એક વિચારક સહૃદયી સાહિત્ય મિત્ર તરફથી એક ફરતી ફરતી ઈમેલ મળી જેમાં કોઈ અજ્ઞાત લેખકનો ” જા તું ગુજરાતી નથી “નામે લેખ હતો.
આ લેખ મને ગમી જતા જેવો મળ્યો એ જ શબ્દોમાં વાચકોને માટે વાંચવા અને વિચારવા આજની પોસ્ટમાં મુક્યો છે . —- વી.પ.
જા તું ગુજરાતી નથી !
ચુંટણીમાં ભાજપને ન ભુતો ન ભવિસ્યતી જેવી જે જીત મળી તેનો યશ તમે કોને આપશો ?
લાગે છે કે તે યશના બે જણા પૂરા હકદાર છે :
૧.૨૧મી સદીના ચાણક્ય સમો અતિ બાહોશ, દ્રસ્ટીવાન, રોજ વીસ કલાક સતત કામ કરે તેવો કર્મઠ ને ધાર્યું કરનાર ન.મો. નામે નેતા મળ્યો જે નવ મહિનામાં એકલે હાથે આખા દેશને ઢંઢોળી વળ્યો અને હારેલી, થાકેલી ને નાસીપાસ થયેલી ભારતની જનતાને જગાડી વળ્યો . મતદાન થયું. રેકર્ડ મતદાન. અને પરિણામે તમે જોયું કે આ દેશના અભણ–ગરીબ, આદીવાસી, પછાત નાગરિકોએ, બધા જ ધર્મના મતદાતાએ, મોટા ભાગના સૌ કહેવાતા રીઢા દેશસેવકોને બેરહમીથી ઘરે બેસાડ્યા. (હજી કામ અધુરું રહ્યું છે; ૨૦૧૯ની ચુંટણીમાં બનવા જોગ છે કે પોતાને કોંગ્રસી કહેનારો એકે જણ લોકસભામાં ન હોય.)
હવે બીજો યશ કોને ?
આ બધાં કામનો યશ જેટલો મોદી અને ભાજપને આપી શકાય
તેટલો જ યશ, કોંગ્રેસ અને તેનાં દસ વરસના શાસન(કુશાસન)ને કોઈ આપે તો તમે સમ્મત થશો ?
આટલું ઢીલુંઢાલું ને નમાલું ને ભ્રષ્ટશાસન તો ભારતે કદી જોયું નહોતું. લોકો ત્રાસેલા. મોદીમાં તેમને વલ્લભભાઇ પટેલ દેખાયા ને તક ઝડપી લીધી..
હવે ગુજરાતમાં ૨૬માંથી ૨૬ સીટ ભાજપના ખોળામાં પડી તેનો યશ કોને ?
તેનો સુયશ પણ બે જણાને ફાળે જાય છે.
સોથી મોટો યશ કોંગ્રેસ પાર્ટીને ફાળે જાય.
છેલ્લાં બાર વરસથી નરેન્દ્ર મોદીને ગાળો દઈ દઈને, રોજ સવાર પડે ને નવા નવા મનઘડંત આક્ષેપો તેને માથે આરોપીને, દૂરદર્શનનો આખો કબજો જાણે અર્જુન જુઠવાડીઆ જેવા અડધો ડઝન કોંગ્રેસીઓએ જ લઈ લીધેલો ! લોકોને દુરદર્શન જોતાયે બંધ કર્યા !
તેટલો જ બીજો મોટો હીસ્સો, ગુજરાતના એનજીઓ, કહેવાતા કર્મશીલો, સ્યુડો સેક્યુલારીસ્ટો, સર્વોદયવાદીઓ, માનવતાવાદીઓ, રેસનાલીસટો વગેરેને જાય છે. તેમના દ્વારા ચલાવાતા સામયીકો, પત્રિકાઓ, જેમાં બારબાર વરસથી તેમણે ૨૦૦૨ને આગળ ધરી ન.મો.ને ગાળો ભાંડવાનું નીષ્ઠાપુર્વક ચાલુ રાખેલું. એમનો ફાળોયે નાનો સૂનો નથી.
અને આ ૨૬માંથી ૨૬ બેઠક ભાજપના ખોળામાં : તેમાં ભાજપનો પુરુષાર્થ ઓછો; ઉપરના બેનો સૌથી વધારે.
ચાર ચાર ચુંટણીથી આ બધા આમ જ નીંદા, ટીકા, ગાળનો ધોધમાર વરસાદ વરસાવતા રહેલાં માત્ર નરેન્દ્ર મોદી પર ! આ ‘ગુજરાતી નરવીરો’ને એટલું ભાન ન થયું કે ગુજરાતની જનતા એમને ઘાસ પણ નીરતી નથી ! મોદીએ તો બહુ બહુ ચેતવ્યા કે ‘અલ્યા, મારા પર જેમ જેમ ગાળો અને જુઠા આક્ષેપોનો કાદવ ઉછાળશો તેમ તેમ કમલ બહુ જ ખીલશે .’ પણ માને તો કોંગ્રેસી અને કર્મશીલો શેના ?
ચાલો, થવાનું હતું તે જ થયું ! પણ હજીયે તમે ન ચેતો ને મોદીની માત્ર ભુલો જ શોધવાનું, તેને ગાળો જ દેવાનું ચાલુ રાખશો તો મને શંકા છે કે આનાથીયે વઘારે માઠા દીવસો આવવાના છે. તમારા પોતાના પણ. ‘ઈશ્વર તમારું રક્ષણ કરે’
છેલ્લે મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ પછી, બાળપણમાં ચા વેચી ખાનારો આ જણ, આખા ભારતમાં અને જગતમાં જે માન પામી રહ્યો છે તે જોઈ તમને જો ગૌરવ ન થતું હોય તો તો,
તમે પોતે જે હો તે, પણ તમને કહું કે
‘જા, તૂ ગુજરાતી નથી..’
——————————-
क्या ये लोग मुंह दिखानेके के योग्य रहे हैं?
લેખક- શ્રી શિરીષ દવે
ઉપરના ઈ-મેલમાં મળેલ લેખમાં જે વિચારો દર્શાવવામાં આવ્યા છે એને મળતા વિચારો દર્શાવતા એમના બ્લોગ Third Eye (ત્રીજી આંખ) માં પ્રકાશિત એમના લેખની લીંક શ્રી શિરીષભાઈ દવેએ ઈ-મેલમાં મને મોકલી છે . એમના આભાર સાથે આ લેખને નીચેની લીંક ઉપર વાંચો .
વાચકોના પ્રતિભાવ