એવી વાત.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
કરૂણ ઘટના.
LikeLike
જીવનના અંતિમ તબક્કે ટેકણલાકડીની જરૂર કેટલી હોય છે એ આપણા જેવા વયસ્ક સિવાય કોણ જાણી શકે! અને એજ છીનવાય જાય… કરુણ કથની!
LikeLike
True Love-STORY of CHIMANBHAI & NIYANTICABEN I have Read & my heart was crying for my love of life SHASHI he has also left me alone.like “BHAri Duniya Me Tanha Ho Gaye hum”
Very very touchy story.————SAROJ DAVE
LikeLike
પ્રિય વિનોદભાઈ બહુ જાણવા જેવી વાત તમે લખી છે .
LikeLike
નિહારિકા પતી ચંદ્રેશને રડતો મુકીને પરલોક જતી રહી . બહુ દર્દ ભરી દાસ્તાન विनोद भाई તમે વાંચવા આપી . मन जाने में करू करने वाला कोई आदर्या अध्वच्चा रहे हरि करे सो होय
LikeLike
Pingback: ( 894 ) મરનારને મળવાનું મળે તો કેવું ! …ગઝલ…. ચીમન પટેલ/ રસ દર્શન … વિનોદ પટેલ | વિનોદ વિહાર
પ્રિય વિનોદભાઈ બહુ ઉત્તમ કથા કહી ધાર્યું હતું કશું અને થયું કંઈનું કઈ
LikeLike