વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 618 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે, એક મળવા જેવા માણસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

ગુજરાતી બ્લોગ જગતમાં મારા પ્રવેશ પછી મને જે નજીકના સહૃદયી બ્લોગર મિત્રો આવી મળ્યા છે એમાં કેલીફોર્નીયા નિવાસી સહૃદયી મિત્ર શ્રી નરેન્દ્રભાઈ ફણસે ( જીપ્સી ) પણ એક છે .

મારા માટે એમનો પરિચય એક આનંદદાયક અનુભૂતિ બની રહી છે .

એમના બ્લોગ  જીપ્સીની ડાયરી  ની મુલાકાત લઈને એમના લેખો વાંચીએ એટલે એમના શીલ જેવી જ શૈલીનો પરિચય પણ મળી રહે.

અગાઉ મારા બ્લોગ વિનોદ વિહારની તારીખ ૧૯મી જુન,૨૦૧૩ ની પોસ્ટ નંબર ૨૬૫ માં કેપ્ટન નરેન્દ્રભાઈ ફણસે નો પરિચય કરાવ્યો હતો.

શ્રી. પી.કે.દાવડાએ એમની પ્રસિદ્ધ મળવા જેવા માણસ ની પરિચય શ્રેણીમાં કેપ્ટન નરેન્દ્રભાઈ ફણસેનો વિશદ પરિચય કરાવતો એક સરસ લેખ એમના ઈ-મેલમાં મને મોકલ્યો છે.આ લેખમાં નરેન્દ્રભાઈના સંઘર્ષ ભર્યા જીવનની ઘણી નવી જાણવા જેવી અને પ્રેરક માહિતી રજુ કરી છે.

પાકિસ્તાન સામે બે યુધ્ધમાં લડી ચૂકેલા મારા મિત્ર કેપ્ટન શ્રી નરેન્દ્રભાઈ ફણસે વિશેનો શ્રી દાવડાજીનો આ પરિચય લેખ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

 

કેપ્ટન નરેન્દ્ર ફણસે

કેપ્ટન નરેન્દ્ર ફણસે

કેપ્ટન નરેન્દ્ર ફણસે, એક મળવા જેવા માણસ

પરિચયકાર ….શ્રી પી.કે.દાવડા  

નરેન્દ્રભાઈનો જન્મ ૧૯૩૪ માં વડોદરામાં એક સમ્પન્ન પરિવારમાં થયો હતો.પિતાએ મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. માતાનો જન્મ એકજમીનદાર કુટુંબમાં થયો હતો. તે સમયે સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસિનતાદર્શાવવામાં આવતી હોવાથી માતાનું શિક્ષણ કેવળ ચોથા ધોરણ સુધી જ થયો. 

નરેન્દ્રભાઈની ઉમ્મર માત્ર નવ વર્ષની હતી ત્યારે એમના પિતાનું અવસાન થયું.પરિસ્થિતિમાં એવો બદલાવ આવ્યો, રહેવા માટે ફક્ત શહેરમાં એક ઘર રહી ગયું.આજીવીકાનું અન્ય કોઈ સાધન ન હોવાથી માતા શહેરનું ઘર ભાડે આપી ગામમાંરહેવા ગયા. ભાડાની અલ્પ આવકમાં પણ માતાએ આત્મનિર્ભરતા અનેગૌરવપૂર્ણ રીતે ચાર સંતાનોને ઉછેર્યા. નરેન્દ્ર તેમાં સૌથી મોટો. માત્ર ૫૫ વર્ષની ઉમ્મરે માતાનું પણ અવસાન થયું. 

નરેન્દ્રભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ સૌરાષ્ટ્રના અને  બનાસકાંઠાના અલગઅલગ શહેરોમાંથયો. તે માત્ર સાત વર્ષના હતા ત્યારે એમના અપહરણનો એકનિષ્ફળ પ્રયત્ન થયો હતો. એમના જ નોકરે એમને રાજકોટથી મુંબઈ લઈજવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પિતાના એક મિત્ર પોલીસ અમલદાર હોવાથી,તાત્કાલીક કારવાઈ કરી નરેન્દ્રભાઈને સુરેન્દ્રનગરથી બચાવી લેવામાંઆવ્યા. 

માધ્યમિક શાળાનો અભ્યાસ એક વર્ષ ભાવનગર અને છ વર્ષ અમદાવાદમાંથયો. ૧૯૫૧માં ૧૬ વર્ષની વયે એમણે SSC ની પરિક્ષા પસાર કરી. માધ્યમિકશાળાના અભ્યાસ દરમ્યાન એમને તેમના એક શિક્ષકે વર્ગમાં લપડાક મારીહતી. આ અપમાન સહન ન થતાં એમણે એજ્યુકેશન ઈન્સપેકટર પાસે ફરિયાદકરી અને ન્યાય મેળવ્યો હતો. આમ અન્યાય સામે લડી લેવાની વૃતિ એમણેનાનપણથી જ કેળવેલી. આ સમયગાળામાં એમણે શ્રી અરૂણકાન્ત દિવેટિયાનામાર્ગદર્શન હેઠળ ગુજરાતી સાહિત્યમાં રસ કેળવ્યો. 

SSC બાદ એમણે ભાવનગરની મંગળદાસ જેશીંગભાઈ કોલેજ ઓફ કોમર્સમાંથી૧૯૫૮ માં B.Com. ની ડીગ્રી મેળવી. આ અભ્યાસક્રમ દરમ્યાન સંજોગોવશાત ૧૯૫૫ થી૧૯૫૭ સુધી અભ્યાસમાં રૂકાવટ પેદા થયેલી. કોલેજના અભ્યાસ દરમ્યાન એમને શ્રીવિજયરાય ક. વૈદ્ય પાસેથી ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાનો મોકો મળ્યોહતો. 

B.Com. ની ડિગ્રી મેળવ્યા પછી, ૧૯૬૩ સુધી નરેન્દ્રભાઈએ L.I.C. નાએકાઉન્ટસ અને ક્લેઈમ્સ વિભાગમાં નોકરી કરી.

Captain N-2

૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધમાં ભારતની હાર થતાં દેશના યુવાનોમાં સૈન્યમાંજોડાઇ દુશ્મન સામે લડવાનો જુવાળ આવ્યો હતો. સરકારે આ ગાળા દરમ્યાનઈમરજ્ન્સી કમીશન્ડ ઓફીસરોની ભરતી શરૂ કરી, જેમાં નરેન્દ્રભાઈની પસંદગીથઈ. છ મહિના પૂનામાં જેન્ટલમન કૅડેટની ટ્રેનિંગ પૂરી કરી નરેન્દ્રભાઈ સેકન્ડલેફ્ટેનન્ટ તરીકે રેગ્યુલર આર્મીમાં જોડાઈ ગયા. આર્મીમાં જોડાવા માટેની પ્રેરણાએમને એમની માતાએ આપેલી. ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુધ્ધમાં એમનેમોખરાની હરોળમાં ઠેઠ સિયાલકોટ સુધી લડવાનો મોકો મળ્યો. ભારતે આયુધ્ધમાં શાનદાર વિજય મેળવ્યો હતો. ૧૯૬૭ના વર્ષમાં તેમની નિમણૂંક કૅપ્ટનતરીકે થઈ. ૧૯૬૮ માં તેઓ બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં કેપ્ટનના સમકક્ષ હોદ્દાસાથે જોડાયા. અહી પણ એમને ૧૯૭૧ ના પાકિસ્તાન સાથેના યુધ્ધમાં પંજાબમાંમોખરાના મોરચે લડવાનો મોકો મળેલો, અને એમણે દાખવેલા શૌર્ય બદલએમને  રાષ્ટ્રપતિ દ્વારા ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો. એમણે એમના આબન્ને યુધ્ધના અનુભવો પોતાના પુસ્તક “જિપ્સીની ડાયરી” માં લખ્યા છે.અમદાવાદના ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત આ પુસ્તક ખરેખરવાંચવા લાયક છે.

નરેન્દ્રભાઈના લગ્ન ૧૯૬૫ માં ટાન્ઝાનિયાના અનુરાધાબહેન સાથે થયા હતા.આ એક arranged marriage હતા. ૧૯૬૫ માં એમની દિકરી કાશ્મીરાનો જન્મ થયો અને૧૯૭૦ માં એમના દિકરા રાજેન્દ્રનો જન્મ થયો હતો. ૧૯૭૬ માં કેપ્ટન નરેન્દ્રસૈન્યમાંથી રાજીનામું આપી, એમના કુટુંબને લઈને  કાયમી વસવાટ માટે લંડનગયા. રાજીનામું નામંજૂર થવાથી કેપ્ટન નરેન્દ્રને ત્રણ મહિનામાંજ ભારત પાછાફરવું પડ્યું. એમનું કુ ટુંબ  લંડનમાંજ રોકાયું. પાંચ વર્ષ સુધી અનુરાધા બહેનેલંડનમાં નોકરી કરી અને બે બાળકોને ઉછેર્યા. 

૧૯૮૧ માં કેપ્ટન નરેન્દ્ર સેનામાંથી નિવૃતિ લઈ લંડન આવ્યા. લંડનમાં નોકરીદરમ્યાન,૧૯૮૭માં લંડનની એક બરો કાઉન્સીલના સમાજ સેવા વિભાગે ચાલુ પગારે બેવર્ષનો ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રૅજ્યુએટ કોર્સ કરવા મોકલ્યા. લંડનની સાઉથ બેંકયુનિવર્સિટીમાંથી તેમણે સોશ્યલ સાયન્સીઝમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમામેળવ્યો. 

લંડનના રહેવાસ દરમ્યાન, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ગુજરાતીલેખનની પ્રવૃતિ ફરી શરૂ કરી અને એમના લખાણ અખંડ આનંદમાં ’કૅપ્ટનનરેન્દ્ર’ના તખલ્લુસથી પ્રગટ થવા માંડ્યા. આમ તો એમનો સૌથી પહેલો લેખ૧૯૫૭માં સ્વ. ચાંપશીભાઈ ઉદેશીના ‘નવચેતન’માં છપાયો હતો અને ત્યારપછી ૧૯૭૯માં જનસત્તાની રવિવારની આવૃત્તિમાં ‘નરેન્દ્ર’ના તખલ્લુસથીઅવાર નવાર લેખ છપાતા. જો કે લેખનની ખરી કસોટી સ્વ. આચાર્યશ્રીદિલાવરસિંહજી જાડેજાની રાહબરી નીચે નીકળતા ‘અખંડ આનંદ’માં થઈ. તેમાંલગભગ દસેક જેટલા લેખ અને એક એકાંકિ નાટક પ્રસિદ્ધ થયાં, જેમને ઘણોસારો આવકાર મળ્યો હતો. 

લંડનના રોકાણ દરમ્યાન એમણે ૧૯૮૫માં, લંડનમાં રહેતા ભારતીય અંધજનોમાટે બોલતું અખબાર ‘કિરણ’, મૂળ કેન્યાનાં કલ્પનાબહેન પટેલની સાથે શરૂ કર્યું. આજે પણઆ અખબારની ડિજીટલ આવૃત્તિ લગભગ ચારસો દૃષ્ટીની ક્ષતિ ધરાવતાશ્રોતાઓને દર અઠવાડિયે  મોકલવામાં આવે છે. 

નરેન્દ્ર્ભાઈના બન્ને બાળકો બ્રિટનમાંઅભ્યાસ પુરો કરી, આગળની કારકીર્દી માટે અમેરિકા ગયા. ૨૦૦૦ માં  નરેન્દ્રભાઈ અને એમના પત્ની પણ કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા. અમેરિકામાં એમની સાહિત્ય પ્રવૃતિ ચાલુ રહી. ૨૦૦૮માંએમણે જિપ્સીની ડાયરી નામે બ્લોગ શરૂ કર્યો. તમે જીપ્સીની ડાયરી  GYPSY’S DIARY લીંક વાપરી આ બ્લોગની મુલાકાત લઈ શકો છો. 

નરેન્દ્રભાઈના ઘડતરમાંએમની માતાનું યોગદાન અતિશય મહત્વનું છે. આલખતી વખતે, શિવાજી મહારાજનું વીરમાતા જીજાબાઈએ કરેલું  ઘડતર યાદઆવી જાય છે. આ માતૃૠણ ચૂકવવા નરેન્દ્રભાઈએ “બાઈ” (મા) નામે એકપુસ્તક લખ્યું છે, જે મૂળ એમની માતાએ મરાઠીમાં લખેલ ડાયરીનો અનુવાદ છે. 

નરેન્દ્રભાઇ કહે છે, “મહાભારતમાં કર્ણનું વાક્ય: दैवायत्तं कुले जन्म मदायत्तं तुपौरूषम्- ‘કયા કુળમાં જન્મ આપવો તે દૈવનેઆધિન છે; પરંતુ પુરુષાર્થ તો મારેઆધિન છે , તે મને બહુ ગમે છે.” આ ઉપરાંત ભાવનગર રાજ્યનો motto – ‘મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા’ આ કથન પણ એમને ખૂબ પ્રિય છે. 

આમ તો આ જીપ્સીનો પ્રવાસ હજી ચાલુ જ છે. 

અંતમાં કેપ્ટન નરેન્દ્ર ફણસેને એક મિલીટરી ઢબની સલામ કરી આ લેખ પૂરો કરૂં છું. 

-પી. કે. દાવડા,ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા  

3 responses to “( 618 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે, એક મળવા જેવા માણસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

  1. pragnaju ડિસેમ્બર 23, 2014 પર 3:33 એ એમ (AM)

    જેમની પોસ્ટની રાહ જોતા રોજ રોજ બ્લોગ પર મળતા આપણા નરેન્દ્રજી ની અતિ પરિચયે અવજ્ઞાા થાય ..!
    ત્યારે આવા પ્રેરણાદાયી પરીચય ફરી યાદ અપાવે મા શ્રી દાવડાજી નો આભાર

    Like

  2. nabhakashdeep ડિસેમ્બર 24, 2014 પર 12:24 પી એમ(PM)

    સાહિત્યની કેડી પર, બે કદમ આગે ને એવી જ ગૌરવભરી જીવન કથા કેપ્ટનશ્રી નરેન્દ્રભાઈની. આદરણીયસુશ્રી પ્રજ્ઞાબેન જેવો જ અંતર મને આનંદ છવાયો..શ્રી દાવડા સાહેબ…તેમણે મને ભેટ આપેલા બે પુસ્તકો…કૃષ્ણ ને માનવ સંબંધો તથા હયાતી(શ્રી હરીન્દ્ર દવે)

    શ્રી મંગેશ પાડવકરની પંક્તિઓમાં કહું તો…

    જેનું હૃદય વૃક્ષોનું તેને જ ફૂલો આવે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. Pingback: ભારતના વીર જવાનો ….સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.